Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
૨૦૦૦ : શ્રાવણ : આત્મધર્મ : ૧૫૩ :
શુભભાવ કરતાં–પાપનો પણ બંધ થાય, એમાં નવાઈ જેવું તમને લાગે છે?
પહેલો મિત્ર–લાગે છે ખરૂં માટે એ બાબતની ચોખવટની જરૂરિયાત છે. આપણે હવે પછી તે ચર્ચીશું.
બીજો મિત્ર–સારું.
(બન્ને જુદા પડે છે.)
પાંચમો પ્રસંગ : – શુભ ભાવ કરતાં પાપ બંધ થાય છે. તેનું કારણ?
પહેલો મિત્ર–શુભભાવ કરતાં પાપનો બંધ પણ કેમ થાય છે?
બીજો મિત્ર–આપણે બે પ્રકારના જીવો આ સંબંધમાં વિચાર કરતાં લઈશું. (૧) આત્મ સ્વરુપથી અજાણ
(૨) આત્મસ્વરૂપના જાણ–સાધક જીવ.
તેમાં પ્રથમ–આત્મ સ્વરૂપથી અજાણનું પહેલું જાણવું લાભ દાયક છે.
પહેલો મિત્ર–બરાબર છે. આત્મ સ્વરૂપથી અજાણને પહેલું લેવું તે વ્યાજબી છે.
બીજો મિત્ર–જુઓ–તે તો એમ માને છે કે–(૧) હું પર જીવને મારી નાંખી શકું (૨) પર જીવને જીવાડી
(બચાવી) શકું (૩) પર જીવને દુઃખ દઈ શકું (૪) પર જીવને સુખ દઈ શકું કેમ એમ તે માને છે કે કેમ?
પહેલો મિત્ર–હા–બીજાને મારી નાંખી શકું. બીજાને દુઃખ દઈ શકું એમ માને છે–અને તેવા કૃત્યને લોકો પાપ
કહે છે, અને બીજાને જીવાડી શકું, બીજાને સુખ દઈ શકું એમ તે માને છે. અને તેવા કૃત્યને લોકો પુણ્ય કહે છે.
બીજો મિત્ર–તેની માન્યતા બાળકની છે કે મોટાની છે.
પહેલો મિત્ર–નાના મોટા લગભગ ઘણાની છે.
બીજો મિત્ર–એક આપણે મહાસભા બોલાવીએ અને પછી ઉપર પ્રમાણે આપણે પુણ્ય–પાપની વ્યાખ્યા
તેમની પાસે મૂકીએ તો તે ઠરાવ પસાર થાય કે કેમ?
પહેલો મિત્ર–જરૂર પસાર થાય.
બીજો મિત્ર–તેથી વિરુદ્ધ કોઈ મહાસભામાં–કહે કે જુઓ ભાઈ જે ઠરાવ તમે પસાર કરવા માગો છો તે
ભૂલ ભરેલો છે. કોઈ કોઈને મારી જીવાડી શકે નહીં. સુખદુઃખ થઈ શકે નહીં તો તેના કથનની શું વલ્લે થાય?
પહેલો મિત્ર–અરે આગેવાનો મહા ફડહડાટ કરી મૂકે અને કહે કે–અરે આવું કહેવાથી તો સમાજને મહા
નુકસાન થાય. ભગવાન મહાવીરે કહ્યું તેને આ લોપે છે. વિગેરે કહી લાંબા ભાષણો કરે. ધર્મનો લોપ થવા બેઠો
છે વિગેરે મતલબે કહે એમ મને લાગે છે.
બીજો મિત્ર–ભાઈ જુઓ! તે માન્યતા ભૂલ ભરેલી છે, એ તમને આગળ કંઈક કહ્યું હતું. હવે આપણે
વળી વધારી ચર્ચીએ. જીજ્ઞાસુ બુદ્ધિથી–ખુલ્લા દિલથી–ચર્ચવાથી સત્ય–અસત્યની ખબર પડે છે. માટે તમને પુછું
છું કે:– જુઓ નીચે મુજબ બને છે.
(૧) એક ડોકટર–દરદીને સાજો કરવા માટે, તેનાથી બની શકે તેટલી બધી કાળજી રાખી તેનું દુઃખ દૂર
કરવાના હેતુથી OPERATION (ઓપરેશન) કરે છે, પણ દરદી ટેબલ ઉપર જ મરી જાય છે?
(૨) એક માણસ બીજા માણસને મારી નાખવાના હેતુથી ઝેર આપે છે, અને બીજો માણસ તે ઝેર ખાય
છે તેને પરિણામે તે મરતો નથી, પણ તેને લાંબા વખતનું કાંઈ દરદ હોય તે તેનાથી મટી જાય તેમ બને છે?
(૩) એક માણસ સુખી થશે એમ માનીને તે બીજા માણસને તે ચીજ આપે છે, પણ તે ચીજ તે માણસને
આપતાં તે તેને ગમે નહીં, અને સુખને બદલે દુઃખ થાય?
(૪) એક પિતા પુત્રને શિખામણ પુત્રના ભલા માટે આપે કે ભાઈ–આપણે અસત્ય બોલવું, ચોરી
કરવી, જુગાર રમવો વિગેરે સારું નહીં છતાં તે પુત્ર ન માને એમ બને કે કેમ? અને તેને સુખ થવા માટે
આપેલી શિખામણ તેને અરુચિકર લાગે કે કેમ?
(૫) ગજસુકુમારને તેના સસરાએ માથા ઉપર જળહળ અગ્નિ તેને દુઃખ માટે મૂકી પણ તેમને
અજન કણ?
૧ અવગુણથી જેના ગુણ જીતાઈ જાય (ઢંકાઈ જાય) તે અજૈન.
૨ જે રાગ–દ્વેષને પોતાના માની રાખવા જેવા ગણે અને શરીરાદિ જડનો પોતાને કર્તા માને તે અજૈન.
૩ અજૈન એટલે જગત (વિકાર) નો સેવક.
૪ અજૈન એટલે સંસારમાં રખડવાનો કામી.