Atmadharma magazine - Ank 035
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૯૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૨ :
ઉ. –બધી વસ્તુઓમાં વ્યવસ્થિત
પર્યાય જ થાય છે. કોઈ વસ્તુની
પર્યાય આડી અવળી થતી જ નથી.
વસ્તુની પર્યાય વસ્તુના ગુણોના જ
આધારે થાય છે, દરેક વસ્તુમાં
દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી તે
સ્વયં પરિણમ્યા કરે છે; આ રીતે
વસ્તુનું પરિણમન થવાથી પર્યાય
થાય છે. વસ્તુની પર્યાયનો કોઈ
જુદો કર્તા નથી.
૨૪. પ્ર. –નારકી જીવોને ક્ષણમાં
કેવળજ્ઞાન કેમ થતું નથી? કોઈ
પરવસ્તુ તો આત્માને રોકતી નથી.
ઉ. –નારકી જીવોએ પોતાનો
પુરુષાર્થ ઘણો ઊંધો કર્યો છે અને
તેઓને વિશેષ રાગ ટાળવાનો
વર્તમાન પુરુષાર્થ નથી તેથી
સમ્યગ્દર્શન કરતાં આગળની
ભૂમિકા તેઓને હોતી નથી.
૨૫. પ્ર. –સાચો વિવેક કરનાર
ક્યો ગુણ છે?
ઉ. –આત્માનો જ્ઞાનગુણ જ
સાચો વિવેક કરનાર છે.
૨૬. પ્ર. –બધા આત્મા
જ્ઞાનસ્વરૂપ છે તો પછી જુદાજુદા
શી રીતે ટકી શકે?
ઉ. –બધા આત્મા જ્ઞાનસ્વરૂપે
સરખા હોવા છતાં, તેમનામાં
અગુરુલઘુ ગુણ હોવાથી કોઈ
આત્માનું જ્ઞાન બીજામાં ભળી જતું
નથી. જ્ઞાન ગમે તેટલું વધી જાય
તોપણ તે વધીને બીજા આત્મામાં
ભળી જાય નહિ, અને ગમે તેટલું
ઘટી જાય તોપણ તેનું જ્ઞાનપણું
મટીને તેમાં જડપણું ન આવી જાય.
સિદ્ધનું જ્ઞાન સંપૂર્ણ વિકાસ પામ્યું
હોવા છતાં તે સિદ્ધના આત્માની
બહાર ફેલાઈ ગયું નથી, અને
નિગોદનું જ્ઞાન અત્યંત હીણું થઈ
ગયું હોવા છતાં તે જડરૂપે થઈ જતું
નથી; એવો અગુરુલઘુ ગુણનો
સ્વભાવ છે. (અગુરુલઘુ=મર્યાદાથી
વધી ન જાય અને મર્યાદાથી ઘટી ન
જાય.)
૨૭. પ્ર. – ‘ચેતનપણું’ કહેતાં
આત્મામાં અનંતધર્મો આવશે?
ઉ. –હા, કેમકે અનંત ધર્મો ‘સ્યાત્’
પદથી એકધર્મીમાં અવિરોધપણે રહેલા
છે એમ સમ્યગ્જ્ઞાન દેખે છે. આત્માને
ચેતનસ્વરૂપ કહેવાથી ચેતન સિવાયના
બીજા ધર્મોનો આત્મામાં અભાવ ન
સમજવો પરંતુ ‘સ્યાત્’ પદ વડે એમ
સમજવું કે આત્મામાં ચેતનપણું પણ છે
અને બીજા પણ અનંતગુણો ચેતનપણા
સાથે જ રહેલા છે. આ રીતે સ્યાદ્વાદ
વડે યથાર્થ સમજતાં ‘ચેતનપણું’ કહેતાં
અનંત ધર્મોવાળો આત્મા ખ્યાલમાં
આવે છે.
