Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૧૫૦ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
પાપ ટાળવાનો સાચો ઉપાય શું?
બતાવનાર: – રામજીભાઈ માણેકચંદ દોશી
પ્રસંગ પહેલો.
પહેલો મિત્ર–તમે એકવાર કહેતા હતા કે પુણ્યથી ધર્મ થાય એ લૌકિક માન્યતામાં જ પુણ્યથી ધર્મ ન થાય
એમ અવ્યક્ત રીતે આવે છે તે શી રીતે?
બીજો મિત્ર–પુણ્યથી ધર્મ થાય એ માન્યતામાં પાપ છોડવા જેવું છે એવી માન્યતા આવી કે કેમ?
(‘માન્યતા’) શબ્દ એ માટે વાપર્યો છે કે– ‘માન્યતા’ થતાં જ ચારિત્ર એકદમ પ્રગટતું નથી, પણ તે જ વખતે
અંશે પ્રગટે છે અને ક્રમે ક્રમે પૂરું થાય છે.)
પહેલો મિત્ર–પાપ છોડવું જ જોઈએ એવી માન્યતા તો આવી જ.
બીજો મિત્ર–ત્યારે કહો કે મહાપાપ તો તુરત જ ટાળવું જોઈએ, કે તે મહાપાપ ઉભું રાખો!
પહેલો મિત્ર– મહાપાપ પ્રથમ જ ટાળવું જોઈએ.
બીજો મિત્ર–ત્યારે કહો–કે મહાપાપ કયું છે?
પહેલો મિત્ર–મિથ્યાદર્શન એ મહાપાપ છે.
બીજો મિત્ર–તે મિથ્યાદર્શન જેને તમે મહાપાપ કહો છો–તેનાં બીજાં નામો આપશો.
પહેલો મિત્ર– હા, તેને સ્વરૂપની અણસમજણ, અજ્ઞાન, અવિદ્યા, ચિદાભાસ પણ કહેવામાં આવે છે.
બીજો મિત્ર–ત્યારે કહે કે
પાપ ટાળવું જ જોઈએ એવી જેની માન્યતા છે તેણે મિથ્યાદર્શનરૂપી
મહાપાપ ટાળવું જ પડશે. જો જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તો જ તે ટળે એ વાત સાચી કે કેમ?
પહેલો મિત્ર–હા, તેમ જ.
બીજો મિત્ર–ત્યારે તો સમ્યગ્દર્શનથી મિથ્યાદર્શનરૂપ મહાપાપ ટળે તેમ આવ્યું, અને સમ્યગ્દર્શન કહો કે
ધર્મની શરૂઆત કહો–સાચી સમજણ કહો, કે સાચું (સમ્યક્) જ્ઞાન કહો–તે એકજ અથવા સાથે રહેનારાં છે–
તેથી એમ થયું કે શુદ્ધભાવની શરૂઆત થતાં મહાપાપ ટળી શકે છે. કેમ તે બરાબર છે?
પહેલો મિત્ર–હા, તે તદ્રન વ્યાજબી છે. ખરેખર પુણ્યભાવથી ધર્મ નથી થતો છતાં પુણ્યથી ધર્મ થાય એમ
લોકો માને છે તેનું કારણ શું?
બીજો મિત્ર–સામાન્યરીતે લોકો આ બાબતમાં વિચાર કરતા નથી. નાનપણથી પોતે સાંભળ્‌યું હોય છે કે
પુણ્યથી ધર્મ થાય છે, પોતાના મોટેરાઓ પાસેથી પણ તેવું જ સાંભળે છે અને ધર્મસ્થાનકમાં પણ મોટે ભાગે તેવું
જ સંભળાવવામાં આવે છે. એ માન્યતા પોતાને અનાદિથી ચાલી આવે છે અને જેમ જેમ તે ઉંમરે વધતો જાય
છે તેમ તેમ તેનું પોષણ મળતું જાય છે. તેનું પરિણામ એ આવે છે કે કોઈ કહે કે પુણ્યથી ધર્મ થાય નહિ–મહાપાપ
ટળે નહિ તો તેને વિજળી જેવો આંચકો ‘
Electric Shock’ લાગે છે. એ સાંભળવા તરફ અરુચિ થાય છે. પણ
તટસ્થ થઈ શાંતપણે તેનાં બધાં પડખાંઓ વિચારે તો આ વાત તુરત સમજી જાય.
પહેલો મિત્ર–ત્યારે આનાં બીજાં પડખાંઓ શું છે તે આપણે હવે પછી ચર્ચશું.
બીજો મિત્ર–બહુ સારું. (બન્ને છુટા પડે છે)
પ્રસંગ બીજો
પહેલો મિત્ર–પુણ્યનાં બીજાં પડખાં છે એમ તમે કહેતા હતા તે આજે કહો.
બીજો મિત્ર–જુઓ પુણ્યના ઈચ્છક જે વખતે પુણ્ય કરવા માગે છે તે જ વખતે પાપ બંધાય તેમ ઈચ્છે છે?
પહેલો મિત્ર– જે પુણ્ય કરવા માગે તે તે જ વખતે પાપ પણ લાગતું હોય, તો તે પુણ્યનો ઈચ્છક કેમ
કહેવાય? ન જ કહેવાય.
બીજો મિત્ર–તમે એ સ્વીકાર્યું; ત્યારે હવે તમને પુછું છું કે–તમે એ તો જાણો છો ને કે શુભભાવ (પુણ્ય
ભાવ) કરતી વખતે, જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન ન હોય તેને સાચા જ્ઞાન–સાચી પ્રતીતિ–સાચા ચારિત્ર અને વીર્ય
હણાય છે અને તેથી તેનાં આવરણ બંધાય છે અને તે બધાં પાપ છે?