Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
ઃ ૮૬ઃ આત્મધર્મઃ ૪૧
(ભાદરવા સુદ ૪ સમયસાર ગાથા ૧૩)
(૭૬) કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર એવા અસત્ નિમિત્તોને માનવા તે તો બહારનું સ્થૂળ અસત્ય છે અને અંતરમાં
વિકલ્પ વડે લાભ થાય એવી માન્યતા તે પણ અસત્ છે, તે સૂક્ષ્મ મિથ્યાત્વ છે. કુદેવ–કુગુરુ–કુધર્મની માન્યતારૂપ
બહારનું સ્થૂળ અસત્ય છોડવાની વાત પણ જેને કઠણ પડે છે તે જીવ અંતરના વિકલ્પોથી રહિત આત્માની શ્રદ્ધા કેમ
કરશે? હજી ખોટા નિમિત્તોની માન્યતા પણ જે છોડતા નથી તે નિમિત્તોની અપેક્ષા રહિત નિરપેક્ષ સ્વભાવને તો કેવી
રીતે સ્વીકારશે? જેનામાં એક પાઈ આપવાની પણ તાકાત નથી તે લાખોનાં દાન કેમ કરશે? માંસભક્ષણ વગેરે સાત
વ્યસનોના આદર કરતાં કુદેવ–કુગુરુ–કુધર્મના આદરનું પાપ વધારે છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આત્માના
સ્વભાવની વિપરીત માન્યતાને પોષણ આપનારા કુદેવાદિને માનવા તેના જેવું મોટું પાપ જગતમાં નથી. કુદેવાદિના
દોષ તો તેમની પાસે રહ્યા પરંતુ તેમને માનવાથી પોતે પોતાના સ્વભાવની વિરાધના કરીને આત્માનો ઘાત કરે છે.
જેણે સત્ય સ્વભાવથી વિપરીત માન્યતા કરી તેણે આત્માના અનંત ગુણોનો, અનંત કેવળી–તીર્થંકરોનો, સંત
મુનિઓનો ને જ્ઞાનીઓનો અનાદર કર્યો અને તેના વેરી કુદેવાદિનો આદર કર્યો, આવી જે અનંત ઊંધાઈનો આદર તે
જ અનંત પાપ છે.
(૭૭) પંડિતપ્રવરશ્રી ટોડરમલ્લજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે–
“કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વ ભાવની પુષ્ટતા થતી જાણીને અહીં તેનું નિરૂપણ કર્યું છે. શ્રી
અષ્ટપાહુડમાં પણ કહ્યું છે કે–જે કોઈ લજ્જા, ભય કે મોટાઈથી પણ કુત્સિત્ દેવ ધર્મલિંગને વંદન કરે છે તે મિથ્યાદ્રષ્ટિ
છે. માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે તે કુદેવ–કુગુરુ–કુધર્મનો પહેલાં જ ત્યાગી થાય...વળી કુદેવાદિકના
સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે તે હિંસાદિ પાપોથી પણ મહાન પાપ છે. કારણ કે એના ફળથી નિગોદ–નર્કાદિ
પર્યાય પ્રાપ્ત થાય છે, ત્યાં અનંતકાળ સુધી મહા સંકટ પામે છે, તથા સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પણ મહા દુર્લભ થઈ જાય
છે.”
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૯૮)
(૭૮) વાણીયા ચારે તરફના હિસાબ ગણે પણ ધર્મના બહાને ઠગાય છે. બોકડા કાપવાના કામમાં તો હિંસા
ભાસે અને તેમાં સાથ ન આપે પરંતુ મિથ્યાત્વનું મહાપાપ ભાસતું નથી અને ઊંધી માન્યતાને પોષનારા કુદેવાદિને
સાથ આપે છે. પરંતુ મિથ્યાત્વના સેવનમાં અનંત બોકડા કાપવાનો ભાવ ભર્યો છે. બાહ્ય ક્રિયાની વાત નથી પણ
અંતરમાં ઊંધા પરિણામનું મહા પાપ છે. સર્વજ્ઞથી વિપરીત એક પણ માન્યતા માને, કે સર્વજ્ઞ સિવાય કોઈ પણ દેવને
સાચા માને તો તેમાં અનંત જન્મમરણ છે.
(૭૯) જેમ સાચા–ખોટાની પરીક્ષા કર્યા વગર કોઈ માણસ હીરા–રત્ન વગેરે લેતો નથી, તેમ ધર્મ માટે
દેવ–ગુરુ–શાસ્ત્ર એ ત્રણ રત્નો છે, તેમાં સાચા–ખોટા વચ્ચે જેને વિવેક નથી–પરીક્ષા નથી તે મહા અજ્ઞાની છે, તેને
ધર્મની દરકાર નથી. કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનનું જે મહાપાપ કહ્યું તે મહાપાપ છોડયા પછી અને સાચા દેવ–ગુરુ–
ધર્મની ઓળખાણ કર્યા પછી પણ જે નવતત્ત્વના વિકલ્પ ઊઠે તેની શ્રદ્ધાને છોડીને કેવળ એક ચૈતન્યમાત્ર
આત્મસ્વભાવ સન્મુખ થઈને પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે એ વાત સમયસારજી શાસ્ત્રમાં છે. પરંતુ પ્રથમ કુદેવ–
કુગુરુ–કુધર્મનું સેવન છોડયા વગર એ વાત સમજવાની પાત્રતા આવે નહિ. માટે જેણે આત્મસ્વભાવની સમજણ
કરીને ધર્મ કરવો હોય તેણે પ્રથમ સત્દેવ–સદ્ગુરુ–સત્શાસ્ત્ર કોણ અને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર કોણ તે ઓળખીને કુદેવ–
કુગુરુ–કુશાસ્ત્રના સેવનને સર્વથા છોડી દેવું. કુદેવાદિના સેવનથી મિથ્યાત્વના મહાપાપનું પોષણ થાય છે અને અનંત
સંસાર વધે છે.
(૮૦) કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર તે આત્માના સાક્ષાત્ ઘાતક છે એમ માન્યા વિના આત્મકલ્યાણના રસ્તે
કિંચિત્ ચડી શકાય નહિ. જગતના કાર્યોમાં ઓળખાણ કર્યા પછી માને છે અને આત્માના કાર્યમાં ગોટા ચલાવે તે
ચાલે નહિ. ભૂલને લીધે જ અનંત જન્મમરણમાં જીવ રખડે છે માટે ભૂલ ટાળીને નિર્દોષ અને નિઃશંક સમજણ કરવી
જોઈએ.
(૮૧) પ્રશ્નઃ–કુદેવ, કુગુરુ, કુધર્મનું ચિહ્ન શું?
ઉત્તરઃ–રાગથી ધર્મ મનાવે, આત્માને જડનો કર્તા ઠરાવે, પરથી લાભ–નુકશાન મનાવે ઇત્યાદિ બધા કુદેવ,
કુગુરુ, કુધર્મનાં ચિહ્ન છે.
(૮૨) આર્ય જીવો હિંસાદિના પરિણામોને તો પાપ તરીકે સમજે છે અને તેનો ખેદ કરે છે, પરંતુ કુદેવાદિનું
સેવન કરનાર તો તેમાં ધર્મ માને છે; તે ઊંધી માન્યતાનું ત્રિકાળી પાપ છે. હિંસા પરિણામ કરનાર જો તે પરિણામને
સારા માને તો તેમાં તે ઊંધી માન્ય–