Atmadharma magazine - Ank 026
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
–:અગૃહીત મિથ્યાત્વ:–
અનાદિથી તું–આત્મા–વસ્તુ છો એટલે “જ્યારથી જન્મું ત્યારથી મરૂં ત્યાં સુધીનો જ હું છું” એવી
માન્યતા છે તે ઊંધી છે, કેમકે જે વસ્તુને કદી કોઈએ ઉત્પન્ન કરી નથી તે વસ્તુનો કદી નાશ જ ન થાય. હું જન્મું
ત્યારથી મરૂં ત્યાર સુધીનો જ છું એવી જીવની મહા ઊંધી માન્યતા છે કેમકે મારા મરણ પછી પૈસા રહેશે તેનું
વીલ કરૂં એમ જીવ માને છે પરંતુ મરણ પછી ક્યાંક જવાનો છું માટે હું મારાં કલ્યાણને માટે કાંઈક કરૂં એમ તે
વિચારતો નથી આ જીવની અનાદિથી ચાલી આવતી, કોઈના શીખવ્યા વગરની મહા ઊંધી માન્યતા છે તેને
અગૃહીત મિથ્યાત્વ કહે છે. આ ઊંધી માન્યતા પોતે પોતાથી કરી છે કોઈએ શીખડાવી નથી; જેમ છોકરાને રડતાં
શીખડાવવું ન પડે તેમ જન્મું–મરૂં ત્યાં સુધીનો હું છું, આવી માન્યતા જીવને કોઈના શીખવ્યા વગર થઈ છે.
શરીર હું છું, પૈસામાં મારૂં સુખ છે–વગેરે પરવસ્તુમાં પોતાપણાની માન્યતા તે અગૃહીત ઊંધી માન્યતા જીવને
અનાદિથી ચાલી આવે છે.
શરીર તે જ હું છું એટલે શરીરની હાલવા–ચાલવાની ક્રિયા હું કરી શકું છું એમ અજ્ઞાની જીવ માને છે
અને શરીરને પોતાનું માનતો હોવાથી તે બહારની જે વસ્તુથી શરીરને સગવડ થતી માને–તેના ઉપર પ્રીતિ, રાગ
આવ્યા વગર રહેતો નથી તેથી તેને અવ્યક્તપણે, પુણ્યથી મને સુખ થાય એવી માન્યતા છે. બહારની સગવડનું
કારણ પુણ્ય છે અને હું પુણ્ય કરૂં તો મને એનું ફળ મળશે એવું કોઈના શીખવ્યા વગરનું અનાદિનું મિથ્યાજ્ઞાન
છે. પુણ્યથી મને લાભ થાય અને પરનું હું કરી શકું એમ એ અનાદિથી માને છે.
શરીર મારૂં એમ જેણે માન્યું, જો કે પરથી કોઈથી સગવડ થતી નથી તોપણ, જે પદાર્થ વડે તે શરીરને
સગવડ થતી તે માને તેના ઉપર પ્રીતિ થાય જ અને પુણ્ય વડે શરીરની સગવડ મળે એમ તે માનતો હોવાથી
પુણ્યથી લાભ થાય એમ અનાદિથી તે માને છે, એટલે (૧) પુણ્યથી મને લાભ થાય અને (૨) શરીર તે હું
તથા શરીરના કાર્ય હું કરી શકું આવી ઊંધી માન્યતા અનાદિથી કોઈના શીખવ્યા વગર જીવને ચાલી આવે છે. તે
જ મહા ભયંકરમાં ભયંકર દુઃખના કારણરૂપ ભૂલ છે. પાપ કરનાર જીવ પણ પુણ્યથી લાભ માને છે કેમકે તે
પોતે પોતાને પાપી કહેવડાવવા માગતો નથી એટલે કે પોતે પાપ કરતો હોવા છતાં તેને પુણ્ય ભલું લાગે છે, આ
રીતે અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિ જીવ અનાદિથી પુણ્યને સારૂં માને છે.
