Atmadharma magazine - Ank 056
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
સુધી પોતાને ઓળખાણ ન હોય ત્યાંસુધી તેના પ્રત્યે પ્રેમ ન આવે. પરંતુ જ્યારે તેની ઓળખાણ થાય અને
ખબર પડે કે તે તો મારાજ ગામનો છે અને મારાજ કુટુંબનો છે, એમ ઓળખાણ થતાં જ તેના તરફ પ્રેમ જાગ્યા
વગર રહે નહિ. પહેલાંં પણ તેજ માણસ હતો અને અત્યારે પણ તે જ છે છતાં પહેલાંં પોતાને ઓળખાણ ન
હોવાથી પ્રેમ ન હતો અને હવે ઓળખાણ થતાં પ્રેમ થયો છે. તેવી રીતે આ જ્ઞાનસ્વભાવી આત્મા સદાય પોતા
પાસે જ છે, ક્ષણે ક્ષણે જાણવાનું કામ કરે છે પણ પોતે પોતાના સ્વભાવને ઓળખતો નથી તેથી તેને પોતાના
આત્મસ્વભાવ પ્રત્યે ઉલ્લાસ અને પ્રેમ જાગતો નથી. આત્મા તો સદાય પોતા પાસે જ છે, પોતે જ આત્મા છે,
પણ પોતાને પોતાના આત્મસ્વરૂપની સાચી ઓળખાણ નથી અને તેને અન્યરૂપે (–વિકારરૂપે કે જડરૂપે) માની
રહ્યો છે તેથી સ્વભાવનો સાચો પ્રેમ જાગતો નથી. પણ જો આત્માની સાચી ઓળખાણ કરે તો તેને ખબર પડે કે
અરે, આ આત્મા તો વિકારી નહિ, જડ નહિ પણ તેનાથી જુદો ચૈતન્ય–સ્વરૂપ છે અને એજ હું છું–એજ મારું
સ્વરૂપ છે, એવું ભાન થતાં આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગે છે. પહેલાં પણ આત્માનો સ્વભાવ તો એજ હતો અને
અત્યારે પણ એજ આત્મા છે, પણ પહેલાંં પોતાના સ્વભાવની પોતાને ઓળખાણ નહિ હોવાથી આત્મા પ્રત્યે
ભક્તિ–પ્રેમ જાગતો ન હતો. અને હવે સાચી ઓળખાણ થઈ તેથી તેના પ્રત્યે સાચી ભક્તિ અને પ્રેમ જાગે છે.
એટલે સાચી ઓળખાણ વગર સાચી ભક્તિ કે પ્રેમ (મહિમા, રુચિ, આદર) હોઈ શકે નહિ.
જેને વિકારનો પ્રેમ છે તેને સ્વભાવનો અનાદર છે.
ચિદાનંદ જ્ઞાતા સ્વરૂપ હું છું એમ જો ન જાણ્યું અને સ્વભાવને ભૂલીને વિકારનો પ્રેમ કર્યો તો પછી તે
જીવ તીર્થંકર ભગવાનની ભક્તિના નામે ગમે તેવા શુભભાવ કરે કે લાખો રૂપિયા દાનમાં ખરચે છતાં તેનાથી
આત્માને ધર્મનો કાંઈ લાભ ન થાય, પરંતુ ઊલટો તે રાગથી આત્માને લાભ માને તેથી તીવ્ર અંતરાય કર્મ
બાંધીને મૂઢ થઈને ચોરાશીના અવતારમાં રઝળવાનો છે. પુણ્ય–પાપ ગમે તેવા કરે અને તેનાથી આત્માને
કિંચિત્ લાભ માને તે જીવને આત્માના સ્વભાવનો પ્રેમ નથી પણ વિકારનો પ્રેમ છે. પુણ્યભાવથી ધર્મ તો થતો
નથી પણ તેનાથીયે સાત કે આઠ પ્રકારના કર્મો બંધાય છે. અને તે ભાવથી આત્માની શુદ્ધિનો ઘાત થાય છે. ગમે
તેવા શુભાશુભ વિકારભાવ કરે તો પણ તેના ફળમાં ચોરાશીના જ અવતાર છે, અને આત્મસ્વભાવની
ઓળખાણ તે ચોરાશીના અવતારનો નાશ કરીને સિદ્ધદશાની પ્રાપ્તિનું કારણ છે. સ્વભાવમાં ભવ ન હોય અને
વિભાવમાં ભવનો અંત ન હોય. કોઈ પણ જાતના બંધભાવથી આત્માના ગુણની વૃદ્ધિ નથી પણ નુકશાન જ છે.
