Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
૨૦૦૦: શ્રાવણ: આત્મધર્મ : ૧૫૫ :
પરના કર્તૃત્વના મહાઅહંકારરૂપ અજ્ઞાનાંધકાર એવો જે અજ્ઞાનીનો પ્રતિભાસ તે
‘વ્યવહર’
પ્રશ્ન:– શાસ્ત્રોમાં ‘વ્યવહાર’ શબ્દ ઘણે ઠેકાણે વાપરવામાં આવે છે તેનો અર્થ શું છે?
ઉત્તર:– ‘વ્યવહાર’ શબ્દના ઘણા અર્થ થાય છે; તેમાં ‘અજ્ઞાનીની પરના કર્તૃત્ત્વની ખોટી માન્યતા
(પ્રતિભાસ) તે વ્યવહાર’ એવો એક અર્થ થાય છે.
પ્રશ્ન:– વ્યવહારનો જે અર્થ કર્યો તે બરાબર સમજાય તે માટે વિશેષ સ્પષ્ટ કરો.
ઉત્તર:– ખરેખર જીવની પ્રવૃત્તિ (ક્રિયા) અને જડ પદાર્થોની પ્રવૃત્તિ (ક્રિયા) ભિન્ન–તદ્ન જુદી છે; પણ
જીવ સાચું જ્ઞાન પ્રગટ ન કરે ત્યાં સુધી તે સ્થુળ દ્રષ્ટિથી જુએ છે અને તેથી તેમની પ્રવૃત્તિ જુદી જુદી હોવા છતાં
એક જેવી દેખાય છે. અજ્ઞાન દશામાં જીવને જીવ અને જડ પદાર્થોનું ભેદજ્ઞાન [સાચું જ્ઞાન] નહિ હોવાથી
ઉપલક દ્રષ્ટિએ ઉપરછલું જેવું દેખાય તેવું (ઊંડો વિચાર કર્યા વગર) તે માની લે છે, અને તેથી તે એમ માને છે
કે જીવ જડકર્મને કરે છે અને ભોગવે છે; શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવી જીવનું સાચું સ્વરૂપ બતાવીને અજ્ઞાનીના એ
પ્રતિભાસને “વ્યવહાર” કહે છે.
પ્રશ્ન:– અજ્ઞાન દશામાં જીવ કર્તાપણાના સંબંધમાં શું અને કયારથી માને છે?
ઉત્તર:– આ જગતમાં અજ્ઞાન દશામાં જીવોનો “પરદ્રવ્યને અથવા તેની અવસ્થાને હું કરૂં છું.” એવા
પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર (કે જે અત્યંત અનંત પુરુષાર્થથી ટાળી શકાય છે તે)
અનાદિ સંસારથી ચાલ્યો આવે છે.
પ્રશ્ન:– એક વસ્તુ (જીવ) પર વસ્તુ (જડ) નું કાંઈ કેમ ન કરી શકે? એ સમજાવો.
ઉત્તર:– દરેક વસ્તુ પોતાથી પોતાના વસ્તુપણે (દ્રવ્યે), પોતાથી પોતાના પ્રદેશપણે (ક્ષેત્રે–આકારે,)
પોતાથી પોતાની અવસ્થાપણે (કાળે), અને પોતે પોતાથી પોતાના ગુણપણે (ભાવે) છે; અને તે વસ્તુ
પરવસ્તુના દ્રવ્યે–ક્ષેત્રે–કાળે અને ભાવે નથી. હવે જે એક વસ્તુ બીજી વસ્તુમાં દ્રવ્યે–ક્ષેત્રે–કાળે અને ભાવે નથી તે
બીજાને શું કરી શકે? કાંઈ જ ન કરી શકે એ સ્પષ્ટ છે.
જે જે વસ્તુઓ છે તે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્નેના ક્ષેત્રો ભિન્ન જ રહે છે. આ
પ્રમાણે સ્વક્ષેત્રે દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી, તથા સ્વદ્રવ્યે દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી, તથા સ્વકાળે
દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી, તથા સ્વભાવે દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી કોઈ દ્રવ્ય–કોઈ ગુણ કે કોઈ
પર્યાય પરનું કાંઈ કરી શકે નહીં.
પ્રશ્ન:– ત્યારે જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે એમ માનવું તે મહાઅહંકાર છે?
ઉત્તર:– હા, તેમ જ છે. પોતે પરનું કાંઈ કરી શકતો નથી છતાં કરું છું એમ માને છે તેથી તેને ‘અહંકાર’
કહેવામાં આવે છે, અને તે ખોટી માન્યતા અનંત સંસારનું [દુઃખનું] કારણ છે, અને તેને ટાળવા માટે અનંત
પુરુષાર્થની જરૂર છે તેથી તેને ‘મહા’ કહેવામાં આવે છે.
પ્રશ્ન:– આ મહા અહંકારને અજ્ઞાન અંધકાર કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:– કારણ કે પોતે પોતાનું સાચું જ્ઞાન કર્યું નહીં અને મહાન ભૂલ કરી તેથી તેને મહા અહંકારરૂપ
અજ્ઞાન અંધકાર કહેવામાં આવે છે.
પ્રશ્ન:– ત્યારે તો એમ થયું કે મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકારને અજ્ઞાનીનો પ્રતિભાસ અને તે પ્રતિભાસને
‘વ્યવહાર’ કહેવામાં આવે છે એમ ઠર્યું–એ ખરૂં?
ઉત્તર:– હા, તેમ જ છે.
પ્રશ્ન:– આ બાબતમાં જે શાસ્ત્રાધાર હોય તે જણાવો!
ઉત્તર:– હા, શાસ્ત્રાધાર છે. શ્રી સમયસારની ગાથા ૮૪ થી ૮૬ તેની ટીકા ભાવાર્થ અને કલશ ૫૧ થી
૫૬ (પાનાં–૧૨૩ થી ૧૨૮ સુધી) વાંચીને વિચારવાથી વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે સમજી શકાશે.
પ્રશ્ન:– આ મહા અહંકારને ટાળવાનો ઉપાય શું છે?
ઉત્તર:– આ મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર તે અજ્ઞાનીનો પ્રતિભાસ છે, તેથી તેને વ્યવહાર કહેવામાં
આવે છે. માટે વ્યવહારને જેમ છે તેમ જાણી તેનો આશ્રય છોડવાથી અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે
નહીં એમ નક્કી કરી પોતાના ત્રિકાળી ધુ્રવ સ્વભાવનો આશ્રય લેવાથી