Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
ઃ૨૩૪ઃ આત્મધર્મઃ ૪૭
વર્ષ ચોથુંસળંગ અંકભાદ્રપદઆત્મધર્મ
અંક ૧૧૪૭ર૪૭૩
जैन धमર્
મેરા જૈન ધરમ અણમોલા...મેરા જૈન ધરમ અણમોલા..
ઇસી ધરમમેં વીર પ્રભુને..મુક્તિકા મારગ ખોલા..મેરા.
ઇસી ધરમમેં કુંદુકુંદદેવને...શુદ્ધાતમ રસ ઘોલા...મેરા.
ઇસી ધરમમેં ઉમાસ્વામીને..તત્ત્વારથકો તોલા...મેરા.
ઇસી ધરમમેં અમૃતદેવને..કુંદહૃદયકો ખોલા...મેરા.
ઇસી ધરમમેં માનતુંગને...જેલકા ફાટક ખોલા...મેરા.
ઇસી ધરમમેં અકલંકદેવને..બૌદ્ધોંકો ઝકઝોલા...મેરા.
ઇસી ધરમમેં ટોડરમલને..પ્રાણ તજે વિન બોલા...મેરા.
ઇસી ધરમમેં કહાનગુરુને..અધ્યાત્મરસ ઘોલા...મેરા.
ઇસી ધરમમેં કહાનગુરુને...કુંદ–અમૃતરસ ઘોલા...મેરા.
* * * * *
* જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ઉપર એક અવલોકન *
– સંપાદકીય –
નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેનું યથાર્થ જ્ઞાન કરી નિશ્ચયનયનો આશ્રય (નિશ્ચયનયનો આશ્રય એટલે
કે નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વભાવનો આશ્રય એમ સમજવું) કરવો અને વ્યવહારનયનો નિષેધ કરવો તે જ
જૈનતત્ત્વનું તાત્પર્ય છે. અને તેમ કરવાથી જ ધર્મની શરૂઆત, સાધકદશા અને પૂર્ણતા થાય છે, તે જ નિશ્ચયનય અને
વ્યવહારની અવિરોધ સંધિ છે...આમ હોવા છતાં હાલના જૈનસમાજમાં નયાધિરાજ નિશ્ચયનય પક્ષઘાતના તીવ્ર
રોગથી ઘેરાઈ ગયો છે; અને ઘણાઓ તે રોગનું સ્વરૂપ નહિ જાણતા હોવાથી તે રોગનું નિવારણ કરવાને બદલે ઉલટા
પોષણ આપીને તેની વૃદ્ધિ કરી રહ્યા છે; તેમજ જૈન સંપ્રદાયોના નામે પ્રસિદ્ધ થતાં મોટા ભાગનાં છાપાંઓ અને
વર્તમાનપત્રોનો સૂર પણ લૌકિક કથન અને સંસાર વધારનારા પ્રચાર તરફ બળપૂર્વક ચાલી રહ્યો દેખાય છે...એ
રીતે, જૈનશાસનની વર્તમાનદશા અંધાધુંધી ભરેલી અસ્તવ્યસ્ત અને ઊંધી થઈ રહી છે. સમાજ સાચા તત્ત્વજ્ઞાનથી
અને તેના યથાર્થ અભ્યાસથી લગભગ વંચિત છે. ધર્મના સાચા ઉપદેશકોની ઘણી મોટી અછત જોવામાં આવે છે.
લોકોને પણ ધર્મના નામે જે ઉપદેશક જે કંઈ કહે તેની પરીક્ષા કર્યા વગર તેને સાચું માની લેવાની કુટેવ પડી ગઈ છે.
તેમજ કૂળધર્મના નામે પ્રચલિત પુસ્તકો કે લેખોને પણ પરીક્ષા કર્યા વગર સત્ય માની લેવાની કુટેવ પડી ગઈ છે..
પણ એ કોઈ ઉપાય આત્માર્થનો નથી...નયાધિરાજ નિશ્ચયનયને લાગુ પડેલો રોગ તેનાથી મટવાનો નથી, અને એ
રોગ મટયા વગર આત્મકલ્યાણ થવાનું નથી. માટે–
હે આત્માર્થી જીવો!
જાગો, વિચારો, સમજો, તમારું પુરુષાતન સફળ કરો. અમૂલ્ય અવસર નિરર્થક ચાલ્યો જાય છે; આવો
અવસર વારંવાર મળતો નથી માટે તમારા જ્ઞાનની પરીક્ષા શક્તિને ફોરવીને સત્યનું સંશોધન કરો, તત્ત્વનો અભ્યાસ
કરો, તૂલનાત્મક શક્તિને કેળવો, તેનો વિકાસ કરો, આંધળી શ્રદ્ધાએ માનવાની કુટેવ છોડો, અને સત્ય–અસત્યનો
બરાબર નિર્ણય કરીને સત્યતત્ત્વજ્ઞાનને પામો...કે જેથી–
જૈન શાસનના નામે ચાલી રહેલા અજૈન પ્રચારનું જોર સ્વયં ટળી જાય, અને જૈનશાસન ઉન્નતિના પંથે
વળે. જો જૈન સમાજ સવેળા જાગૃત થઈને આ તરફ પોતાનું લક્ષ નહિ ફેરવે તો અમૂલ્ય વખત ચાલ્યો જશે અને
પરમ કલ્યાણકારી સાચા જૈનતત્ત્વજ્ઞાનની પ્રભાવના કરવાનો તેમજ નિજ આત્મકલ્યાણ કરવાનો આ પ્રાપ્ત થયેલો
મહાન સુઅવસર વ્યર્થ ગુમાવી બેસશે...માટે હે વીરના સંતાનો!
જાગો રે જાગો...સમજો રે સમજો.
* * * * *