કલ્યાણ નથી એવી પ્રતીતિ–શ્રદ્ધા થયા વગર ત્રણકાળમાં કોઈની મુક્તિ નથી ઉપર કહ્યું કે.......... ‘પાત્ર થવા
સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.’ આમાં સિદ્ધાંત શું છે? કે આત્મા સિવાય પર તરફના વિષય (સંયોગી ભાવ)
માં જે તીવ્ર આસક્તિ વડે સુખ માની રહ્યા છે તેને જુદું તત્ત્વ અસંયોગી સ્વભાવ ખ્યાલમાં આવશે નહીં.
‘અબ્રહ્મ’ એટલે પર સંયોગના કારણે આત્મામાં જે ભાવ થાય તે સંયોગી ભાવને પોતાનું સ્વરૂપ માનવું તે.
સુધી પર ઉપર લક્ષ કરી તેમાં પોતાપણું માને છે ત્યાંસુધી પુણ્ય–પાપના ભાવ થાય છે પણ તે સ્વભાવમાં નથી
તેથી ટાળી શકાય છે; જો તે પુણ્ય–પાપના ભાવ સ્વભાવમાં હોત તો કદી તે ટાળીને મુક્ત થઈ શકાત નહીં.
રંગ જોઈએ; તેથી જેને અબ્રહ્મચર્ય વર્તે છે એટલે કે પર વસ્તુમાં જેને સુખ બુદ્ધિ માની છે તેને પરથી નિરાળા
શુદ્ધ આત્માની શ્રદ્ધા થવાની પાત્રતા નથી.
સિવાય કોઈ પરમાં–સ્વર્ગમાં કે રાજપદમાં ક્યાંય નથી, એવી પ્રતીતિ પછી રાગ–દ્વેષની અલ્પ અસ્થિરતા હોય
પણ સંયોગમાં સુખ બુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાનીને તો ઊંડે ઊંડે પર સંયોગમાં સુખની તીવ્ર આસકિત પડી છે,
પુણ્યની મીઠાશ છે; તેને આત્મા શુદ્ધ ચૈતન્ય પરથી નીરાળો છે, તેની શ્રદ્ધાની પાત્રતા નથી.
આત્માની શ્રદ્ધા વગર સાચું હોય જ નહીં.
પૂર્વના પુણ્યના યોગે (જ્ઞાની પણ) ચક્રવર્તી રાજ્યમાં હોય; ભરત, શ્રેણિક ઋષભદેવ ભગવાન વગેરે સ્વરૂપના
ભાનસહિત ચક્રવર્તી–છ ખંડના ધણી અગર રાજાઓ હતા. સંસારમાં હોવા છતાં અને અમુક રાગ–દ્વેષ
(પુરુષાર્થની નબળાઈને લીધે) હોવા છતાં ‘આ મારું સ્વરૂપ નથી, હું ચિદાનંદ નિર્વિકારી પૂર્ણ શુદ્ધ છું.’ એવું
શુદ્ધ દ્રષ્ટિનું ભાન હતું. ભાન વગર કોઈ હજારો રાણીઓ તથા રાજપાટ છોડીને ત્યાગી (બાહ્યમાં) થઈ જાય તો
પણ ધર્મ ન થાય. પુણ્ય–પાપ રહિત સ્વરૂપની સ્વતંત્ર ઓળખાણ વગર તે બધું ‘એકડા વગરના મીંડા’ છે.
જ્ઞાનીઓ સંસારમાં રાજપાટ સ્ત્રી આદિના સંયોગમાં રહ્યા છતાં તે બધાને રોગરૂપ માને છે. સ્વરૂપનું જોર છે કે
મારા સ્વભાવનું સુખ મારામાં જ છે, આ બધા (પરસંયોગભાવ) સ્વતંત્રતાનું ખૂન કરનાર છે.
રોજ શ્રી ભગવાન સીમંધર પ્રભુના સનાતન જૈન મંદિરનો વાર્ષિક મહોત્સવ રાજકોટ
મુકામે ઉજવવાનો છે માટે સર્વે મુમુક્ષુ ભાઈ બહેનોને તે પ્રસંગનો લાભ લેવા વિનંતિ છે.