૨૮. પ્ર. –આત્મા પરને દેખે પરંતુ
પોતે પોતાને કઈ રીતે દેખી શકે? તે
સ્પષ્ટ સમજાવો.
ઉ. –આત્માનો સ્વભાવ જ
જાણવાનો છે તેથી તે સ્વયં પોતે
પોતાને જાણી શકે છે. ‘स्वानुभूत्या
चकासते’ એટલે કે આત્મા પોતાની
નિર્મળ જ્ઞાનદશા વડે જ પોતાના
સ્વરૂપને પ્રકાશનારો (જાણનારો) છે.
આત્માને પોતાનું સ્વરૂપ જાણવા માટે
કોઈ બીજાની મદદ લેવી પડતી નથી.
આત્માના જ્ઞાનનો સ્વભાવ પોતાને
અને બધા પરને જાણવાનો છે.
વળી આત્મામાં પ્રમેયત્વ ગુણ છે
તેથી તે પોતે પોતાના જ્ઞાનનું જ્ઞેય થઈ
શકે છે. જો જ્ઞાન પોતે પોતાને ન જાણે
અને પરને જ જાણે તો પરલક્ષે રાગ
રહ્યા જ કરે અને રાગવાળું જ્ઞાન પુરું
જાણી શકે નહિ. પરંતુ જ્ઞાનનો સ્વભાવ
પોતાના સ્વલક્ષે રાગ તોડવાનો છે.
પોતે પોતાની અનુભૂતિ વડે પોતાને
પ્રકાશે છે અને પોતા સિવાયના અન્ય
સમસ્ત પદાર્થોને પણ જાણે છે.
૨૯. પ્ર. –આત્માના
સ્વચતુષ્ટયનું અને પરચતુષ્ટયનું
સ્વરૂપ સમજાવો.
ઉ. –સ્વચતુષ્ટય એટલે પોતાના
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને
પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન
વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ.
આત્માના સ્વચતુષ્ટય આ પ્રમાણે
છે–
સ્વદ્રવ્ય=સર્વ પર દ્રવ્યોના
સંગથી અને પરભાવથી રહિત
એકરૂપ આત્મા વસ્તુ તે સ્વદ્રવ્ય
છે.
સ્વક્ષેત્ર= પોતાની અવગાહના
પ્રમાણે અસંખ્ય પ્રદેશો તે આત્માનું
સ્વક્ષેત્ર છે.
સ્વકાળ=ઉત્પત્તિ રહિત,
વિનાશ રહિત, અનાદિ અનંત
ટકીને પોતાની સ્વપર્યાયમાં
પરિણમવું તે આત્માનો સ્વકાળ છે.
સ્વભાવ=રાગ–દ્વેષ–અજ્ઞાન
રહિત શુદ્ધચૈતન્ય સ્વરૂપ માત્ર
નિર્વિકલ્પ જ્ઞાતા–દ્રષ્ટા તે આત્માનો
સ્વ ભાવ છે. આ સિવાય બીજું
બધું આત્માની અપેક્ષાએ
પરચતુષ્ટય છે. દરેક વસ્તુમાં
પોતપોતાના સ્વચતુષ્ટય હોય છે.
૩૦. પ્ર. –જડ વસ્તુમાં
સ્વચતુષ્ટય કઈ રીતે હોય?
ઉ. –જડ પરમાણુઓમાં પણ
તેના જડ સ્વચતુષ્ટય હોય છે તે
આ પ્રમાણે–
દ્રવ્ય=વર્ણ, ગંધ વગેરે ગુણ–
પર્યાયોનો પિંડ તે તેનું સ્વદ્રવ્ય છે.
ક્ષેત્ર= પોતાના પ્રદેશત્વગુણની
પર્યાયથી અમુક આકારમાં તેઓ
રહેલાં છે, તેનો આકાર તે તેનું
સ્વક્ષેત્ર.
(પોતાના એક પ્રદેશ રૂપ
સ્વક્ષેત્ર.)