Atmadharma magazine - Ank 052
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૫૬ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
() ત્ર ક્ષ ત્ર : આ કુંદકુંદ પ્રભુશ્રીની મંગળગાથા તે કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટવાના
મંત્રો છે. આ પુસ્તકમાં (–વ્યાખ્યાનમાં જે શાસ્ત્ર વંચાય છે તેમાં) આ ઓગણીસમી ગાથા સોનેરી છે. શ્રીકુંદકુંદ
મુનિને પવિત્ર ચારિત્રદશા વર્તી રહી છે. એ ચારિત્રદશાના અંતરઅનુભવને આ ગાથાઓમાં ઊતાર્યો છે.
લગભગ બે હજાર વર્ષો પહેલાંં તેઓશ્રીએ જે અક્ષરો વડે રચના કરી છે તે જ અક્ષરો આજે કાયમ છે. એમના
અંતરમાંથી જે શબ્દો નીકળ્‌યા હતા તે જ મૂળ શબ્દો આજે વંચાય છે. શબ્દો લખવાનો વળાંક ભલે જુદો હોય,
પરંતુ શબ્દોનો ધ્વનિ અને ઉચ્ચાર તો જે શ્રી કુંદકુંદ ભગવાન વખતે હતો તે જ છે. આ શબ્દો નથી પણ
કેવળજ્ઞાન માટેના મંત્રો છે; વિકલ્પ ઊઠતાં જ્ઞાતાપણે તે શબ્દોની રચના થઈ છે, તેનો વાચ્યભાવ તેઓશ્રીના
અંતરમાં હતો. આ ૩૭ અક્ષરના મહામંત્રમાં શું ભાવ ભરેલા છે તે જુઓ:–
મૂળમંત્ર
पक्खीणधादिकम्मो अणंतवरवीरिओ अधिक तेजो।
जादो अदिं दिओ सो णाणं सोक्खं च परिणमदि।।
१९।।
સોળમી ગાથામાં કહ્યું હતું કે શુદ્ધોપયોગની ભાવનાના પ્રભાવથી આત્મા પોતે સ્વભાવને પામેલો, સર્વજ્ઞ
અને ત્રણ લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી તે ‘સ્વયંભૂ’ છે–એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
એ રીતે શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આ આત્માને ઈન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન અને આનંદ
હોય તે આ ગાથામાં બતાવ્યું છે; તેનું ગુજરાતી–હરિગીત નીચે મુજબ છે–
પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિકપ્રકાશ ને
ઈન્દ્રિય–અતીત થયેલા આત્મા જ્ઞાનસૌખ્યેપરિણમે. ૧૯.
અર્થ:– જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, જે અતીન્દ્રિય થયો છે, અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને અધિક (–
ઉત્કૃષ્ટ) જેનું (કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે એવો તે (–સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પરિણમે છે.
() ત્ સ્ જ્ઞ . : આજના માંગળિક તરીકે સ્વાભાવિકજ્ઞાન અને સ્વાભાવિક
આનંદની વાત આવી છે. કેવળી ભગવાનના જેવો જ બધા આત્માનો સ્વભાવ છે. કેવળીભગવાનની જેમ બધા
આત્માનો સ્વભાવ સમજવો.
કોઈ એમ કહે કે શરીર, ઈન્દ્રિયો વગેરે પદાર્થો વગર આત્માને જ્ઞાન અને આનંદ કઈ રીતે પ્રગટે?
સિદ્ધભગવાનને શરીર અને ઈન્દ્રિયો વગર આત્માનો આનંદ અને જ્ઞાન કેવી રીતે હોઈ શકે? તેનું સમાધાન
શ્રીઆચાર્યદેવ કરે છે કે–શરીર અને ઈન્દ્રિયો કોઈ પણ જીવને જ્ઞાન કે સુખનું કારણ નથી. પરંતુ જીવ પોતે જ
જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. સંસારી જીવોને જે ઈન્દ્રિયજનિત જ્ઞાન અને સુખ છે તે જ્ઞાન અને સુખરૂપે કાંઈ
શરીર કે ઈન્દ્રિયો પરિણમતી નથી, પણ શરીરાદિના લક્ષે તે જીવ પોતે જ કલ્પિત સુખ અને જ્ઞાનરૂપે પરિણમે છે.
જે જીવો–શરીર અને ઈન્દ્રિયોનું લક્ષ છોડીને શુદ્ધ ઉપયોગના પ્રભાવથી અતીન્દ્રિય થયા છે તેઓ પોતે સ્વયમેવ
જ્ઞાન અને આનંદરૂપે પરિણમે છે, તેમને જ્ઞાન અને આનંદ માટે કોઈ અન્ય પદાર્થની જરૂર નથી. કોઈપણ
આત્માનું જ્ઞાન કે સુખ પર પદાર્થોમાંથી આવતું નથી, પણ પોતાના સ્વભાવના ભાનપૂર્વક શુદ્ધોપયોગના
પ્રભાવથી આત્મા પોતે જ જ્ઞાન–આનંદ સ્વરૂપ થઈ જાય છે. –એ જ સુમંગળપ્રભાત છે.
() ત્ર પ્ર પ્ર : અનાદિથી આત્મામાં મિથ્યાત્વરૂપી રાત્રિનો અંધકાર છવાયો હતો, આત્માના
શુદ્ધોપયોગના બળે સમ્યગ્દર્શનરૂપી પ્રકાશ પ્રગટ કરતાં અનાદિના મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ થયો અને
આત્મામાં સુપ્રભાત પ્રગટ્યું. આ પહેલાં પ્રકારનું (જઘન્ય) સુપ્રભાત છે. ત્યાર પછી તે જ શુદ્ધોપયોગના બળે
સ્વરૂપમાં લીનતા કરતાં સમ્યક્ચારિત્રરૂપ સુપ્રભાત પ્રગટ્યું, અને અવ્રતરૂપ (શુભ–અશુભ ભાવરૂપ)
અંધકારનો નાશ થયો. આ બીજા પ્રકારનું (મધ્યમ) સુપ્રભાત છે. ત્યારપછી સંપૂર્ણ શુદ્ધોપયોગના પ્રભાવથી
વીતરાગતા થઈને ઘાતિકર્મો નષ્ટ થયાં એને આત્મામાં કેવળજ્ઞાનાદિ સ્વ ચતુષ્ટયનો પરિપૂર્ણ પ્રકાશ થયો. આ
સંપૂર્ણ (ઉત્કૃષ્ટ) સુપ્રભાત છે. અને ત્યાં આત્મા પોતે સ્વયમેવ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપ થાય છે. અહીં
માંગળિક તરીકે એવા સંપૂર્ણ સુપ્રભાતની વાત છે.
() િન્દ્ર િ ત્ જ્ઞ . : કેવળજ્ઞાન દશામાં આત્મા પોતે અતીન્દ્રિય
સુખ અને અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમે છે, જ્ઞાન અને સુખ પોતાનો સ્વભાવ જ છે. જે પોતાનો સ્વભાવ છે તે રૂપે
આત્મા પોતે પરિણમી ગયો. તેથી પોતે જે જ્ઞાન અને સુખરૂપે થયો તે પોતાથી કદી દૂર થાય નહિ, અને તેને માટે