Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
૨૦૦૦ : શ્રાવણ : આત્મધર્મ : ૧૫૧ :
પહેલો મિત્ર–તમે કહો છો તે ઉપરથી મને યાદ આવે છે કે શુભભાવ થતાં ચારે ઘાતીયા કર્મની પ્રકૃતિઓ
બંધાય છે એમ જ્ઞાનીઓ જણાવે છે. માટે તમારી એ વાત સાચી છે.
બીજો મિત્ર–કહો ત્યારે પુણ્યભાવ કરતાં, આત્મસ્વરૂપના અજાણને આત્માના નિજ ગુણ એટલે કે
સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર, વીર્ય વિગેરે ને હણનારાં પાપ કર્મમાંથી કયું ટળે? અને કયું ન બંધાય?
પહેલો મિત્ર–એકે નહીં.
બીજો મિત્ર–ત્યારે કહો કે કયા કયા શુભભાવ કરતાં કરતાં આ ભવે, આ ભવે નહીં તો હવે પછીના ભવે,
સમ્યકત્વનો ગુણ પ્રગટે?
પહેલો મિત્ર–એવો એ કે શુભભાવ નથી કે જે કરતાં કરતાં અનંત કાળ જાય તો પણ સમ્યકત્વ પ્રગટે
અને મિથ્યાત્વનું મહાપાપ ટળે.
બીજો મિત્ર–ત્યારે કહો કે જે–આત્મસ્વરૂપના અજ્ઞાની છે તેને તો પુણ્ય (શુભ) ભાવ કરતાં તે જ વખતે
અનંતુ પાપ–સંસારને વધારનારૂં બંધાય છે, તો પછી તે પુણ્યના ખરા હિમાયતી કહેવાય?
પહેલો મિત્ર–ન જ કહેવાય. પણ ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે–પાપનો નાશ કોણ કરી શકે?
બીજો મિત્ર–સમ્યક્દર્શન થાય તે જ વખતે મિથ્યાત્વ અને અનંત સંસારને વધારનારા ક્રોધ–માન–માયા–
લોભ એ પાંચ મહાપાપ તો બંધાતાં જ નથી, અને બીજા પાપો ક્રમેક્રમે તેને નહીં બંધાતાં, છેવટે પાપ બંધથી
રહિત તે થઈ શકે છે.
પહેલો મિત્ર–તમે ઘણી સ્પષ્ટ વાત કરી, પણ આ વિષય બીજી કોઈ રીતે વિચારી શકાય તેમ છે?
બીજો મિત્ર– ઘણાં પડખાંથી તે વિચારી શકાય છે. અને તે બધાનું પરિણામ એક જ આવે છે. કેમકે સત્ય
તો સત્ય જ રહે છે. પણ આપણે હવે તે વિષય બીજે વખતે લેશું. (બન્ને મિત્રો જુદાં પડ્યાં.)
ત્રીજો પ્રસંગ (બન્ને મિત્રો ફરી મળે છે.)
સ્વરૂપની સમજણ વગર પુણ્ય અને પાપચક્ર ચાલ્યા કરે છે.
પહેલો મિત્ર– કહો, બીજી કઈ રીતે આ વાત વિચારી શકાય તેમ છે?
બીજો મિત્ર–જેને આત્મસ્વરૂપનું લક્ષ નથી તેને કષાયચક્ર ચાલુ રહેતું હોવાથી શુભ પછી તુરત જ અશુભ
આવે છે એ જાણો છો?
પહેલો મિત્ર–આ વાત દાખલો આપી સ્પષ્ટ કરો.
બીજો મિત્ર–જુઓ પ્રથમ આપણે શુભ (પુણ્યભાવ) શું–પાપ ભાવ શું તે વિચારીએ.
પહેલો મિત્ર–ભલે, ખુશીથી.
બીજો મિત્ર–જુઓ, આગળ તમને બતાવ્યું હતું કે પુણ્યભાવ કરનાર જીવ જેને આત્મસ્વરૂપનું સાચું જ્ઞાન
નથી તે ભાવ કરતી વખતે જ પાપ બાંધે છે. પણ આ તો તેથી આગળ જવાની વાત છે માટે તે લક્ષપૂર્વક સાંભળજો.
પહેલો મિત્ર– લક્ષપૂર્વક સાંભળી તેની તુલના કરીશ.
બીજો મિત્ર–જુઓ એક માણસને તમે દાન દીધું, પછી તમે સંસારી ધંધા રોજગારમાં જોડાઓ છો?
પહેલો મિત્ર–હા.
બીજો મિત્ર–કહો ત્યારે તમારો ધંધાનો ભાવ શુભ કે અશુભ?
પહેલો મિત્ર–તેને શુભ કેમ કહેવાય? તે તો અશુભ ભાવ કહેવાય.
બીજો મિત્ર–તો પછી એમ થયું કે–શુભભાવ મટયા પછી–અશુભભાવ તો તુરત આવે છે. માટે પુણ્યનું
સળંગ ચાલવાપણું તો ન રહ્યું. અને પુણ્યના ખરા હિમાયતીએ તો ચોવીશ કલાક પુણ્ય કરવું જોઈએ.
પહેલો મિત્ર–પણ એ તો ક્યાંથી બની શકે?
બીજો મિત્ર–અજ્ઞાનીથી ન બની શકે, પણ જ્ઞાનીનાં કેટલાંક પદ એવાં છે કે જેમાં તેમ બને છે.
પહેલો મિત્ર–મને પણ વિચારતાં લાગે છે કે–શુભભાવ સળંગ ચાલુ રહેતો નથી; શુભ પૂરો થયો કે
તરતજ કંઈ અશુભ
જૈનશાસન
૧ જૈનશાસન એટલે વીતરાગતા. ૨ અનેકાન્ત એ જૈનશાસનનો આત્મા.
૩ સ્યાદ્વાદ એ જૈનશાસનની કથન શૈલી. ૪ જૈનશાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર.
પ જૈનશાસન એટલે દરેક દ્રવ્યોના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ
અનંત ધર્મ.