Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ ૧૧૬ઃ આત્મધર્મઃ ૪૨
તેવા જીવને કલિયુગના કલુષપાપની વાસના છૂટી નથી. મુનિપદ તો નિષ્પરિગ્રહ–નિર્ગ્રંથ છે. સાચું મુનિપદ પોતે
પ્રગટ ન કરી શકે તો તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં દોષ નથી, પરંતુ જો મુનિપણાનું સ્વરૂપ જ અન્યથા માને તો તે
સમ્યગ્દર્શન–ભ્રષ્ટ છે.
(૧૧૦) વાડા અને કુપંથમાં જીવો ગળા સુધી ખૂંચી ગયા છે. કુગુરુઓના સેવનને છોડયા વગર તેમાંથી
જીવ છૂટી શકતો નથી અને આત્મકલ્યાણના સાચા માર્ગમાં લાગી શકતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ તો સ્પષ્ટ કહ્યું છે
કે–“કુગુરુઓએ લોકને અવળો માર્ગ બતાવી ભૂલાવ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે એટલે જીવ માર્ગમાં કેમ
આવે?” જગતના જીવોને મિથ્યાત્વપાપથી છોડાવવા માટે ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે કરુણા કરીને આ
દર્શનપાહુડમાં બેધડકપણે સત્યને જાહેર કર્યું છે, માટે સત્–અસત્નો નિર્ણય કરીને સત્યનો હકાર લાવો.
(૧૧૧) આજે (–વૈશાખ વદ ૬) સમવસરણની પ્રતિષ્ઠાનો માંગલિક દિવસ છે; સમવસરણમાં શ્રી જિનેન્દ્ર–
પ્રભુનો દિવ્યધ્વનિ છૂટે છે તેમાં જે વસ્તુસ્વરૂપ જાહેર થાય છે, તે જ વસ્તુસ્વરૂપ શ્રીકુંદકુંદાચાર્યદેવે કહ્યું છે; એ સિવાય
સત્યમાર્ગનું બીજું સ્વરૂપ કદાપિ છે જ નહિ.
(૧૧૨) ગરીબ માણસ હોય અને પોતાના સગાંને ત્યાં છાશ લેવા જાય, તો ત્યાં દોણકી સંતાડીને ઊભો ન
રહે, છાશ લેવા જાય અને દોણી સંતાડે તે ચાલે નહિ, તેમ જે જીવોએ આત્મકલ્યાણ પ્રાપ્ત કરવું હોય તેઓએ
દેવગુરુ–શાસ્ત્રની માન્યતા સંતાડાય નહિ અર્થાત્ તેમાં ગોટા કે અનિર્ણય ન ચાલે, પણ સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો
નિર્ણય કરીને અસત્ દેવ–ગુરુ–શાસ્ત્રને પ્રગટપણે છોડી દેવા જોઈએ.
(૧૧૩) પ્રશ્નઃ–ધર્મના નામે કુદેવ–કુગુરુને ન માને પરંતુ લૌકિક ખાતર માને તો કોઈ દોષ છે?
ઉત્તરઃ–જો કુદેવ–કુગુરુને ધર્મના નામે ન માને તો પછી લૌકિક શું પ્રયોજન છે? શું એની પાસેથી પૈસા કે
પુત્રાદિની આશાથી તેને માનો છો?–તો એ પણ ગૃહીત મિથ્યાત્વ જ છે. લૌકિક ખાતર રાજા વગેરેને માનવાનું બને
તો તેથી મિથ્યાત્વ દોષ નથી. પણ નિર્ગ્રંથ મુનિ સિવાય બીજાનો સાચા સાધુ તરીકે આદર થઈ શકે નહિ. જો પરિગ્રહ
સહિતને મુનિ માને તો મિથ્યાત્વ દોષ છે. કોઈ પણ હેતુથી કુદેવ–કુગુરુને માને તો તેમાં મિથ્યાત્વ જ છે. સત્ધર્મના
માર્ગમાં સમ્યગ્દ્રષ્ટિઓ સિવાય અન્ય કોઈને પણ વંદન થઈ શકે નહિ. આમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી, સામો
જીવ અજ્ઞાની હોય તો તેના ભાવનું નુકશાન તેને છે, એના ભાવ સાથે બીજા જીવને સંબંધ નથી. આ તો સત્યનો
પક્ષ છે. પોતાના જ્ઞાનમાં સત્યનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ.
(૧૧૪) કોઈને વ્યાપાર વગેરે પ્રસંગોમાં માંસાહારી માણસ સાથે મિત્રતા થઈ હોય અને કોઈ પ્રસંગે
મુસલમાન તેને માંસની કઢી ખાવાનો આગ્રહ કરે; તો શું આર્યમાણસ, સંબંધ જાળવવા ખાતર પણ માંસ ખાશે? ત્યાં
તો પોતાની યોગ્યતાનો વિચાર કરીને ચોકખી ના પાડે છે, પણ સંબંધ રાખવા માટે ય થોડું માંસ ખાતો નથી. ત્યાં
સમજે છે કે માંસાહારી મનુષ્ય સાથે ખાવા–પીવાનો સંબંધ મારે ન હોય. તેમ જે જીવને ધર્મ કરવો છે તેણે
મિથ્યાત્વની પુષ્ટિ કરનારા તત્ત્વોને ઓળખીને તેની સાથેનો સંબંધ છોડી દેવો જોઈએ. મિથ્યાત્વનું પાપ માંસભક્ષણ
સમાન જ છે.
વળી કોઈ માંસાહારી રાજા સાથે સંબંધ થયો હોય અને કોઈ પ્રસંગે રાજા માંસસહિત આહાર માટેનું
આમંત્રણ કરે; તો તેવા પ્રસંગે આર્ય માણસ રૂા. પ૦૦૦) દંડ ભરવા પડે તો ભરે પરંતુ માંસ ન ખાય. રૂપિયા જાય કે
પ્રાણ જાય આર્ય માણસને માંસનો આદર કરવાની વૃત્તિ જ થાય નહિ. તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવો ગમે તેમ થાય
તો પણ આત્માની શ્રદ્ધારહિત જીવોને નમસ્કાર કરે નહિ.
(૧૧પ) ભાઈ, પહેલાં આત્માની ઓળખાણ કરો. આત્મસ્વભાવની ઓળખાણ થતાં, સત્ નિમિત્તો કેવાં
હોય તે પણ જણાયા વગર રહેશે નહિ. આ તો નિસ્પૃહ જૈન દર્શન છે, તેનો કોઈ સંબંધી નથી અને તેનો કોઈ દુશ્મન
નથી. પોતાના જ્ઞાનમાં સત્યભાવ તે જ મિત્ર છે અને જ્ઞાનમાં મિથ્યાત્વ તે જ શત્રુ છે. એક આત્માની નિંદા કરવા
કોઈ પર આત્મા સમર્થ નથી. કોણ કોની નિંદા કરે! બધાયના ભાવ પોતપોતાની પર્યાયમાં જ કાર્ય કરે છે. જગતમાં
કોઈ કોઈનો વેરી નથી–વિરોધી નથી, મિત્ર નથી–સંબંધી નથી. પણ પોતાના આત્મા માટે જ્ઞાનને સમ્યક્ કરવા
માટેની આ વાત છે, પરને માટે વાત નથી, સમ્યગ્દ્રષ્ટિઓ સ્વપ્ને પણ પરને વેરી કે મિત્ર માનતા નથી. પરંતુ તેથી
કરીને એમ ન સમ–