Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
આ પ્રમાણે ૧–જીવ પર્યાપ્ત, ૨–જીવ અપર્યાપ્ત, ૩–જીવ સૂક્ષ્મ ૪–જીવ બાદર અને પ–જીવ એકેન્દ્રિય વગેરે વ્યવહાર
કથનના અર્થ ઉપર મુજબ ૧–જીવ ચેતનમય છે, પર્યાપ્ત નથી, ૨–જીવ ચેતનમય છે, અપર્યાપ્ત નથી, ૩–જીવ ચેતનમય છે, બાદર
નથી, ૪–જીવ ચેતનમય છે, સૂક્ષ્મ નથી, અને પ–જીવ ચેતનમય છે, એકેન્દ્રિયાદિમય નથી–એમ સમજવું. તથા બીજી હકીકતો
પણ ઉપર મુજબ સમજી લેવી.
આ પ્રકારે લોકમાં વ્યવહાર કથનના જે અર્થ થાય છે–તે ઘીના ઘડાના દ્રષ્ટાંતથી શરૂ કરીને અત્યાર સુધીના દ્રષ્ટાંતોમાં
વિગત પાડી સમજાવ્યા, અને તેવા જ અર્થો શાસ્ત્રમાં થાય છે તે પણ શરૂઆતમાં નિશ્ચય વ્યવહારના કથનના છ બોલોમાં જણાવ્યું છે.
આ ઉપરથી નિશ્ચયનય શું કહે છે તથા વ્યવહારનય શું કહે છે, તથા નિશ્ચયનય વ્યવહારનયને નિષેધે છે–છતાં તે
બન્નેમાં સંધિ (અવિરોધપણું) કેવી રીતે છે, તે ઉપર કહ્યું, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે તે સિદ્ધાંતનો દાખલાઓ
આપી સમજાવ્યો છે. રા. મા. દોશી
[ઉપર પ્રમાણે નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ જાણીને નિશ્ચય શું છે તે સમજવું; અને વ્યવહારના કથનને નિશ્ચયના અર્થમાં
ફેરવીને સમજવું તે જ વ્યવહારનું સ્થાપન છે, અને તેમાં જ વ્યવહારનો સ્વીકાર છે. પણ જો વ્યવહાર કથન પ્રમાણે જ નિશ્ચય
સ્વરૂપ માની લેવામાં આવે તો વ્યવહાર પોતે જ નિશ્ચય થઈ જાય એટલે કે વ્યવહારનો લોપ થાય–તે જ વ્યવહારનું ઉથાપન છે.
માટે ઉપર બતાવ્યા પ્રમાણે વ્યવહારના અર્થ સમજવા તે જ બન્ને નયોની સંધિ છે.] સં.
: ૧૨૨ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
શ્રી સર્વજ્ઞાય નમ: ।। ।। શ્રી વીતરાગાય નમ:
સત્શ્રુત પ્રભાવના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા સં. ૨૦૦૦ ના ચૈત્ર સુદ ૧૩ થી સં. ૨૦૦૧ ના ચૈત્ર સુદ ૧૩ સુધીમાં
નીચેના ૧૩ સત્શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં છે.
સતશાસ્ત્રોની વિગત
નં. સત્શાસ્ત્રનું નામ કિંમત પ્રસિદ્ધિની મિતિ છપાયેલ પ્રત વેચાયેલ પ્રત
૧ સત્તાસ્વરૂપ ૦–૯–૦ ચૈત્ર સુદ ૧૩ એક હજાર ૮૬૦
૨ દ્રવ્ય–સંગ્રહ ૦–૭–૦ જેઠ સુદ ૫ એક હજાર ૭૦૦
૩ અપૂર્વ અવસર પર પ્રવચનો ૦–૮–૦ અષાડ વદ ૧ બે હજાર ૧૦૦૦
૪ આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો ૩–૮–૦ આસો સુદ પ એક હજાર ૪૫૦
(આવૃત્તિ બીજી)
૫ મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦ આસો સુદ ૧૫ એક હજાર ૩૦૦
(ગુજરાતી બીજી આવૃત્તિ)
૬ જૈન સિદ્ધાંત પ્રવેશિકા
૦–૮–૦ આસો વદ ૨ એક હજાર ૫૦૦
(ગુજરાતી આવૃત્તિ બીજી)
૭ સંજીવની (આવૃત્તિ બીજી)
શ્રાવણ વદ ૧૩ એક હજાર ૧૦૦૦
[સમયસાર ગાથા ૧૧ પર પ્રવચનો] પાદરાવાળા વકીલ વલમજી રામજીના સુપુત્રો મારફત ભેટ–
૮ પદ્મનંદી–આલોચના ૦–૨–૦ શ્રાવણ વદ ૧૩
જૈન અતિથિ સેવા સમિતિના સભ્યોને પોરબંદરવાળા પ્રાણલાલ હરજીવન તરફથી ભેટ
૯ સર્વ સામાન્ય પ્રતિક્રમણ
૦–૮–૦ શ્રાવણ વદ ૧૩ એક હજાર ૪૦૦
(બીજી આવૃત્તિ)
૧૦ અમૃતવાણી ૦–૬–૦ કારતક સુદ ૧૫ બે હજાર ૧૫૦૦
(સમયસાર ગાથા ૧૪ પર પ્રવચનો) આત્મધર્મના ગ્રાહકોને ભેટ
૧૧ સમયસાર પ્રવચનો ૩–૦–૦ ફાગણ સુદ ૨ બે હજાર ૧૦૦૦
૧૨ મોક્ષની ક્રિયા ૦–૧૦–૦ ફાગણ સુદ ૨ એક હજાર ૬૫૦
૧૩ છ ઢાળા ૦–૧૨–૦ ચૈત્ર સુદ ૧૩ એક હજાર ૨૦૦
ઉપરની વિગતથી માલુમ પડશે કે આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થતા સત્શાસ્ત્રો તરફ સમાજની રુચિ વધતી જાય છે, અને
તેની માંગ સતત્ ચાલુ રહે છે; તેથી આ સત્શાસ્ત્રોમાં શું શું વિષયો આવે છે તે ટુંકમાં જણાવવાની જરૂર છે કે જેથી
જિજ્ઞાસુઓનું તે તરફ વલણ વધે.
૧–સત્તાસ્વરૂપ
નિર્ણય વગર અને અરિહંત સ્વરૂપ સમજ્યા વિના દેવદર્શન, પુજા, સ્તોત્ર, વ્રત, તપ, પ્રત્યાખ્યાનાદિ સર્વે મિથ્યા છે કેમકે જેના
દર્શનાદિ કરવાં છે તેના સ્વરૂપના નિર્ણય વગર તે સાચાં દર્શનાદિ શી રીતે કરી શકે?
માટે–દરેક મનુષ્યે તત્ત્વનિર્ણય પ્રથમ કરવાની જરૂર છે; અને તે બાળક–વૃદ્ધ, રોગી–નિરોગી, તવંગર ગરીબ સુક્ષેત્રી–
કુક્ષેત્રી તમામ આ કાળે પણ તત્ત્વ નિર્ણય