Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૧૫૪ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
તો દુઃખ ન થતાં, સુખ થયું, મોક્ષ થયો, અવિનાશી કલ્યાણ થયું એ ખરૂં કે કેમ?
(૬) સ્કુલમાં શિક્ષક વિદ્યાર્થી ભણે, સુધરે, ભવિષ્યમાં સુખી થાય તે હેતુથી તેનાથી તેના પાઠો બરાબર
તૈયાર કરવા કહે, અને તે વિદ્યાર્થી તેમ ન કરે, અને શિક્ષકને ખરાબ કહે એ બને કે કેમ?
(૭) ભગવાનો (જ્ઞાનીઓ) આ જગતમાં અનંતા થયા, તેઓએ જગતના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો,
પણ તેમના સાંભળનારા બધાઓ જ્ઞાની થયા નહીં. જગતના મોટા ભાગે સુધરવાની ના પાડી, અને કેટલાકોએ
તેમની ધર્મ સભામાંથી બહાર નીકળી મોટો વિરોધ કર્યો. એમ બને છે કે કેમ?
(૮) આ જીવ પોતે અનંત વખત તીર્થંકર ભગવાનોની ધર્મ સભામાં ગયો. ભગવાનનો કલ્યાણકારી
ઉપદેશ કાને પડ્યો, પણ મોટી ઉંધાઈ કરી તે ઉપદેશને નકાર્યો, અને કેવળી પાસે કોરો રહી ગયો. એમ બન્યાનું
તમે સાંભળ્‌યું છે કે કેમ?
(૯) એક માણસ બીજા માણસ ને મારવા ગયો. ત્યાં તે જેને મારવો તે ન મર્યો, અને બીજા માણસ
એકદમ આડો આવી ગયો અને મરી ગયો, એમ બને છે કે કેમ?
(૧૦) આ સાલમાં જ બંગાળામાં અનાજની અછત એટલી થઈ પડી કે કરુણા બુદ્ધિ જીવો અનાજ પોતાથી
બને તેટલા ને પુરું પાડવા માગતા હતાં, છતાં તેમની ધારણા પ્રમાણે પુરું ન પડ્યું, એમ બન્યું હતું કે કેમ?
પહેલો મિત્ર–આ બધાં દ્રષ્ટાંતો મેં વિચાર્યા. તે ખરાં છે, તે ઉપરથી નીચેના સિદ્ધાંતો નીકળે છે.
૧ જીવ પોતે શુદ્ધ, શુભ કે અશુભ ભાવ કરી શકે દ્રષ્ટાંતોનો વિભાગ નીચે પ્રમાણે થઈ શકે:–
શુદ્ધ શુભ અશુભ
૧–૩–૪
૨–૫–૯
૭–૮ ૬–૧૦
૨ પરવસ્તુનું પરિણમન (અવસ્થા) આ જીવને આધિન નથી.
૩ જે જીવતા રહ્યા તેનું શરીર અને જીવ તે વખતે નોખા પડવા લાયક ન હોતા.
૪ જે મરણ પામ્યા તેનું શરીર અને જીવ તે વખતે નોખા લાયક હતા.
૫ પર ઉપર કોઈનો અધિકાર ચાલતો નથી તેથી પિતા–પુત્રને, શિક્ષક– વિદ્યાર્થીને કે તીર્થંકર કેવળી કોઈ
બીજાનું કાંઈ કરી શકતા નથી, પણ પોતે પોતાની અંદર પોતાના ભાવનો પોતે પુરુષાર્થ કરી શકે છે.
બીજો મિત્ર–ત્યારે કહો કે પરનું બીજો કોઈ ભલું–ભુંડું કરી શકે એ માન્યતા ખરી છે?
પહેલો મિત્ર–જરા પણ નહીં લોકમાં ચાલતી માન્યતા કે હું પરનું કાંઈ કરી શકું તે ખોટી છે અંગ્રેજીમાં
પણ કહેવત છે કે:– Man Proposes, God disposes મનુષ્ય ભાવના કરે, કુદરતના કાયદાને અનુસરીને થવું
હોય તેમ થાય (અહીં GOD નો અર્થ ‘પદાર્થોના નિયમ’ એમ લેવો)
બીજો મિત્ર–તે ખોટી માન્યતાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે, કહો તે પાપ ખરૂં કે કેમ? પહેલો મિત્ર–
જરૂર તે પાપ છે.
બીજો મિત્ર–કહો ત્યારે પુણ્યની જે માન્યતા લોકિકમાં છે તે માન્યતાપૂર્વક થતા શુભભાવમાં આ ખોટી
માન્યતાનું પાપ સાથે આવ્યું કે નહીં?
પહેલો મિત્ર–આવ્યું, અને તે પુણ્યના સાચા હિમાયતીએ ટાળવું જ જોઈએ.
બીજો મિત્ર–પણ તે મહાપાપ શા માટે તેનો નિર્ણય કર્યો છે.
પહેલો મિત્ર–ના–વખત ઘણો થયો છે. તેથી હવે ફરી મળીશું ત્યારે વિચારશું–
બીજો મિત્ર–બહુ સારું.
(બંને મિત્રો જુદા પડ્યા.)
સુખ એટલે શું?
આત્માનું સ્વાસ્થ્ય એજ સુખ. સ્વાસ્થ્ય એટલે–આત્માનુંઃલક્ષ પરમાં ન જવું અને પોતામાં ટકી રહેવું–તે
સુખ છે. સુખનું લક્ષણ (નિશાની) આકુળતા રહિતપણું છે પોતાના સુખસ્વરૂપનું ભાન એજ સુખ છે.
સુખસ્વરૂપના ભાન વિના કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈને પણ સુખ હોઈ શકે નહીં.
દુઃખ એટલે શું?
પોતામાં પોતાનું સુખ છે તે ભૂલીને પરવસ્તુમાં પોતાની સુખબુદ્ધિ એ જ દુઃખ છે. આત્માને પોતાના સુખ
માટે પર વસ્તુની ઈચ્છા એ જ દુઃખ છે.
આત્મા પોતાના દુઃખ રહિત સુખ સ્વરૂપને જાણતો નથી એટલે પોતાનું સુખ પરથી (પરના આધારે)
માને છે તે માન્યતા જ દુઃખનું કારણ છે.