નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે, માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો
એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે,
જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન–જ્ઞાન
ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ, જો તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને ચારિત્રદશા પ્રગટ
થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે; પણ જો તારાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો
મને ધર્મ નથી. આમ રાગરહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો રાગરહિત ચારિત્રદશા થઈ શકે તો તો તે પ્રગટ કરીને
સ્વરૂપમાં ઠરી જજે; પણ જો તેમ ન થઈ શકે અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ, રાગથી
પણ કરતો નથી તેને આચાર્યભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદ્રષ્ટિ રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ
પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવ દ્રષ્ટિથી જો તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ
થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળીસ્વભાવ છે, માટે પર્યાયદ્રષ્ટિ છોડીને
વગર રાગ કદી ટળવાનો નથી.
એટલે કે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયદ્રષ્ટિ છે–પર્યાયમૂઢ છે, તેને
સ્વભાવદ્રષ્ટિ નથી; અને તે તે મોક્ષમાર્ગના ક્રમને જાણતો નથી કેમકે તે સમ્યક્શ્રદ્ધા પહેલાં સમ્યક્ચારિત્ર ઈચ્છે
પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગરહિત છે એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (–સ્વભાવના લક્ષે
અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી) જે પરિણમન થયું તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને રાગનો અલ્પકાળે નાશ થાય
છે; એ સમ્યગ્દર્શનનો મહિમા છે. પણ જો પર્યાયદ્રષ્ટિ જ રાખીને પોતાને રાગવાળો માની લ્યે તો રાગ ટળે કઈ
રીતે? ‘હું રાગી છું’ એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક (–વિકારના લક્ષે અર્થાત્ પર્યાયદ્રષ્ટિથી) જે પરિણમન
થાય તેમાં તો રાગની જ ઉત્પત્તિ થયા કરે, પણ રાગ ટળે નહિ. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં તે જ વખતે
પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી રાગ–રહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવાનું આચાર્ય ભગવાન જણાવે છે;
અને એ જ મોક્ષમાર્ગનો ક્રમ છે.
તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ.
નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા
ભવરહિત