અને જ્યારે સ્વ તરફ લક્ષ કરીને સ્વમાં દ્રઢતા કરે ત્યારે મુક્તિ છે. કાં તો
સ્વ તરફનો ઉપયોગ અને દ્રઢતા, અથવા તો પર તરફનો ઉપયોગ અને
દ્રઢતા એ સિવાય બીજું કાંઈ પણ અનાદિથી કોઈ જીવ કરી શક્યો નથી
અને અનંત કાળમાં કદી પણ કરી શકશે નહિ.
દ્રઢતા કરવી. એ રીતે ઉપયોગ ફેરવવાની વાત છે–અને તે વાતને
શાસ્ત્રોમાં અનેક પડખેથી સમજાવવામાં આવે છે.
સિવાય બીજું કાંઈ કોઈ જીવ કરી શકતો નથી. ફેર એટલો છે કે–નિગોદ
વગેરે સંસારી જીવો પોતાનો ઉપયોગ પર તરફ કરીને પર ભાવમાં એકાગ્ર
થાય છે–જ્યારે સિદ્ધ ભગવાન વગેરે પોતાના શુદ્ધસ્વભાવમાં ઉપયોગ
ઢાળીને સ્વભાવમાં એકાગ્ર થાય છે. પરંતુ સિદ્ધ કે નિગોદ કોઈ પણ જીવ
ઉપયોગ સિવાય પરનું કાંઈ પણ કરી શકતો નથી. સ્ત્રી–કુટુંબ–લક્ષ્મી કે
દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે બધા પર છે–તેનું આત્મા કાંઈ કરી શકે નહિ.
આત્મા માત્ર તે તરફનો શુભ કે અશુભ ઉપયોગ કરે. પરંતુ શુભ કે
અશુભ એ બંને ઉપયોગ પર તરફના હોવાથી તેને ‘અશુધ્ધ ઉપયોગ’
અને સ્વતરફનો ઉપયોગ તે ‘શુદ્ધ ઉપયોગ’ કહેવાય છે. આ સંબંધમાં
એવો સિદ્ધાંત છે કે–પર લક્ષે બંધન અને સ્વલક્ષે મુક્તિ. જ્યાં પરલક્ષ થયું
ત્યાં શુભભાવ હોય તોપણ તે અશુદ્ધ ઉપયોગ જ છે અને તે સંસારનું
કારણ છે, અને સ્વલક્ષ હોય ત્યાં શુદ્ધોપયોગ જ છે અને તે મુક્તિનું કારણ
છે.