Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૮૭ઃ
તાનું ત્રિકાળી પાપ છે, કેમકે જેણે એક વિકારી પરિણામને સારા માન્યા તેણે ત્રણે કાળના સર્વે વિકારી પરિણામને
સારાં માન્યા, તે જ અનંત પાપ છે.
(૮૩) ચક્રવર્તીને ત્યાં ક્રોડો મણ શાકની બાહ્ય હિંસા થતી હોય છતાં તેમાં અલ્પ હિંસા છે કેમ કે તેને
સ્વભાવનું ભાન વર્તે છે. અને કુદેવાદિને માનનારો જીવ ત્યાગી હોય અને એક લીલોતરી પણ હણતો ન હોય છતાં
તેને અસતના પોષણનું અનંત પાપ છે, તે નિગોદના કારણને સેવી રહ્યો છે. અને આત્મસ્વભાવના ભાન વડે સતને
સત્ અને અસતને અસત્ માનવાથી જેના જ્ઞાનમાં વિવેક થઈ ગયો છે તેને પાપ પરિણામ વખતે પણ ભેદજ્ઞાન વર્તે
છે, તેથી તે મોક્ષના કારણને સેવી રહ્યો છે. કાંઈ પાપ પરિણામને મોક્ષનું કારણ કહેતા નથી પરંતુ અંતરમાં ભેદજ્ઞાન
વર્તે છે તે જ મોક્ષનું કારણ છે.
(૮૪) આત્માના સ્વભાવની ઓળખાણ કરવા માટે દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ યથાર્થ સમજ્યા વગર જ્યાં
ત્યાં માથા નમાવશે તેને સંસારની દુર્ગતિમાં રખડવું પડશે. ધર્મના લોભે આખા આત્માને કુદેવ પાસે અર્પી દેનાર
ધર્મને બદલે ઉલ્ટું પાપ પોષે છે. મિથ્યાત્વ સિવાયના બીજાં પાપો તો અનંતમાં ભાગે છે. આત્માના શુદ્ધ સ્વભાવને
દયાદિ વિકારીભાવવાળો મનાવે, જડની ક્રિયાથી પુણ્ય–પાપ મનાવે, પુણ્યમાં ધર્મ મનાવે, વ્યવહાર કરતાં કરતાં
પરમાર્થને પમાશે એમ મનાવે તે બધા મિથ્યાદ્રષ્ટિ છે, આત્માના અનંત ગુણોનો અનાદર કરનારા છે અને તેઓ
અનંતકાળ સુધી મહા સંકટ પામે છે.
(૮પ) જીવોને મિથ્યાત્વથી છોડાવવા અને સાચું આત્મભાન પ્રાપ્ત કરાવવા માટે મિથ્યાત્વનું સ્વરૂપ
સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે. કોઈ વ્યક્તિ પ્રત્યે જ્ઞાનીને દ્વેષ નથી પણ સત્યને સમજાવતાં અસત્યને અસત્ય તરીકે
બરાબર કહેવું પડે. જો સત્ને સત્ તરીકે અને અસત્ને અસત્ તરીકે ન કહેવામાં આવે તો જીવ સત્ અસત્નો
વિવેક કરી શકે નહિ અને અનંત કાળથી જે રીતે અસત્નું સેવન કરી રહ્યો છે તે જ રીતે ચાલ્યા કરે. માટે જ
જ્ઞાનીઓ અસત્નું સેવન છોડાવવા અર્થે કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રનો નિષેધ કરે છે.
(૮૬) કોઈ જીવ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને કુદેવાદિનું સેવન છોડે તો તેટલાથી કાંઈ ધર્મ થઈ
જતો નથી. તેણે હજી નિમિત્ત તરીકે સત્ને સ્વીકાર્યું છે, તેમાં હજી પરાવલંબન છે, તેથી પુણ્ય છે પણ ધર્મ નથી. જ્યારે
તે પરાવલંબનને છોડીને સ્વાવલંબન વડે પોતાના સત્ સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકારે ત્યારે અનંતકાળે નહિ
પ્રગટેલ એવો અપૂર્વ ધર્મ પ્રગટે છે. કુદેવાદિને છોડયા પછી અને સાચા દેવગુરુધર્મને ઓળખ્યા પછી સમ્યગ્દર્શન કઈ
રીતે પ્રગટે તેની વાત આ તેરમી ગાથામાં ચાલે છે.
(૮૭) ‘જે કુત્સિત ધર્મમાં લીન છે, કુત્સિત પાખંડીઓની ભક્તિવડે સંયુક્ત છે તથા કુત્સિત તપ કરે છે તે
જીવ કુત્સિત અર્થાત્ માઠી ગતિ ભોગવવાવાળો થાય છે. માટે હે ભવ્ય! કિંચિત માત્ર લોભ વા ભયથી એ કુદેવાદિનું
સેવન ન કર! કારણ કે એનાથી અનંતકાળ સુધી મહાદુઃખ સહન કરવું થાય છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો
યોગ્ય નથી. જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે, પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે.
તેથી એ મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય
તથા પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડુબાડવા ન ઇચ્છતો હોય તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો. નિંદા
પ્રશંસાદિના વિચારથી પણ શિથિલ થવું યોગ્ય નથી.’ (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૯૮)
(૮૮) આત્માનો સત્ સ્વભાવ શું અને કોણ સત્ કહેનાર છે તેની ઓળખાણ વગર ધર્મ થાય નહિ.
અજ્ઞાનપણામાં અનંત કાળ ગયો હવે આત્માના ભાન માટે કુદેવાદિને છોડો, કેમકે તે આત્મઘાતક છે. જો આત્માની
દરકાર હોય તો જગતની દરકાર છોડી દે. જગત શું બોલશે એની સામે ન જો, પણ પોતાનો આત્મસ્વભાવ શું કહે છે
તે સમજ. જગતથી નિરપેક્ષ આત્મસ્વભાવ છે.
(૮૯) “કોઈ નિંદે તો નિંદો, સ્તુતિ કરે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો વા જાઓ, તથા મરણ આજે જ થાઓ
કે યુગાંતરે થાઓ! પરંતુ...નિંદા પ્રશંસાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યથારૂપ મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય
નથી. અહો! દેવ–ગુરુ–ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ
કેવી રીતે થાય? ઘણું શું કહેવું? સર્વથા પ્રકારે એ કુદેવ–કુગુરુ–કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. કારણ કે કુદેવાદિકનો
ત્યાગ ન કરવાથી મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે. અને આ કાળમાં અહીં તેની