Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૧૫૨ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
આવે છે; એમ પણ બને છે, કે શુભ કરવાનો વિચાર કરતાં હોઈએ, ત્યાં એકદમ અશુભ ભાવ ડોક્યિાં મારે છે.
બીજો મિત્ર–શુભભાવ–અશુભભાવની માફક ક્ષણિક છે, ઉત્પન્ન ધ્વંસી છે, વિકારી છે. તે બન્ને
મોહરાજાની ફોજના સરદારો છે. શુભ તે મોહરાજાની કઢી છે અને તે Supercially [ઉપલકદ્રષ્ટિએ] મીઠી
મધુરી લાગે છે. માટે પુણ્યના હિમાયતીએ પ્રથમ તેનું યથાર્થ સ્વરૂપ સમજી લેવું જોઈએ. વખત થયો છે માટે
આપણે છુટા પડીએ.
[બન્ને છુટાં પડ્યાં]
પ્રસંગ ચોથો : – પુણ્યનું સ્વરૂપ
પહેલો મિત્ર–પુણ્યનું સ્વરૂપ તો નાનું છોકરૂંએ સમજે છે, તેમાં સમજવા જેવું શું છે?
બીજો મિત્ર–ત્યારે નાનું છોકરૂં શી રીતે સમજે છે તે કહો.
પહેલો મિત્ર–કોઈ જીવનો પ્રાણઘાત કરવો તે પાપ, અસત્ય બોલવું તે પાપ, ચોરી કરવી તે પાપ–
અબ્રહ્મચર્ય તે પાપ, પરિગ્રહી થવું તે પાપ, કોઈ જીવને દુઃખી દેખી દાન દેવું, સેવા કરવી, બચાવવો, અન્ન પાણી
દેવા એ વિગેરે પુણ્ય.
બીજો મિત્ર–ઠીક છે. આ અભિપ્રાય બરાબર છે કે કેમ એ આપણે વિચારીએ. પણ તે વિચારતાં પહેલાંં એ
જાણવાની જરૂર છે કે આ માન્યતા બાળકની જ છે કે મોટાઓની પણ છે?
પહેલો મિત્ર– મોટાની પણ તે જ માન્યતા છે. તેમાં ફેર એટલો છે કે મોટા જોરશોરથી એ માન્યતાની
ઘોષણા કરે છે–તેનું અનુકરણ કરવા બીજાને પ્રેરે છે અને તેમની લાગવગથી કે ઉપદેશથી લોકો દાન દીએ છે
એમ પણ દેખાય છે–
બીજો મિત્ર–ત્યારે કહો કે–એક માણસને મારવા કોઈએ બંદુક મારી. પણ જે માણસને મારવો હતો તે
બચી ગયો. તો બંદુક ફોડનારને પાપ ખરું કે કેમ?
પહેલો મિત્ર–હા. પાપ તો ખરું.
બીજો મિત્ર–શા માટે? માણસ મરી તો નથી ગયો તો પાપ શા માટે?
પહેલો મિત્ર–મારી નાંખવાનો ભાવ હતો માટે.
બીજો મિત્ર–તમારા પોતાના જવાબથી તો એમ નક્કી થયું કે–
જીવને મારી નાંખવાનો ભાવ કર્યો
તેથી પાપ થયું–નહીં કે સામો જીવ જીવ્યો કે મર્યો તેથી? જીવ મરે કે ન મરે તે સાથે પાપની ઉત્પત્તિને
સંબંધ નથી. પાપ તો જીવમાં થાય છે. માટે જીવનો તીવ્ર (આકરો) કષાયભાવ તે પાપ છે. હિંસા તો–પોતાના
ભાવ ઉપરથી જણાય એમ નકી થયું.
પહેલો મિત્ર–પણ તમે તો જીવ બચ્યો તેનો દાખલો દીધો. જીવ મરે તેનો લીઓને!
બીજો મિત્ર–ભલે, તેવો લઈએ. એક માણસ દુઃખી છે, તેને ભૂખ લાગી છે, અને ભૂખ ટાળવા તમે તદ્ન હલકું,
પચે તેવું, સાદું જમવાનું આપ્યું. પણ તે તેને ન પચ્યું, વિપરીત થયું, અને તે કારણે મરી ગયો–કહો તમોને પુણ્ય કે પાપ?
પહેલો મિત્ર–એ તો પુણ્ય છે, એમાં પાપ કેમ કહી શકાય. જમવાનું આપનારનો ભાવ તો તેને સગવડ
આપવાનો હતો–માટે પુણ્ય કહેવાય.
બીજો મિત્ર–ત્યારે માણસ જેવું પ્રાણી મરી ગયું તે કેને ખાતે માંડશો?
પહેલો મિત્ર–વિચારતાં તો એમ માલુમ પડે છે કે પ્રાણી જીવે કે મરે તે સાથે પુણ્ય–પાપને સંબંધ નથી.
પોતાના ભાવની સાથે સંબંધ છે. અને તે જ નિયમ–સત્ય અસત્ય, વિગેરેને લાગુ પડે છે.
બીજો મિત્ર–ઠીક ત્યારે કહો છે–છોકરૂં પણ પુણ્ય સ્વરૂપ સમજે છે એમ તમે કહેતા હતા તે ખરૂં છે?
પહેલો મિત્ર–તે માન્યતા સાચી નથી. જીવ શુભભાવ કરે (પછી સામા પ્રાણીને લાભનુકસાન ગમે તે
થાય) તો પુણ્ય અને અશુભ ભાવ કરે (પછી સામા પ્રાણીને લાભ નુકસાન થાય, ગમે તે થાય) તો પાપ ગણાય.
બીજો મિત્ર–તમારી વાત બરાબર છે. પણ સવાલ ઉઠે છે, કે
જૈન કોણ?
૧ રાગદ્વેષ ઉપર જીત મેળવી, સ્વરૂપને મેળવનાર તે જૈન.
૨ જૈન એટલે વીતરાગતાની મૂર્તિ.
૩ પોતાના ગુણના જોર વડે જે અવગુણને જીતે
[નાશ કરે] તે જૈન.
૪ જૈન એટલે મોક્ષનો અભિલાષી.
પ જૈન એટલે વીતરાગતાનો સેવક.