અનાદિકાળથી જીવે પુણ્ય અર્થાત્ શાસ્ત્રભાષામાં મંદ કષાયમાં લાભ માન્યો છે, શરીર તથા શરીરનાં કામ
મારાં અને શરીરથી તથા પુણ્યથી મને લાભ થાય એમ તે માન્યા જ કરે છે. જેને પોતાનું માને તેને છોડવા જેવું
તે કેમ માને? ન જ માને. આ મહા ભયંકર ભૂલ જગતના નિગોદથી માંડીને સર્વ અજ્ઞાની જીવોને હોય છે તે
અગૃહીત મિથ્યાત્વ છે.
–:ગૃહીત મિથ્યાત્વ:–
નિગોદથી નીકળેલા જીવને કોઈવાર મંદ કષાયથી મન પ્રાપ્ત થયું સંજ્ઞી પંચેન્દ્રિય થયો. વિચાર શક્તિ
પ્રાપ્ત થઈ અને મારૂં દુઃખ કેમ મટે એવા વિચાર ઉપર ચડયો. ત્યારે પ્રથમ “જીવ શું હશે? ” એમ વિચાર કર્યો;
તે નક્કી કરવા માટે બીજા પાસે સાંભળ્‌યું અગર વાંચ્યું. ત્યાં ઉલટું નવું લફરૂં ચોડયું. તે નવું લફરૂં શું? બીજા
પાસે સાંભળીને એમ માનવા લાગ્યો કે જગતમાં બધા થઈને એમ જ જીવ છે, બાકી બધું ભ્રમ છે. કાંતો ગુરુથી
આપણને લાભ થાય, કાંતો ભગવાનની કૃપાથી આપણે તરી જશું, કાંતો કોઈના આશીર્વાદથી કલ્યાણ થઈ જશે,
કાંતો વસ્તુને ક્ષણિક માની વસ્તુઓનો ત્યાગ કરીએ તો લાભ થાય અથવા તો શું જૈનધર્મે–એક જ ધર્મે કાંઈ
સાચાપણાનો ઈજારો રાખ્યો છે? માટે જગતના બધા ધર્મો સાચા છે એમ અનેક પ્રકારે (આત્માની સાચી
સમજણ કરવાને બદલે) બહારનાં નવા લફરાં ગ્રહણ કર્યા. પરંતુ ભાઈ! જેમ ‘એકને એક બે’ એ ત્રણે કાળે
અને સર્વે ક્ષેત્રે એક જ સત્ય છે તેમ જે વસ્તુ સ્વભાવ– વસ્તુધર્મ છે તે જ વીતરાગી વિજ્ઞાન કહે છે માટે તે ત્રણે
કાળે સત્ય જ છે બીજું કાંઈ પણ કથન સત્ય નથી.
અનેક પ્રકારની ઊંધી માન્યતા જન્મ્યા પછી નવી ગ્રહણ કરી તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. તેને
લોકમૂઢતા, દેવ મૂઢતા અને ગુરુ મૂઢતા પણ કહેવાય છે.
લોકમૂઢતા એને કહેવાય છે કે બાપદાદાએ અગર તો કુટુંબના મોટા માણસે કર્યું કે જગતના મોટા આગળ
પડતાં મોટા માણસોએ કર્યું માટે મારે તેમ કરવું; પણ સત્ય શું તે પોતે વિચારશક્તિથી નક્કી ન કર્યું–એ રીતે
પોતાને મન–વિચારવાની શક્તિ મળી હોવા છતાં તેનો સદુપયોગ ન કરતાં તેનો દુરોપયોગ કર્યો. તેથી એના
ફળમાં તેની વિચારશક્તિનું મરણ થયા વગર રહે જ નહિ. મંદ કષાયના ફળરૂપે વિચાર–