Atmadharma magazine - Ank 056
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૧૫૦ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
તો અખંડ એક અરૂપી છે અને શરીર તો સંયોગ જડરૂપી પદાર્થ છે; બન્ને તદ્ન ભિન્ન છે. શરીરના લાખ કટકા
થાય છતાં ચેતના તો અખંડ જ છે. ચેતના અને શરીર કદી પણ એક થયાં જ નથી. શરીર કપાતાં જે જીવોને
દુઃખ થાય છે તેઓને શરીર કપાયું તે દુઃખનું કારણ નથી પણ શરીર સાથેની એકત્વબુદ્ધિ જ અજ્ઞાનીને દુઃખનું
કારણ છે; અને સાધક જીવોને જો, અલ્પ દુઃખ થાય તો તેમને પોતાના પુરુષાર્થની નબળાઈથી જે રાગ છે તેને
કારણે દુઃખ છે. જો શરીર કપાય તે દુઃખનું કારણ હોય તો આત્માના સ્વતંત્ર પરિણામ તે વખતે શું રહ્યા? શરીર
કપાતું હોય છતાં તે જ વખતે વીતરાગી સંતોને દુઃખ થતું નથી, પણ સ્વરૂપમાં ઠરીને કેવળજ્ઞાન પામી જાય છે.
માટે શરીર અને આત્મા સદાય જુદાં જ છે.
પરદ્રવ્યમાં કાંઈ પણ કરવાની ઈચ્છાનું
વ્યર્થપણું અને તે છોડવાની પ્રેરણા. –
હે જીવ, તું તારા સ્વભાવને ભૂલીને પણ પરદ્રવ્યમાં તો કાંઈજ કરવા સમર્થ નથી. તું તારા ભાવમાં
અનુકૂળ સામગ્રી મેળવવાની ઈચ્છા કર, પરંતુ તારી ઈચ્છા કરવાથી પરદ્રવ્યનો સંયોગ આવી જાય–એવું કાંઈ
નથી; એટલે તારી પરદ્રવ્યો સંબંધી ઈચ્છા તો ક્ષણે ક્ષણે વ્યર્થ જાય છે. જે વસ્તુનો જે રીતે જે વખતે જેવો સંયોગ
વિયોગ થવાનો છે તે વસ્તુનો તે રીતે તે વખતે તેવોજ સંયોગ વિયોગ થશે. વસ્તુના સ્વતંત્ર પરિણમનને કોઈ
રોકી શકે નહિ. તું ગમે તેમ માથા ફોડ અને વલખાં નાંખ (સંકલ્પો વિકલ્પો કર.) તેથી કાંઈ અનુકૂળ સામગ્રી
આવી જતી નથી માટે હે ભાઈ! તું પરદ્રવ્યોમાં કાંઈ પણ ફેરફાર કરવાની તારી વ્યર્થ માન્યતા છોડ, છોડ! કેમકે
તારી એ માન્યતાથી તનેજ દુઃખ થાય છે. પરદ્રવ્યોનું ગમે તેમ થાય, તેના કર્તાપણાની માન્યતા છોડીને તું તારા
સ્વભાવની દ્રષ્ટિથી બધાનો નિર્વિકલ્પપણે જ્ઞાતા રહીજા, એજ તને શાંતિનું કારણ છે પરવસ્તુના પરિણમનમાં
“આ આમ કેમ?” એવો વિકલ્પ કરવો તે પણ તારું કર્તવ્ય નથી. આ બધા દ્રવ્યો પોતાના સ્વરૂપમાં પરિણમે છે,
કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપથી બહાર પરિણમતું નથી, તું પણ તારા જ્ઞાન સ્વરૂપમાં જ પરિણમ. અનાદિથી જ્ઞાન
સ્વરૂપને ભૂલીને પરના લક્ષે વિકારરૂપે પરિણમી રહ્યો છો તેજ દુઃખનું કારણ છે.
આત્માની ભાવના કે આત્માનું ધ્યાન ક્યારે થઈ શકે?
સ્વભાવનું પરિણમન સ્વભાવની ભાવનાને આધીન છે, પણ સ્વભાવની ભાવના ક્યારે કરી શકે?
પહેલાંં જેવો સ્વભાવ છે તેવો જાણે તો તેનો મહિમા લાવીને ભાવના કરે. પણ જાણ્યા વગર ભાવના કોની કરે?
જેમ કોઈ કહે કે પાડાનું ધ્યાન કરો અથવા તો અમેરિકા દેશનું ચિંતવન કરો. પરંતુ જેણે કદી પાડો જોયો જ ન
હોય અને અમેરિકા દેશનું કાંઈ જ્ઞાન જ ન કર્યું હોય તે જીવ તેનું ધ્યાન કે ચિંતવન કેવી રીતે કરે? તેમ જેણે
સત્સમાગમે આત્મસ્વભાવ જાણ્યોજ નથી તે આત્માની ભાવના કે આત્માનું ધ્યાન ક્યાંથી કરી શકે? પહેલાંં
જિજ્ઞાસુ થઈ, સત્સમાગમ કરીને પોતાના પુરા સ્વભાવને જાણે, તો પછી પુરુષાર્થ વડે તે પુરા સ્વભાવની
ભાવના કરીને પર્યાયમાં જે કાર્ય લાવવા માગે તે લાવી શકે છે. પણ જ્યાંસુધી સ્વભાવને અને વિકારને ભિન્ન
ભિન્ન સ્વરૂપે ઓળખ્યા ન હોય ત્યાંસુધી સ્વભાવને બદલે વિકારમાંજ તન્મય થઈને તેની ભાવના કરે, પણ
જ્યારે સ્વભાવને અને વિકારને પ્રજ્ઞા છીણી વડે (સમ્યગ્જ્ઞાન વડે અર્થાત્ ભેદજ્ઞાન વડે) જુદા જુદા સ્વરૂપે
ઓળખે ત્યારે જીવ સ્વભાવનીજ ભાવના કરે, પણ વિકારની ભાવના કદી ન કરે. અને જેવી ભાવના તેવું
પરિણમન–એ ન્યાયે તે જીવને સ્વભાવની ભાવના હોવાથી ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી જાય છે અને વિકારની
ભાવના નહિ હોવાથી વિકાર ક્ષણે ક્ષણે ટળતો જાય છે.
આત્મા તરફ પ્રેમ ક્યારે જાગે?
જીવે અનાદિથી આત્મસ્વભાવ શું તે ખ્યાલમાં જ લીધું નથી તેથી તેને જડ શરીરનો અને વિકારનો પ્રેમ
છે પણ આત્માનો પ્રેમ નથી. એક વાર પણ જો યથાર્થ ઉલ્લાસથી આત્મસ્વભાવ પ્રત્યે પ્રેમ જાગે તો અલ્પકાળે
મુક્તદશા થાય.
પ્રશ્ન:–આત્મા તરફ પ્રેમ ક્યારે જાગે?
ઉત્તર:–આત્માની ઓળખાણ કરે ત્યારે જ તેના તરફ સાચો પ્રેમ જાગે. વસ્તુના સ્વરૂપને ઓળખ્યા વગર
તેનો મહિમા આવે નહિ અને તેના તરફ પ્રેમ થાય નહિ. જેમ લૌકિકમાં કોઈ સંબંધી માણસ પરદેશમાં હંમેશા
સામો મળતો હોય, પણ તે કોણ છે–એની જ્યાં