Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
[અનુસંધાન પાન છેલ્લાનું]
ણતા છે એવા સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર તો ક્યાંથી પ્રગટશે?
અહો! જગતને વસ્ત્ર,
મકાન, ધન વગેરેમાં મોટપ લાગે
છે પણ જેઓ જગતનું કલ્યણ કરી
રહ્યા છે એવા દેવ–ગુરુ–શાસ્ત્રને
માટે ભક્તિ–અર્પણતા આવતી
નથી! તે વગર ઉદ્ધારના ટાણા
ક્યાં?
પ્રશ્ન:– આત્માના સ્વરૂપમાં
રાગ નથી છતાં દેવ–ગુરુ–શાસ્ત્રનો
શુભ રાગ કરવાનું કેમ કહો છો?
ઉત્તર:– જેમ, કોઈ મ્લેચ્છને
માંસ છોડાવવા માટે તેની સાથે
મ્લેચ્છ ભાષા વાપરવી પણ પડે
પરંતુ તેથી કાંઈ બ્રાહ્મણનું
બ્રાહ્મણપણું ચાલ્યું જાય નહિ તેમ
તદ્ન રાગ છોડાવવા માટે જે તીવ્ર
અશુભરાગમાં છે તેને પ્રથમ તો
રાગની દીશા બદલાવવા દેવ–ગુરુ–
ધર્મ પ્રત્યે શુભ રાગ કરવાનું
કહેવાય (ત્યાં રાગ કરાવવાનો હેતુ
નથી પણ રાગ છોડાવવાનો હેતુ છે;
જે રાગ ટળ્‌યો તેટલું પ્રયોજન છે,
રાગ રહે તે પ્રયોજન નથી) પછી
“દેવ–ગુરુ–શાસ્ત્રનો શુભરાગ પણ
મારૂં સ્વરૂપ નહિ” એમ રાગનો
નકાર કરી વીતરાગ સ્વરૂપની શ્રદ્ધા
કરે છે.
પ્રભુ! તારી પ્રભુતા
પ્રગટાવવા માટે પહેલાંં જેમણે
પ્રભુતા ઉઘાડી છે એવા દેવ–ગુરુની
ભક્તિ, મોટપ ન આવે અને
જગતની મોટપ આવે ત્યાં સુધી
તારી પ્રભુતા ઉઘડશે નહિ. દેવ–
ગુરુ–શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા તો
જીવ અનંતવાર કરી ચૂક્યો છે. પણ
આ આત્માની શ્રદ્ધા અનંતકાળથી
કરી નથી–પરમાર્થ સમજયો નથી.
શુભ રાગમાં અટકી ગયો.
શ્રી સુવર્ણપુરીમાં ઉજવામાં આવતા મહા માંગલિક
મ.હ.ત્સ.વ.દ.ન
કાર્તિક શુદી ૧ (૧) બેસતું વર્ષ
(૨) શ્રી સમયસારજીનું ગુજરાતીમાં પ્રાગટય.
(સં. ૧૯૯૭)
માગશર શુદી ૧૦ (૧) શ્રી સ્વાધ્યાય મંદિરનું ખાત મુહુર્ત (સં. ૧૯૯૪)
(૨) શ્રી દેરાસરજીના નિજમંદિરનું ખાત મુહુર્ત
(સં. ૧૯૯૭)
પોષ વદી ૮ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવની આચાર્ય પદવી.
ફાગણ શુદી ૨ ભગવાન શ્રી સીમંધર સ્વામીના જૈનમંદિર
(દેરાસરજી) નો પ્રતિષ્ઠા ઉત્સવ (સં. ૧૯૯૭)
ફાગણ વદ ૧ શ્રી સ્વાધ્યાય મંદિરમાં “કારની સ્થાપના
(સં. ૧૯૯૫)
ફાગણ વદ ૩ જગત ઉદ્ધારક ગુરુદેવશ્રી કાનજી સ્વામી શ્રી સુવર્ણપુરી
પધાર્યા (સં. ૧૯૯૫)
ચૈત્ર સુદ ૧૩ (૧) જગત શીરોમણિ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર
સ્વામીનો જન્મ કલ્યાણક
(૨) વિશ્વવંદ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીનો પવિત્ર
પરિવર્તન દિવસ (સં. ૧૯૯૧)
વૈશાખ સુદી ૨ વિશ્વ વંદનીય ગુરુદેવશ્રી કાનજી સ્વામીનો જન્મ દિવસ
(સં. ૧૯૪૬ શ્રી ઉમરાળા)
વૈશાખ સુદી ૧૦ જગતવંદ્ય શ્રી મહાવીર ભગવાનનો કેવળ કલ્યાણક.
વૈશાખ વદી ૬ શ્રી સમવસરણજી (ધર્મસભા) ની પ્રતિષ્ઠા
(સં. ૧૯૯૮)
વૈશાખ વદી ૮ (૧) શ્રી સમયસારજીની પ્રતિષ્ઠા (સં. ૧૯૯૪)
(૨) શ્રી સ્વાધ્યાય મંદિરની ઉદ્ઘાટન ક્રિયા
(સં. ૧૯૯૪)
જેઠ સુદી શ્રુતપંચમી
અષાડ વદી ૧ જગત શીરોમણિ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પ્રભુની
દિવ્ય ધ્વનિ છૂટી.
ભાદરવા સુદી પ ઋષિપંચમી
શ્રી પયુર્ષણપર્વ પ્રારંભ
ભાદરવા સુદી ૧૪ અનંત ચર્તુદશી
શ્રી પર્યુષણપર્વ પૂર્ણ
આસો સુદી ૧૦ વિજ્યાદશમી
આસો વદી ૩૦ ભગવાન શ્રી મહાવીર પ્રભુનો નિર્વાણ કલ્યાણક
* સુધારો અંક – ૧૯ *
આત્મધર્મ અંક ૧૯ પાનું–૧૧૦ કોલમ–૧ લીંટી ૨૦–૨૧–૨૨
અશુદ્ધ– (અહીં કેવળજ્ઞાન એટલે કેવળ પર્યાય નહિ પણ સામાન્ય
જ્ઞાન એ અર્થ છે.)
શુદ્ધ– (અહીં કેવળજ્ઞાન એટલે કેવળ પર્યાય–જ્ઞાનની પૂર્ણ નિર્મળ
દશા–એ અર્થ છે.)