Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
ઃ ૧૧૪ઃ આત્મધર્મઃ ૪૨
દોષ છે. ભોગ ભોગવવાને મુક્તિ થશે–એમ સમ્યગ્દ્રષ્ટિ કદાપિ માનતા નથી, પણ તેઓ જાણે છે કે જ્યારે ભોગની
લાગણીઓને તોડીને, સર્વ સંગ પરિત્યાગી થઈ સ્વરૂપની સાધક નિર્ગ્રંથ મુનિદશા અંગીકાર કરી સ્વરૂપ સ્થિરતા
કરીશ ત્યારે જ મુક્તિ થશે. સમ્યગ્દ્રષ્ટિને કષાયમાં સ્વામીત્વ રહ્યું નથી, તેઓએ પોતાના અકષાય જ્ઞાનસ્વભાવને
જાણ્યો છે અને અકષાય દશાની ભાવના કરે છે કે–અહો! ક્યાં મારું સિદ્ધપદ! મારું પરમ શાંત, પરમ વીતરાગસ્વરૂપ
તેના વેદનનો અનાકુળ પરમાનંદ ક્યાં અને આ કષાયની આકુળતાનું વેદન ક્યાં?
(૯૯) આ દશા તો દેવ–ગુરુ–શાસ્ત્રના વિવેક પછી આત્મસ્વભાવના વિવેકની છે. જેને દેવ–ગુરુ–શાસ્ત્રનો
જ વિવેક ન હોય તેને તો આવી સમ્યક્ત્વ દશા હોય જ નહિ, અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો વિવેક કર્યા પછી પણ
જો ત્યાં જ આશ્રય માનીને અટકી જાય અને પોતાના સ્વભાવના આશ્રય તરફ ન ઢળે તો તેને પણ સમ્યકત્વ દશા
પ્રગટે નહિ. આ સમ્યગ્દર્શન પોતે જ ધર્મ છે. જે સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટયું તે જ સ્વભાવના વિશેષ
આશ્રયે કેવળજ્ઞાન અને સિદ્ધ દશા પ્રગટે છે, સ્વભાવના આશ્રય સિવાય અન્ય કોઈ ઉપાય નથી.
(૧૦૦) ઘણા જીવો પ્રથમ સ્વભાવની સમજણનો–સમ્યગ્દર્શનનો–ઉપાય તો કરતા નથી અને પોતાને વ્રત–
તપ કરનારા માને છે. હવે વ્રત–તપ તો સમ્યગ્દર્શન પછી ચારિત્રદશામાં હોય. જેણે સમ્યગ્દર્શન પહેલાં વ્રત–તપ
માન્યાં તેણે સમ્યગ્દર્શન ધર્મ કઠણ અને ચારિત્ર ધર્મ તેના કરતાં સહેલો–એમ માન્યું. તેણે સ્વભાવ દશાની ના પાડી
અને વિકારભાવની હા પાડી–એટલે તેને સ્વભાવની અરુચિ અને વિકારની રુચિ છે, તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રતાદિ પહેલાં
સમ્યગ્દર્શન હોવું જોઈએ. એ સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત છે, તેના વગર ધર્મ હોતો જ નથી, એટલે કે
સમ્યગ્દર્શન વગર જે કરે તે બધું અધર્મ છે અને સંસારનું કારણ છે.
