Atmadharma magazine - Ank 043
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
ઃ ૧૩૬ઃ આત્મધર્મઃ ૪૩
તે કલ્પનાનો નાશ કર કે મારું સુખ તો મારામાં છે શરીરમાં કે પૈસામાં ક્યાંય મારું સુખ નથી. આવું સ્વભાવનું
શ્રદ્ધા–જ્ઞાન કરવું તે જ ધર્મ છે, અને ભગવાને તે જ કરવાનું કહ્યું છે.
‘હું તો સ્વતંત્ર આત્મા છું, શું હું શરીરરૂપે ઉપજું? શું હું શરીરને લઈને સુખી? શરીરથી તો ભિન્ન છું, પણ
શરીરના લક્ષે જે પુણ્ય–પાપની લાગણીઓ થાય તેમાં પણ મારું સુખ નથી.’–એમ જેણે ભાન કર્યું છે તે જીવ કદી
જન્મતો નથી. ખરેખર આજે મહાવીર ભગવાન જન્મ્યા નથી, ભગવાન ત્રિશલા માતાના શરીરમાં આવ્યા અને સવા
નવ મહિને જન્મ્યા એમ કહેવું તે ઉપચાર છે, ખરેખર તો તે આત્માએ પોતાની પહેલી નિર્મળદશા ફેરવીને બીજી
વિશેષ નિર્મળદશા ગ્રહણ કરી છે, અને તે નિર્મળદશારૂપે ઉપજતા થકા તેમાં જ તેઓ વ્યાપ્યા છે, પણ જડ શરીરમાં
તેઓ વ્યાપ્યા નથી.
ભગવાનના જન્મ કલ્યાણકનું સાચું સ્વરૂપ શું અને તે ક્યારે ઉજવ્યો કહેવાય તે બતાવાય છે. ભગવાનનો
આત્મા નિર્મળદશારૂપે ઉપજ્યો તે જ પરમાર્થે જન્મ કલ્યાણક છે. ભગવાન પોતાને ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ
રાજાના પુત્ર પણ માનતા નથી અને શરીરને પણ પોતાનું માનતા નથી. ભગવાન તો પોતાને આત્મા જાણે છે; શું
આત્મા કે તેની પર્યાય કોઈ બીજાથી ઉપજે? આત્માને માતા–પિતા હોય નહિ. આત્મસ્વભાવમાંથી જે નિર્મળદશા
ઉપજી તે જ આત્માની પ્રજા છે. જ્યારે શરીર વડે ભગવાનને ઓળખાવવા હોય ત્યારે એમ બોલાય કે ત્રિશલાદેવી
અને સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર હતા. પણ એ તો બાહ્ય છે; ધર્માત્મા તો પોતાના ચૈતન્ય–સ્વભાવમાં રમે છે. અને
તે સ્વભાવમાંથી આનંદની પર્યાયરૂપી પુત્રનો જન્મ થાય છે. પોતાની નિર્મળ પર્યાયને છોડીને ધર્માત્મા બીજે ક્યાંય
ઉપજતા નથી. જેઓએ આત્મસાક્ષાત્કાર કર્યો છે એવા જ્ઞાની પુરુષો ચોથા ગુણસ્થાને હોય અને રાગ હોય તો પણ
તેઓ ક્યાંય બહારમાં કે રાગમાં ઉપજતા નથી પણ શુદ્ધ પર્યાયમાં જ ઉપજે છે.
મહાવીર ભગવાનનો આત્મા પણ પહેલા તો સંસાર દશામાં હતો. રાગ–દ્વેષ રહિત પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ
દરેક આત્મામાં છે–તે સ્વભાવનું ભાન કરીને તેઓ પોતાની નિર્મળ અવસ્થારૂપે ઉપજ્યા–એ જ સાચો જન્મ છે.
