વૈશાખ : ૨૪૭૪ : ૧૦૧ :
છું; મેં કદી વ્યવહાર કર્યો જ નથી, રાગરૂપે હું કદી થયો જ નથી, પૂર્વે અનંત કાળમાં હું સદાય ચૈતન્યમય જ હતો, હું વિકારી
થયો જ નથી. હું ત્રણેકાળે ચૈતન્યમય શુધ્ધ જ્ઞાયક જ્યોતિ છું, સંસારભાવને બાળનાર છું પણ તેને ટકાવનાર નથી.
જેમ અગ્નિ પાસે ઉધઈ બળી જાય છે તેમ ચૈતન્યજ્યોત પાસે વિકાર નષ્ટ થઈ જાય છે. હું ચૈતન્યમય
પરમજ્યોતિ છું, રાગનો કરનાર કે રાગનો ટાળનાર હું નથી. મારા સ્વભાવમાં રાગ હોય તો ટાળુંને?
સ્વભાવમાં કદી રાગ છે જ નહિ માટે હું રાગનો ટાળનાર પણ નથી. ચૈતન્યમય સ્વભાવ સદાય શુદ્ધ છે. આમ
પોતાના સ્વભાવનું સેવન કરવાથી વિકાર સ્વયં ટળી જાય છે અને મોક્ષ દશા પ્રગટે છે. માટે મોક્ષાર્થીઓએ આ
સિદ્ધાંતનું જ સેવન કરવું, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
શ્રી આચાર્યદેવે અહીં મોક્ષાર્થીઓને જ સંબોધન કર્યું છે, સ્વચ્છંદી જીવોની વાત લીધી નથી. જેઓ વ્યવહારથી
પણ ભ્રષ્ટ થઈને પોતાના સ્વચ્છંદે પ્રવર્તે છે તેઓ તો મહા પાપી અનંતસંસારી છે. વ્યવહારના સેવનથી ધર્મ થતો
નથી, તો પણ મુમુક્ષુ જીવોને પહેલી ભૂમિકામાં વ્યવહાર હોય છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યેની અત્યંત ભક્તિ–
બહુમાન, વિનય, એકદમ નમ્રતા, અર્પણતા મુમુક્ષુને હોય જ, જગત પાસેથી માન લેવાની દરકાર ન હોય. જેની
પાસેથી એક અક્ષર મળે તેનો પણ વિનય ભૂલાય નહિ, તો જે સદ્ગુરુએ આખો આત્મા સમજાવ્યો તેમના પ્રત્યે
મુમુક્ષુને કેટલી અર્પણતા અને વિનય હોય! સદ્ગુરુના વિનયને લોપે તે મહા સ્વચ્છંદી છે. શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને
તેનાથી જે સાંસારિક પ્રયોજન પોષે છે તે પણ મહા પાપી અનંતસંસારમાં રખડી મરનાર છે. સત્શાસ્ત્રોના જ્ઞાનનું
પ્રયોજન તો વીતરાગભાવ કરવાનું હતું તેને બદલે તેનાથી જ રાગભાવને અને સ્વચ્છંદને જે પોષે છે તે જીવ
આત્માનો મહા વિરાધક છે. એવા જીવોની તો વાત જ નથી. તેઓ તો આવી મોક્ષની વાતનું શ્રવણ કરવાને પણ
લાયક નથી. આત્માર્થી જીવ તો દેવ–ગુરુ પાસે એકદમ નિર્માન–નિર્માન થઈ જાય, જાણે કે હું મરી ગયો છું–મડદું છું–
એવી નિર્માનતા હોય. અનંતકાળથી હું મારા સ્વભાવનો અજાણ છું, મારે આત્મા સિવાય કાંઈ જોઈતું નથી, હું અત્યંત
પામર છું, હું કાંઈ જ જાણતો નથી, મને સ્વભાવનો લાભ કેમ થાય? એમ અત્યંત પાત્ર થઈને, સ્વચ્છંદતાને સર્વથા
છોડીને, ઝંખના કરતો કરતો સદ્ગુરુના ચરણે અર્પાઈ ગયો છે–એવા મોક્ષાર્થીને આચાર્યદેવ આ વાત કરે છે અને
એવો મોક્ષાર્થી ચોક્કસ આ વાત સમજીને સ્વભાવ પામી જાય છે.
વ્યવહારને લીધે નિશ્ચય પમાય એ માન્યતા ખોટી છે, પરંતુ ‘દેવ–ગુરુ–શાસ્ત્રના વિનય વગર હું મારી
મેળે નિશ્ચય પામી જઉં’ એમ માનીને જે વ્યવહારથી જ ભ્રષ્ટ થઈને સ્વચ્છંદ સેવે છે તે તો મહા અપાત્ર છે. ઊંચી
અધ્યાત્મની વાત જ્યારે પ્રચારમાં આવી છે અને ઘણું આધ્યાત્મિક સાહિત્ય બહાર આવ્યું છે, ત્યારે તે સાંભળીને
કે વાંચીને અનેક જીવો પોતાના નામે લોકો પાસે વાત કરવા મંડી પડ્યા છે અને એ રીતે પોતાનું માન પોષી
રહ્યા છે, તે જીવો એકલા સ્વચ્છંદી છે, અને મહા મોહનીયકર્મ બાંધીને અનંત ભવમાં ભટકવાના છે.
સદ્ગુરુ જ્ઞાનીના ચરણે વિનય અને અર્પણતા વગર પોતાની મેળે એક અક્ષર પણ સવળો પરિણમવાનો નથી.
વૈશાખ અને જેઠ માસના માંગળિક દિવસો
વૈશાખ સુદ ૨ સોમવાર: પરમ પૂજ્ય પરમ ઉપકારી વૈશાખ વદ ૮ સોમવાર: શ્રી શાંતિનાથ પ્રભુનાં
શ્રી કાનજી સ્વામીની ૫૯મી જન્મ જયંતિ. જન્મ–તપ તથા મોક્ષ કલ્યાણકનો દિવસ અને
વૈશાખ સુદ ૩ મંગળવાર: અક્ષયત્રીજ. દાનતીર્થ શ્રી જૈન સ્વાધ્યાયમંદિર–સોનગઢ–ના ઉદ્ઘાટનનો
પ્રવર્તનનો દિવસ. ભગવાન શ્રી ઋષભદેવને તથા તેમાં શ્રી સમયસાર શાસ્ત્રજીની
શ્રેયાંસકુમારે સૌથી પહેલું આહારદાન કર્યું. સ્થાપનાનો ૧૧ મો વાર્ષિક ઉત્સવ.
વૈશાખ સુદ ૧૦ મંગળવાર: શ્રીમહાવીર ભગવાનનો જેઠ સુદ પ શુક્રવાર: શ્રુતપંચમીઃશ્રી ભૂતબલી
કેવળજ્ઞાનકલ્યાણક દિવસ. આચાર્યદેવે ચતુર્વિધ સંઘસહિત શ્રી ષટ્ખંડાગમની
વૈશાખ વદ ૬ શનિવાર: સોનગઢના પૂજાનો ઉત્સવ કર્યો હતો તે દિવસ.
સમવસરણમંદિરમાં શ્રીસીમન્ધર ભગવાનની જેઠ વદ ૨ બુધવાર: શ્રી ઋષભદેવ
ચૌમુખી પ્રતિમાની તથા શ્રીકુંદકુંદાચાર્યદેવની ભગવાનના ગર્ભ–કલ્યાણકનો દિવસ.