Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૧૨૦ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
નિશ્ચય અને વ્યવહાર
૧. નિશ્ચય કહે છે કે–હું સ્વદ્રવ્ય
આશ્રયે છું તેથી મારા શબ્દોનો જેમ છે
તેમ અર્થ કરવો તે ખરૂં છે.
વ્યવહાર કહે છે કે–હું
પર્યાયાશ્રિત છું માટે મારા કથનનો
શબ્દાર્થ કરવો તે ખોટું છે.
૨. નિશ્ચય–જીવના સ્વાભાવિક
ભાવને અવલંબીને હું પ્રવર્તું છું.
વ્યવહાર–હું તો જીવના
ઔપાધિક ભાવને (અપૂર્ણ–હીણી દશા,
વર્ણાદિક પર વસ્તુ કે નિમિત્તને)
અવલંબીને વર્તું છું.
૩. નિશ્ચય–વ્યવહાર જે કહે છે
તેનો શબ્દાર્થ ખરો નથી તેથી તે
શબ્દાર્થનો હું નિષેધ કરૂં છુ; વ્યવહાર તો
ટુંકી કથન પદ્ધતિ છે.
વ્યવહાર–હું પર દ્રવ્યને
અવલંબીને વર્તું છું. માટે હું જે કથન કરૂં
છું તેનો શબ્દાર્થ ખરો નથી; તેથી તે
શબ્દાર્થને નિશ્ચયનય નિષેધે છે.
૪. નિશ્ચય–જે વ્યવહારના
શબ્દો છે તે બીજા () ના ભાવને
બીજા () નો ભાવ કહે છે તેથી તેને
કહેનારા ટુંકામાં જે શબ્દો છે તે પ્રમાણે
અર્થ કરવામાં આવે–તેને હું નિષેધું છું.
વ્યવહાર–મારા જે શબ્દો છે તે
બીજા () ના ભાવને બીજા () નો
ભાવ કહે છે. તેથી મારા ટુંકામાં જે શબ્દો
છે તે પ્રમાણે તેનો અર્થ કરવાનું નિશ્ચય
નિષેધે છે તે બરાબર છે.
પ. નિશ્ચય–હું બીજાના ભાવને
બીજાનો કહેતો નથી. તેથી મારા જે
શબ્દો છે તેમ જ ખરો અર્થ માનવો.
વ્યવહાર–જે ભાવ જેમ છે તેમ
હું કહેતો નથી, પણ જે ભાવ જેમ છે તેમ
નિશ્ચય કહે છે; માટે મારા કથનમાંથી
પણ નિશ્ચય પ્રમાણે જ અર્થ કાઢવો.
૬. નિશ્ચય–મારા કથનનો અર્થ
જેમ છે તેમ જ કરવો, પણ વ્યવહાર
કથનનો અર્થ એમ કરવો જોઈએ કે તે
એક સમયની અધૂરી પર્યાય, વિકારી
પર્યાય, પર દ્રવ્ય અથવા નિમિત્ત શું છે
તે જ માત્ર કહે છે, માટે તેનો તે મુજબ
અર્થ કરવો તે જ સત્ય છે.
વ્યવહાર–મારા કથનનો અર્થ
એમ કરવો જોઈએ કે–હું એક સમયની
અધૂરી પર્યાય, વિકારી પર્યાય, પરદ્રવ્ય,
અથવા નિમિત્ત શું ચીજ છે તે કહું છું,
તેથી તેટલા પૂરતો જ અર્થ કરવો તે
ખરૂં છે. મારો શબ્દ મુજબ અર્થ કરવો
તે ખોટું છે.
[આધારો માટે જુઓ
સમયસાર ગાથા ૫૬ થી ૬૦ તથા ૬૬
થી ૬૮
]
નિશ્ચય અને વ્યવહારના
ઉપરના કથનથી સિદ્ધ થાય છે કે–
નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે.
તેથી નિશ્ચયના અર્થ કઈ રીતે સમજવા
અને વ્યવહાર કથનના અર્થને કઈ રીતે
ફેરવી નાખવા તે નીચે દ્રષ્ટાંત દ્વારા
સમજાવવામાં આવે છે.
અજીવ વ્યવહાર નિશ્ચયનું કથન નિશ્ચય વ્યવહારની સંધિ વ્યવહારના કથનનો ખરો
નાં અર્થ
દ્રષ્ટાંતો નું કથન અને વ્યવહારનો નિષેધ
ઘીનો ઘડો ઘડો માટીમય છે ઘી અને ઘડો એક ઘડો માટીનો છે. ઘીનો
ઘી–મય નથી. જગાએ રહેલા છે, સ્વ નથી. પરંતુ ઘડો અને
ક્ષેત્રે બન્ને ભિન્ન છે. ઘી એક ક્ષેત્રે રહેલાં છે
તેટલો અર્થ ખરો, પણ
ઘડો ઘીનો નથી; એટલે
ભાષાના કથન પ્રમાણે
અર્થ સાચો નથી.
પાણીનો કળશો ધાતુમય છે પાણી અને કળશો એક કળશો ધાતુનો બનેલો
કળશો પાણીમય નથી. આકાશ ક્ષેત્રે અવગાહે છે, પાણીનો નથી. એક
છે, સ્વક્ષેત્રે ભિન્ન છે. જગાએ રહેલાં છે માટે
તેમ બોલાય છે, પણ
તેનો ભાષા પ્રમાણેનો
અર્થ સાચો નથી.
તલવારનું મ્યાન મ્યાન લાકડામય છે ઉપર પ્રમાણે સમજી લેવું ઉપર પ્રમાણે સમજી લેવું
તલવારમય નથી.
૪ ગાદલાનો ઓછાડ પોતાના
ઓછાડ વસ્ત્રમય છે–ગાદલામય નથી.
દવાની શીશી શીશી કાચમય છે, દવામય નથી.
દાગીનાની તીજોરી લોઢામય છે
તિજોરી દાગીનામય નથી.
રૂપીયાની પેટી પેટી લાકડામય છે રૂપીયામય નથી.
ખાટલાની પાટી પાટી સુતરમય છે,
ખાટલામય નથી.