Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
૨૦૦૦ : શ્રાવણ : આત્મધર્મ : ૧૪૯ :
છે તે વસ્તુમાં નથી એક સમય પૂરતું [અવસ્થાનું] આવરણ ટળ્‌યું કે દીવો પૂર્ણ પ્રગટ જ છે. દ્રવ્ય તો પુરી
અવસ્થાથી જ ભરેલું છે, તેની જે અધૂરી કે ઊણી પર્યાય કહેવાય છે તેમાં પરની અપેક્ષા લાગુ પડે છે. દ્રવ્ય પોતે
વર્તમાનમાં જ પુર્ણ અવસ્થાથી ભરેલું છે, જે અહીં છે તે જ સિદ્ધદશામાં પ્રગટ થાય છે–સિદ્ધદશામાં નવું
(બહારથી) કાંઈ આવતું નથી.
વસ્તુ જો અવરાય તો તે વસ્તુ જ ન કહેવાય. અને એક સમયની અવસ્થા પુરતું આવરણ કહો તો તે
અવસ્થા તો બીજે સમયે બદલી જાય છે; અવસ્થા બદલી જતાં તે સમયનું આવરણ પણ ટળી જાય છે, નવી
અવસ્થામાં નવું આવરણ કરે તો થાય, માટે આવરણ વસ્તુમાં નથી.
ટોપલે દીવાને ઢાંક્યો નથી પણ દીવાની અવસ્થાને ઢાંકી છે, જો દીવો જ ઢંકાય તો દીવાનો અભાવ ઠરે,
એમ જો આત્મા જ ઢંકાઈ જાય તો તત્ત્વનો જ અભાવ થઈ જાય. એટલે અવસ્થા તો એક સમય પુરતી છે.
પર્યાય સમયે સમયે પલટી જાય છે અને વસ્તુ તો ત્રિકાળ ટકી રહે છે; પર્યાય તે વસ્તુ નથી. (પર્યાયનું આવરણ
તે વસ્તુમાં નથી.)
જો મલિનતા એક સમય પુરતી ન હોય–કાયમની હોય તો તે પલ્ટી કેમ જાય? પલ્ટી જાય છે તેથી
મલિનતા વર્તમાન એક સમય પુરતી છે અને વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે.
જેમ મલિન અવસ્થા એક સમય પૂરતી છે તેમ નિર્મળ અવસ્થા (સિદ્ધ દશામાં) પણ એક સમય પૂરતી
જ છે. સિદ્ધ દશામાં પણ બે સમયની અવસ્થા ભેગી થતી નથી. નિર્મળ કે મલિન અવસ્થામાં પરની અપેક્ષા આવે
છે. અને દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ નિરપેક્ષ છે. વસ્તુસ્વભાવમાં નિર્મળ કે મલિન પર્યાય (સંસાર કે મોક્ષ એવા
ભેદ લાગુ પડતા નથી. વસ્તુ ત્રિકાળ નિરપેક્ષ છે અને પર્યાય અભૂતાર્થ છે. ક્ષણિક છે. ત્રિકાળ આવરણથી રહિત
સંપૂર્ણ દ્રવ્ય તે “વસ્તુ” છે.
અહા! વસ્તુ તે વસ્તુ!!! વસ્તુમાં ત્રણકાળમાં કોઈ અપેક્ષા જ લાગુ પડી શકતી નથી. અપેક્ષા તો
પર્યાયમાં આવે છે. નિરપેક્ષ વસ્તુને જ “કારણ પરમાત્મા” કહેલ છે; એ વસ્તુ ઉપર લક્ષ આપતાં પૂર્ણ
પરમાત્મપદ પ્રગટે છે તેથી અહીં “કારણ પરમાત્મા” પરિપૂર્ણ વસ્તુનું વર્ણન લીધું છે.
ભગવાન અરિહંતદેવ કાર્ય પરમાત્મા છે, તેમને પુર્ણ પરમાત્મદશા પ્રગટી ગઈ છે.
ગુણ અને વસ્તુ ત્રિકાળ એકરૂપ નિર્મળ છે તેમાં નિમિત્ત, સંયોગ કે આવરણ હોઈ શકે નહીં. અહીં કોઈને
પ્રશ્ન ઊઠે કે ત્રિકાળ નિરાવરણ કહ્યું તો વર્તમાન અવસ્થામાં પણ બંધનનો નકાર કર્યો?
ઉત્તર:– અહીં પર્યાયનું લક્ષ જ નથી; વસ્તુનું જ લક્ષ છે, વસ્તુનું લક્ષ અવસ્થાદ્વારા થાય છે, જે અવસ્થાથી
લક્ષ થયું તે અવસ્થાનું લક્ષ નથી. દ્રષ્ટિ નિરપેક્ષ વસ્તુ ઉપર છે તેમાં પર્યાયનું લક્ષ નથી.
વસ્તુ તો ત્રિકાળ છે, જ્યાં અવસ્થાનું પરિણમન અંદર ઢળ્‌યું એટલે કે ‘હું શુદ્ધ દ્રવ્ય છું’ એમ પર્યાય દ્વારા
દ્રવ્યનું સ્વરૂપ નક્કી કર્યું ત્યાં પર્યાય ઉપર દ્રષ્ટિ જ ન રહી, અપેક્ષા જ ન રહી. અહીં એકલો ધુ્રવ સ્વભાવ લીધો
છે. જે અવસ્થાથી અંતરમાં ઢળ્‌યો તે અવસ્થા તો ધુ્રવ સ્વરૂપમાં મળી ગઈ તેમાં નિર્મળતા કે મલિનતાની અપેક્ષા
જ ન રહી.
અરિહંત કે સિદ્ધપદ પ્રગટ્યું તે તો પર્યાય છે. અવસ્થા (પર્યાય) જે વસ્તુથી પ્રગટી તે વસ્તુ તો ત્રિકાળ
એકરૂપ છે, વસ્તુ પોતાથી દુઃખરૂપ કે અપુર્ણ ન હોઈ શકે. વસ્તુ તો આનંદમય પરિપુર્ણ છે; બંધ મોક્ષના ભેદ પણ
વસ્તુમાં નથી.
સોનું સોનાપણે એકરૂપ જ છે; કડાં કુંડળ કે વીંટી ગમે તે અવસ્થામાં સોનું તો–સોનું જ છે અન્ય નથી;
પણ આકારની અવસ્થા–દ્રષ્ટિએ જોવામાં આવે તો તે અનેકરૂપ ભાસે છે. તેમ આત્મા વસ્તુદ્રષ્ટિએ તો નિત્ય
એકરૂપ જ છે, પર્યાય દ્રષ્ટિએ જ ભેદ જણાય તે વસ્તુમાં નથી.
આ સમજતાં પુર્ણ સ્વરૂપની રુચિ થાય અને પરનો મહિમા ટળે તેનું નામ ધર્મ. આ અક્ષય ત્રીજનું અક્ષય
જ્ઞાનસ્વરૂપ બતાવ્યું.
નોટ:– વસ્તુ ત્રિકાળ કહેતાં તેમાં કાળનું લંબાણ નથી બતાવવું પણ ભાવે એકરૂપ નિરાવરણ છે એમ બતાવવું છે.