તેવા જીવને કલિયુગના કલુષપાપની વાસના છૂટી નથી. મુનિપદ તો નિષ્પરિગ્રહ–નિર્ગ્રંથ છે. સાચું મુનિપદ પોતે
પ્રગટ ન કરી શકે તો તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં દોષ નથી, પરંતુ જો મુનિપણાનું સ્વરૂપ જ અન્યથા માને તો તે
સમ્યગ્દર્શન–ભ્રષ્ટ છે.
કે–“કુગુરુઓએ લોકને અવળો માર્ગ બતાવી ભૂલાવ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે એટલે જીવ માર્ગમાં કેમ
આવે?” જગતના જીવોને મિથ્યાત્વપાપથી છોડાવવા માટે ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે કરુણા કરીને આ
દર્શનપાહુડમાં બેધડકપણે સત્યને જાહેર કર્યું છે, માટે સત્–અસત્નો નિર્ણય કરીને સત્યનો હકાર લાવો.
સત્યમાર્ગનું બીજું સ્વરૂપ કદાપિ છે જ નહિ.
દેવગુરુ–શાસ્ત્રની માન્યતા સંતાડાય નહિ અર્થાત્ તેમાં ગોટા કે અનિર્ણય ન ચાલે, પણ સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો
નિર્ણય કરીને અસત્ દેવ–ગુરુ–શાસ્ત્રને પ્રગટપણે છોડી દેવા જોઈએ.
તો તેથી મિથ્યાત્વ દોષ નથી. પણ નિર્ગ્રંથ મુનિ સિવાય બીજાનો સાચા સાધુ તરીકે આદર થઈ શકે નહિ. જો પરિગ્રહ
સહિતને મુનિ માને તો મિથ્યાત્વ દોષ છે. કોઈ પણ હેતુથી કુદેવ–કુગુરુને માને તો તેમાં મિથ્યાત્વ જ છે. સત્ધર્મના
માર્ગમાં સમ્યગ્દ્રષ્ટિઓ સિવાય અન્ય કોઈને પણ વંદન થઈ શકે નહિ. આમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી, સામો
જીવ અજ્ઞાની હોય તો તેના ભાવનું નુકશાન તેને છે, એના ભાવ સાથે બીજા જીવને સંબંધ નથી. આ તો સત્યનો
પક્ષ છે. પોતાના જ્ઞાનમાં સત્યનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ.
તો પોતાની યોગ્યતાનો વિચાર કરીને ચોકખી ના પાડે છે, પણ સંબંધ રાખવા માટે ય થોડું માંસ ખાતો નથી. ત્યાં
સમજે છે કે માંસાહારી મનુષ્ય સાથે ખાવા–પીવાનો સંબંધ મારે ન હોય. તેમ જે જીવને ધર્મ કરવો છે તેણે
મિથ્યાત્વની પુષ્ટિ કરનારા તત્ત્વોને ઓળખીને તેની સાથેનો સંબંધ છોડી દેવો જોઈએ. મિથ્યાત્વનું પાપ માંસભક્ષણ
સમાન જ છે.
પ્રાણ જાય આર્ય માણસને માંસનો આદર કરવાની વૃત્તિ જ થાય નહિ. તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવો ગમે તેમ થાય
તો પણ આત્માની શ્રદ્ધારહિત જીવોને નમસ્કાર કરે નહિ.
નથી. પોતાના જ્ઞાનમાં સત્યભાવ તે જ મિત્ર છે અને જ્ઞાનમાં મિથ્યાત્વ તે જ શત્રુ છે. એક આત્માની નિંદા કરવા
કોઈ પર આત્મા સમર્થ નથી. કોણ કોની નિંદા કરે! બધાયના ભાવ પોતપોતાની પર્યાયમાં જ કાર્ય કરે છે. જગતમાં
કોઈ કોઈનો વેરી નથી–વિરોધી નથી, મિત્ર નથી–સંબંધી નથી. પણ પોતાના આત્મા માટે જ્ઞાનને સમ્યક્ કરવા
માટેની આ વાત છે, પરને માટે વાત નથી, સમ્યગ્દ્રષ્ટિઓ સ્વપ્ને પણ પરને વેરી કે મિત્ર માનતા નથી. પરંતુ તેથી
કરીને એમ ન સમ–