અનાદિથી અજ્ઞાનને લીધે વિકારનું કર્તૃત્વ માનીને વિકારપણે ઉપજતો હતો તેને બદલે હવે સ્વભાવના ભાન વડે
વિકારનું કર્તૃત્વ છોડીને પોતાની નિર્મળ પરિણતિરૂપે જ ઉત્પાદ થયો–એ જ સાચો જન્મકલ્યાણક છે. સાધક
ધર્માત્માને રાગાદિ હોય ખરા પણ તેને પોતાપણે માનીને તેના કર્તા થતા નથી, પણ અંતરદ્રષ્ટિ વડે પોતાની વિશેષ
નિર્મળ જ્ઞાનદશાને જ કરે છે. ભગવાને પૂર્વે તીર્થંકર ગોત્રના પુણ્ય બાંધ્યા અને ત્રિશલામાતાની કુંખે જન્મ થયો–એમ
બોલાય, પણ ખરેખર ભગવાને પૂર્વના પુણ્ય પણ કર્યા નથી. અવતાર થાય એવા કર્મો ધર્માત્માના હોય નહિ,
ધર્માત્મા તો વિકારમાં કે શરીરમાં ઉપજતા જ નથી, તે તો જડનું કાર્ય છે. અજ્ઞાની જીવો પુણ્યથી અને પુણ્યના ફળથી
ભગવાનનો મહિમા માને છે અને ભગવાનને પણ જડના તથા પુણ્યાદિ વિકારના સ્વામી ઠરાવે છે. આત્માના શુદ્ધ
સ્વભાવની પ્રતીત અને અનુભવ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટી તે નિર્મળ પર્યાયરૂપી કાર્યને જ જ્ઞાની કરે છે. મારા
સુખ માટે મારે કોઈ પર સંગની જરૂર નથી. અને વિકારભાવમાં પણ મારું સુખ નથી, મારા સ્વભાવમાંથી જે
નિર્મળદશા પ્રગટી તે સુખરૂપ છે–આવી આત્મા વડે પ્રતીત કરે તે ધર્માત્મા છે. અજ્ઞાનીઓએ મૂઢપણે નિર્મળ
ચૈતન્યપરિણતિને વલોવી નાખીને પરમાં સુખની કલ્પના કરી છે તે જ જન્મ–મરણનું કારણ છે.
જેમ ઘડારૂપે માટી ઉપજે છે, કુંભાર તે રૂપે ઉપજતો નથી, તેમ જડ શરીરપણે પરમાણુઓ ઉપજે છે, આત્મા
તે રૂપે ઉપજતો નથી. જ્ઞાની પોતાના જ્ઞાનપણે જ ઉપજે છે, પણ પરપણે ઉપજતા નથી. સમ્યગ્દર્શન પ્રગટ થયું તે
નિર્મળ પર્યાયને જ ગ્રહે છે, બાહ્યથી ભલે તે સ્વર્ગમાં હો કે નરકમાં હો, કે માતાના પેટમાં હો પણ તે કોઈને ગ્રહતા
નથી. પોતાના આત્મસ્વભાવથી બાહ્ય સ્થિત કોઈ પણ પદાર્થોને ધર્માત્મા પોતાનો માનતા નથી તેમજ તેના કર્તા
થતા નથી. પણ પોતાના શુદ્ધ ભાવના જ કર્તા થાય છે. સ્વર્ગમાંથી ચ્યવન કરીને ત્રિશલામાતાની કુંખે આવ્યા તે
વખતે રસ્તામાં પણ ધર્માત્મા મહાવીરે પોતાની નિર્મળ પર્યાયને જ ગ્રહણ કરી છે, પણ પુણ્યના પરમાણુઓનું કે
વિકારનું ગ્રહણ કર્યું નથી.
લોકો અંતર આત્મસ્વભાવને ઓળખતા નથી અને બાહ્ય કલ્પનાથી ધર્મ માની રહ્યા છે, તેથી ભગવાન
મહાવીરની મહત્તા પણ બહારથી જ માને છે, તેમના