Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮પઃ
જિસે મોત હૈ ઉસકો હૈ મુઝકો કયાઅજર હૂં અમર હૂં ન મરતા કભી
મુઝે તો નહીં ફેર ભય મુઝકો કયા।।ચિદાનંદ શાશ્વત ન ડરતા કભી।।
મેરા નામ તો જીવ હૈ જીવ હૈકિ સંસારકે જીવ મરતે ડરે
ચિરંજીવ ચિરકાલ ચિરજીવ હૂં।।પરમ પદકા શિવલાલ વંદન કરેં।।
* * * * * * *
श्री सर्वज्ञाय नमः।। ।। श्री वीतरागाय नमः
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન થયેલા શ્રી સમયસારજી ગાથા ૧૩ તથા
શ્રી પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રના ઋષભજિનસ્તોત્ર ઉપરનાં
વ્યાખ્યાનો અને ચર્ચાઓનો ટૂંકસાર–લેખાંકઃ પ
(આ લેખના નં. ૭૨ સુધીના ફકરા અંક ૪૦માં આવી ગયા છે. ત્યાર પછી અહીં આપવામાં આવે છે.)
(૭૩) આચાર્યદેવે અનેક પ્રકારે ભગવાનની ભક્તિ કરી. હવે ભક્તિના વિકલ્પને તોડીને સ્વરૂપમાં
સમાવાની ભાવના કરતાં આચાર્યદેવ કહે છે કે, હે નાથ! આત્મસ્વભાવ અનંતગુણ સ્વરૂપ છે, આ વિકલ્પ દ્વારા હું
કેટલાક ગુણો કહી શકું? વિકલ્પ દ્વારા આત્મા ખીલતો નથી. સરસ્વતી જે વીતરાગની વાણી તેના દ્વારા પણ કેવળી
ભગવાનના ગુણો પૂરા કહી શકાય નહિ.
હે ત્રણ ભુવનની સ્તુતિને પાત્ર જિનેન્દ્ર! આ જગતમાં સર્વોત્કૃષ્ટ વાણી સરસ્વતી આપની સ્તુતિ કરે છે તે
પણ જો આપના ગુણોના પારને પામી શકતી નથી તો અન્ય જે મુર્ખ પુરુષ (–છદ્મસ્થ પ્રાણી) તે સ્તુતિ વડે આપના
ગુણોના પારને કેમ પામી શકે? શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં...
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે...
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...અપૂર્વ. ૨૦
હે નાથ! હે અનંતગુણભંડાર આત્મન્! જેમને કેવળજ્ઞાન પ્રગટયું એવા વીતરાગની દિવ્યવાણી પણ તારા
સ્વરૂપને પરિપૂર્ણપણે કહેવા સમર્થ નથી, તો પછી અન્યની વાણીથી તો શું કહેવાય? તે તો માત્ર અનુભવગમ્ય છે.
સરસ્વતી પણ આત્માના સ્વરૂપને ન પામી શકે એટલે કે વાણી તરફના વિકલ્પ વડે આત્માનો સ્વભાવ ખીલતો
નથી, પણ વાણીનો વિકલ્પ છોડીને આત્માનો અનુભવ થાય છે, તેની અહીં ભાવના છે.
(૭૪) કોઈના અલ્પ ગુણને મલાવીને વિશેષપણે કહેવા તેને જગતમાં સ્તુતિ કહેવાય છે પરંતુ હે પ્રભો!
તારામાં જેટલા ગુણો છે તેટલા પણ અમે વાણીથી પૂરા વર્ણવી શકતા નથી, માટે વાણી દ્વારા તારું સ્તવન પૂરું થતું
નથી. તારા અનંત ગુણોના અપાર ભાવને આ સ્તુતિના વિકલ્પરૂપ હદવાળો રાગ પહોંચી શકતો નથી. માટે અમે
સ્તુતિના વિકલ્પને તોડીને, આ રાગ ટાળીને સ્વરૂપની નિર્વિકલ્પ શ્રેણી વડે જ્યારે કેવળજ્ઞાન પ્રગટ કરશું ત્યારે જ
સ્વભાવનો પાર પમાશે.
(૭પ) આમાં રાગ અને સ્વભાવનું ભેદજ્ઞાન જણાવ્યું છે. ભલે, સ્તુતિનો રાગ આવે છે પણ તેને
સ્વભાવના સાધન પણે વીતરાગના ભક્તો માનતા નથી. રાગ થાય છે છતાં તેનાથી કદાપિ વીતરાગતા થતી નથી.
વાણીમાં સર્વોત્કૃષ્ટ એવી સરસ્વતી પણ તારા ગુણો વર્ણવતાં હારી જાય છે. તો પછી અમે છદ્મસ્થ પામર જીવ તેને
કેવી રીતે વર્ણવી શકીએ? આ સ્તુતિકાર પોતે મહાન સંત નિર્ગ્રંથ મુનિ છે. છતાં ભગવાન પાસે કેટલી પામરતા
વર્ણવે છે! જેને પૂર્ણ સ્વભાવનો વિનય પ્રગટયો હોય તેને અધૂરી પર્યાયનો અહંકાર કેમ હોય? પંચમઆરાના સંત
મુનિ કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા છે પણ હજી વચ્ચે એક ભવ બાકી છે તેથી કેવળ માટે ઝંખે છે. આચાર્યદેવ આ
સ્તુતિ કરતાં ખરેખર તો પોતાના સ્વભાવનું બહુમાન લાવીને કેવળજ્ઞાનની ભાવના વધારે છે. હે નાથ! તારા અપાર
કેવળજ્ઞાન પાસે તો અમે મૂર્ખ છીએ, અમારા જેવા છદ્મસ્થ જીવોના જ્ઞાન ઉપર હજી આવરણ છે, જ્ઞાનનો પુરુષાર્થ
ઓછો છે, છતાં તમારી ઓથ લઈને–તમારા જેવો જ પરિપૂર્ણ સ્વભાવ સ્વીકારીને તેના જોરે કહીએ છીએ કે અધુરું
જ્ઞાન કે નબળો પુરુષાર્થ તે અમારું સ્વરૂપ નથી. કેવળજ્ઞાન જેટલો જ અમારો સ્વભાવ છે. આ રીતે દ્રવ્ય અને
પર્યાયની સંધિ વડે પૂર્ણતા પ્રત્યેનો પુરુષાર્થ ઉપાડે છે.