(૧૦૧) ઘણા જીવો કષાય ઘટાડવાની વાતો કરે છે, પણ કષાય વગરનો આત્મસ્વભાવ છે તેને માન્યા
વગર કષાય ખરેખર ઘટે જ નહિ. ગોમટ્ટસારાદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં તો મિથ્યાદ્રષ્ટિને (પહેલા, બીજા અને ત્રીજા
ગુણસ્થાને) અશુભભાવ જ ગણવામાં આવ્યા છે. મિથ્યાદ્રષ્ટિજીવ પૂજા, ભક્તિ, દાન વગેરેના ભાવ કરે, પરંતુ ‘આ
શુભરાગથી મને લાભ છે’ એવા તેના મિથ્યા અભિપ્રાયમાં અનંતાનુબંધી કષાયને તે પોષી રહ્યો છે, તો તેને ખરેખર
મંદ કષાય પણ કેમ કહેવો? તેને ખરેખર તો સદા તીવ્ર કષાય જ છે. વાસ્તવિકપણે મંદ કષાય પણ ત્યારે જ થાય કે
જ્યારે કષાયને જ પોતાનું સ્વરૂપ ન માને અને પોતાના કષાયરહિત જ્ઞાનસ્વભાવને ઓળખે. આત્માની પ્રતીત થયા
પછી સમ્યગ્દ્રષ્ટિને તીવ્ર કલુષતા થતી નથી. સમ્યગ્દ્રષ્ટિને લડાઈનો કષાય હોવા છતાં પણ તે તીવ્ર કષાય નથી; કેમકે
આ કષાય મારું સ્વરૂપ નથી અને તે મારું કર્તવ્ય નથી એવું ભિન્ન સ્વભાવનું ભાન હોવાથી સ્વભાવની હદ ચૂકીને
કષાય થતો નથી એટલે તે કષાય મર્યાદિત છે. અજ્ઞાની જીવ પૂંજણીથી પૂંજતો હોય અને દયાભાવ કરતો હોય તો
પણ તેને તે રાગ–કષાય સાથે એકત્વબુદ્ધિ હોવાથી સ્વભાવની હદ ચૂકીને તે કષાય છે અને તેથી તીવ્ર કષાય છે. માટે
કષાય ટાળવાનો સાચો ઉપાય પણ સમ્યગ્દર્શન જ છે.
(૧૦૨) સમ્યગ્દ્રષ્ટિને પૂર્વના અઘાતિકર્મના કારણે લડાઈ વગેરેનો સંયોગ હોય અને વર્તમાન પુરુષાર્થના
દોષથી દ્વેષભાવ પણ થાય, છતાં તેને વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી. તેની શ્રદ્ધાના અભિપ્રાયમાં તો તે દ્વેષની લાગણીને
કે જડની ક્રિયાને પોતાનું કર્તવ્ય માનતા નથી, અને એમ સમજે છે કે બધા આત્મા મારા સમાન જ ચિદ્સ્વરૂપ છે,
મારો કોઈ શત્રુ કે મિત્ર નથી. આવા સમ્યક્ અભિપ્રાયના જોરે તેમને જુનાં કર્મો અને વિકાર પણ ખરી જ જાય છે
અને શુદ્ધતા વધતી જાય છે; એ મહિમા સમ્યગ્દર્શનનો જ છે. જે અલ્પ બંધ થાય છે તે અસ્થિરતાના કારણે થાય છે,
પણ તેમાં સમ્યગ્દર્શનનો દોષ નથી.
(૧૦૩) એ ધ્યાન રાખવું કે સમ્યગ્દ્રષ્ટિને પણ જે રાગદ્વેષરૂપ ભાવ છે તે ચારિત્રનો દોષ હોવાથી ચારિત્ર
અપેક્ષાએ તો બંધનું જ કારણ છે. પરંતુ ત્યાં શ્રદ્ધાનો દોષ નહિ હોવાથી સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ તો નિર્જરા જ
છે. અહીં ‘સમ્યગ્દ્રષ્ટિને કષાય થાય તો વાંધો નહિ’ એમ બતાવવું નથી પરંતુ કષાય વખતે પણ સમ્યક્ત્વનું
પરિણમન કેવું શુદ્ધ હોય છે તે બતાવીને સમ્યગ્દર્શનના કાર્યનો મહિમા જણાવવો છે.
(૧૦૪) સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી કષાય રહિત ઉજ્જવલ પરિણામ હોય છે. સામે ગમે તેવો વિરોધી
હોવા છતાં હું મારા પરિણામ એક ક્ષણથી પલટાવી શકું છું, વિરોધીના કારણે મને અશુભપરિણામ થતા નથી–એમ