જ્યાં વિકારનો સત્કાર છે ત્યાં નિર્વિકાર સ્વરૂપનો અનાદર છે.
જ્ઞાન દુ:ખનું કારણ નથી પણ મોહ દુ:ખનું કારણ છે.
ક્ષયોપશમિકજ્ઞાન તે દુઃખનું કારણ નથી, પણ ઈચ્છા જ દુઃખનું કારણ છે. પદાર્થોને જાણવા તે દુઃખનું
કારણ નથી, પણ મોહથી વિષયગ્રહણની જે ઈચ્છા થાય છે તે જ દુઃખનું મૂળ કારણ છે. જો જ્ઞાન પોતે દુઃખનું
કારણ હોય તો જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ દુઃખ પણ વધતું જાય. અને જ્ઞાન રહિતપણું સુખનું કારણ ઠરે. તેમ
થતાં જડને પૂરું સુખ માનવું પડે. પરંતુ જ્ઞાન તો પોતાનો સ્વાભાવિક ભાવ છે તે દુઃખનું કારણ નથી. પરંતુ
ક્ષાયોપશમિક જ્ઞાન સાથે જેટલો મોહ ભળે છે તેટલું દુઃખ છે.
પ્રશ્ન:– કોઈ માણસનો પુત્ર બહારગામ હોય અને તેનું મૃત્યુ થઈ ગયું હોય; પણ જ્યાં સુધી તે માણસને
પુત્રના મૃત્યુ સંબંધી જ્ઞાન નહિ હોય ત્યાં સુધી તેને તે સંબંધી દુઃખ નહિ લાગે અને જ્યારે તેને પુત્રના મૃત્યુનું
જ્ઞાન થશે ત્યારે તરત જ દુઃખ થશે. માટે જ્ઞાન તે જ દુઃખનું કારણ છે.
ઉત્તર:–નહિ, ત્યાં જ્ઞાન દુઃખનું કારણ નથી પણ પુત્ર પ્રત્યેનો મોહ જ દુઃખનું કારણ છે. જો જ્ઞાન દુઃખનું
કારણ હોય તો જેને જેને તે પુત્રના મૃત્યુનું જ્ઞાન થાય તે બધાયને સરખું દુઃખ કેમ થતું નથી? જેને જેટલો મોહ
તેને તેટલું દુઃખ થાય છે, જે વખતે તે માણસને પુત્રના મૃત્યુનું જ્ઞાન થયું તે જ વખતે તે માણસે અંતરના ભાન
વડે વૈરાગ્ય લાવીને મોહ ન કર્યો હોત તો તેને જ્ઞાન હોવા છતાં દુઃખ ન થાય. કેમકે દુઃખનું કારણ જ્ઞાન નથી પણ
મોહ છે. મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે જાણ્યું માટે દુઃખ થયું, અથવા તો પુત્ર મૃત્યુ પામ્યો માટે દુઃખ થયું. એ બંને
વાત ખોટી છે જેટલો મોહ કરે તેટલું જ દુઃખ થાય એ જ એક સિદ્ધાંત છે. સંયોગી પદાર્થો પ્રત્યેના મોહથી જે દુઃખ
થાય છે તે દુઃખ ટાળવાનો ઉપાય પરવસ્તુનો સંયોગ મેળવવો તે નથી, તેમ જ ઈચ્છા કે ઈન્દ્રિયોની પુષ્ટિ તે પણ
ઉપાય નથી. ખરો ઉપાય એ છે કે સંયોગી પદાર્થોની દ્રષ્ટિ છોડીને અસંયોગી