: કારતક : ૨૦૦૧ આત્મધર્મ : ૭ :
શકે નહીં. આમાં સ્વતંત્રતાની જાહેરાત કરે છે.
ઉપાદાન દ્રષ્ટિ તે યથાર્થ દ્રષ્ટિ છે. એક વસ્તુ સ્વતંત્ર છે તેમાં બીજો કરી શું શકે? માટીમાંથી ઘડો થાય છે
તે ક્રમ પૂર્વક માટીમાંથી પર્યાય આવે છે. ક્રમપૂર્વક ઘડાની પર્યાય થવાનું ટાણું આવે ત્યારે કુંભાર હોય, છતાં
માટીમાંથી ક્રમબદ્ધ પર્યાય થાય તે તેના માટીના પોતાના કારણે થાય છે; નહીં કે કુંભારને કારણે
પ્રશ્ન:– કોઈ કહે કે કુંભાર હાજર ન હોય તો?
ઉત્તર:– ઘડો ન થવાનો હોય ને માટીનો પિંડ રહેવાનો હોય તો તે પણ ક્રમસર જ છે. તે ક્રમ તોડવાને
અજ્ઞાની, જ્ઞાની કે તીર્થંકર કોઈની તાકાત નથી.
કાંઈ અકસ્માત થાય તો કોઈને એમ થાય કે આ અકસ્માત કેમ થયું? પણ અકસ્માત્ કાંઈ થતું જ નથી.
તે તેના ક્રમબદ્ધ અવસ્થાના નિયમ પ્રમાણે જ થાય છે. આવો વસ્તુનો નિયમ સમજે તેને વીતરાગ દ્રષ્ટિ થયા
વગર રહેજ નહીં વીતરાગ સ્વભાવ સમજે તેને વીતરાગતાનું કાર્ય આવ્યા વગર રહે જ નહીં.
પરનું હું કાંઈ કરી શકું નહીં, અને પર મારું કાંઈ કરી શકે નહીં, બધા આત્માની અને જડની એક પછી
એક ક્રમસર અવસ્થા થાય છે એમાં હું શું કરૂં? તેમ સમજતાં ફટ શાંતિ થાય છે. અહીંયા તો કહેવું છે કે પર
ઉપરનું વલણ છોડ, કારણકે જ્યાં જેની દ્રષ્ટિ ત્યાં તે તરફની તેની ક્રમબદ્ધ પર્યાય થાય છે. બીજાનું કર્તાપણું
છોડતાં અનંતો પુરુષાર્થ આવી જાય છે.
ઓળખી લેજો
અનેકાન્તવાદ અને ફુદડીવાદ.
૧. આત્મા પોતાપણે છે અને પરપણે નથી એનું નામ અનેકાન્તવાદ.
આત્મા પોતાપણે છે અને પરપણે પણ છે એનું નામ ફૂદડીવાદ.
૨. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું નથી કરી શકતો એનું નામ અનેકાન્તવાદ.
આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે એનું નામ ફૂદડીવાદ.
૩. આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ ન થાય એનું નામ અનેકાન્તવાદ.
આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય એનું નામ ફૂદડીવાદ.
૪. નિશ્ચયના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય એનું નામ અનેકાન્તવાદ.
નિશ્ચયના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય એનું નામ ફૂદડીવાદ.
પ. વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે તેનું નામ અનેકાન્તવાદ.
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે તેનું નામ ફૂદડીવાદ.
૬. આત્માને પોતાના ભાવથી લાભ થાય અને શરીરની ક્રિયાથી લાભ ન થાય એનું નામ અનેકાન્તવાદ.
આત્માને પોતાના ભાવથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એનું નામ ફૂદડી વાદ.
૭. એક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે અનેકાન્તવાદ.
એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને બે વસ્તુને એક બતાવે તે ફૂદડીવાદ.
૮. સ્યાદ્વાદ દ્વારા બધી વસ્તુઓના સ્વરૂપને સત્યરૂપે બતાવનારૂં સર્વજ્ઞ ભગવાનનું અબાધિત સાધન તે અનેકાન્તવાદ.
અસત્યાર્થ કલ્પનાથી એક વસ્તુના સ્વરૂપને બીજા પણે બતાવનારૂં મિથ્યાવાદીઓનું સાધન તે ફૂદડીવાદ.
૯. જૈનશાસનનો ‘ટ્રેઈડમાર્ક’ એટલે અનેકાન્તવાદ. જૈનશાસનનો કટ્ટર દુશ્મન એટલે ફૂદડીવાદ.
૧૦. વસ્તુનું સ્વયમેવ પ્રકાશતું સ્વરૂપ એટલે અનેકાન્તવાદ. વસ્તુના સ્વરૂપમાં મિથ્યાકલ્પના વાદીઓએ
માનેલી કલ્પના એટલે ફૂદડીવાદ.