‘રાગ’ ની વ્યાપક વ્યાખ્યા
રાગ તે વિકાર હોવાથી
આત્માનું સ્વરૂપ નથી, આત્માનો
સ્વભાવ રાગ રહિત છે; આમ
કહેતાં “સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી,
આબરૂ, માન વગેરેનો પ્રેમ તે
રાગ” એટલી જ રાગની વ્યાખ્યા
લોકો માને છે, અને તેથી સ્ત્રી,
કુટુંબ વગેરેના રાગને છોડીને દેવ–
ગુરુ–ધર્મ પ્રત્યે રાગ કરી તેમાં ધર્મ
માની લ્યે છે, પરંતુ તેમ નથી; જેમ
સ્ત્રી, કુટુંબ, પૈસા ઉપરનો પ્રેમ તે
રાગ છે તેમ દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેનો
પ્રેમ તે પણ રાગ છે, અને તેથી તે
આત્માનું સ્વરૂપ નથી, તે રાગથી
પણ ધર્મ થતો નથી.
સ્ત્રી, કુટુંબ, પૈસા પ્રત્યેના
રાગની અશુભ લાગણી તેમજ
દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પૂજાના
રાગની શુભ લાગણી તે બંને રાગ
છે, અને તે લાગણી પણ છોડીને
આગળ જતાં ‘હું આત્મા છું,
જ્ઞાનસ્વરૂપ છું’ એમ વિચાર કરવો
તેમાં પણ ગુણગુણીભેદનો વિકલ્પ
છે તેથી તે પણ રાગ જ છે. જ્ઞાન
ગુણ આત્માથી જુદો પડતો નથી
છતાં જુદો વિચારમાં લેતાં રાગ
આવે છે. આ રીતે સ્ત્રી–પૈસા વગેરે
તરફનો અશુભરાગ કે દેવ–ગુરુ–
ધર્મ સંબંધી શુભ રાગ તેમ જ
પોતાના આત્મા સંબંધી વિકલ્પનો
શુભ રાગ તે બધોય રાગ જ હોવાથી
બંધનું લક્ષણ છે. શુભ–અશુભરાગ તે
આત્માનું લક્ષણ નથી; શુભઅશુભ
રાગને બાદ કરતાં બાકી જે એકલું
જ્ઞાન રહે છે તે જ આત્માનું લક્ષણ
છે, અને તે જ આત્માનો ધર્મ છે.
આત્માના સ્વરૂપમાંથી બહાર
લક્ષ જઈને જે શુભ કે અશુભ રાગની
વૃત્તિ ઊઠે તે વૃત્તિ આત્માની સ્વતંત્ર
અનાફળ દશાને રોકતી હોવાથી
બંધન છે. એકલા અભેદ
શુદ્ધાત્મસ્વભાવના અનુભવ સિવાય
કોઈ પણ લાગણી ઊઠે તે બધો રાગ
જ છે. રાગની આવી વ્યાપક વ્યાખ્યા
જેઓ સમજતા નથી તેઓ સ્ત્રી,
કુટુંબ, ધન વગેરે તરફનો અશુભરાગ
છોડીને દેવ–ગુરુ ધર્મ પ્રત્યેના
શુભરાગમાં ધર્મ માનીને તે રાગમાં
અટકી જાય છે, પરંતુ આત્માનું
સ્વરૂપ તો બધા પ્રકારના રાગરહિત
છે એને સમજવાનો તેઓ પ્રયત્ન
કરતા નથી, અને તેથી સમ્યગ્દર્શન
થતું નથી.
અનેક ઉપવાસનો શુભરાગ
કરવામાં જે પુણ્ય બંધાય તેના કરતાં
એક સમયના મિથ્યાત્વનું પાપ વધારે
છે; કેમકે ગમે તેટલા ઉપવાસના
પુણ્ય ભેગાં કરવામાં આવે તોપણ
મિથ્યાત્વના મહાપાપને ટાળવા તે
સમર્થ નથી. ઉપવાસનો શુભભાવ
તે રાગ છે અને મિથ્યાત્વ ટાળીને
સમ્યગ્દર્શન કરવું તે ધર્મ છે.
હજારો ઉપવાસ કરતાં
સમ્યગ્દર્શનનું ફળ જુદી જાતનું છે,
કેમકે ઉપવાસના શુભરાગનું ફળ
બંધન છે અને સમ્યગ્દર્શનનું ફળ
મુક્તિ છે. બંધમાર્ગ અને
મુક્તિમાર્ગને જુદા ઓળખવા
જોઈએ.
દેવ–ગુરુ–શાસ્ત્ર તે પર છે,
પર લક્ષે ગમે તેટલો રાગ ઘટાડીને
શુભ રાગ ગમે તેટલો કરે તોપણ
તેનાથી બંધન જ છે, રાગ તે
આત્માના ધર્મનો ઉપાય નથી,
પણ રાગથી વિપરીત લક્ષણવાળું
એવું જ્ઞાન તે જ આત્માના ધર્મનો
ઉપાય છે; માટે રાગ તે આત્મા
નથી અને જ્ઞાન તે આત્મા છે–
એમ સમજણ કરો.
[માગશર સુદ ૯ સં. ૨૦૦૨
સમયસાર]
ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચનમંડપ
૧૦પપ૦૭।। આત્મધર્મ અંક ૨૭ માં જણાવ્યા મુજબ.
૭૨૮/– પોષ વદ ૦)) સુધીમાં નીચે મુજબ આવ્યા.
૨પ/– ગાંધી લલુભાઈ મગનલાલ ચૂડા
૧૦૧/– પારેખ પ્રભુલાલ દેવકરણ રાજકોટ
પ૧/– દેસાઈ રતીલાલ વર્ધમાન મોરબી
પ૧/– ચંદનબેન (દેસાઈ રતીલાલ વર્ધમાનના પુત્ર વધુ)
મોરબી
૨પ૦/– શેઠ વનેચંદ જેચંદ રાજકોટ
૨પ૦/– શેઠ પ્રેમાભાઈ મહાસુખરામ અમદાવાદ
૭૨૮/–
૧૦૬૨૩પ।। એક લાખ છ હજાર બસો સાડી પાંત્રીસ રૂપીયા.
નોટ–હવે પછીની છૂટક રકમો એક સાથે યોગ્ય
સમયે આપવામાં આવશે.
અમ ઘેર પ્રભુજી પધાર્યા
સુવર્ણપુરીમાં સનાતન જૈનમંદિરમાં
દેવાધિદેવ શ્રી સીમંધર ભગવંતની પરમ
પૂજનીક પ્રતિષ્ઠા ફાગણ સુદ ૨ ના રોજ
થયેલી છે; અને દરવર્ષે ફાગણ સુદ ૨ ના
રોજ આ પવિત્ર પ્રસંગ મહોત્સવપૂર્વક
ઉજવામાં આવે છે, આવતા ફાગણ સુદ ૨
ના રોજ તે મહોત્સવ ઉજવામાં આવશે.
સુધારો અંક – ૨૭
આત્મધર્મ અંક ૨૭ પાનું ૬૯ કોલમ ૧ લીટી
૧૧ માં ‘શુભરાગ ઉપર પણ લક્ષ આપતાં’ એમ છે
તેને બદલે ‘શુભરાગ ઉપર પણ લક્ષ ન આપતાં’ એમ
વાંચવું.