ભરેલો છે. ગુજરાતી ભાષામાં અક્ષરશ: અનુવાદ સહિત આ પરમાગમશાસ્ત્ર પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે.
તેમાં મંગળાચરણરૂપે મારી સન્મુખ સર્વે તીર્થંકર ભગવંતોની હાર બેસાડીને એકેકના ચરણે નમસ્કાર કરું છે.
લીન થઈ જતા હોય!
પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. અહો, તે અર્હંત ભગવંતોને નમસ્કાર હો.
છે. જેનાથી સીધી શીવપ્રાપ્તિ થાય એવા શુદ્ધોપયોગ માટે આચાર્યદેવની ઝંખના છે તે આ શાસ્ત્રમાં જણાઈ
આવે છે. વર્તમાન વર્તતી સરાગ ચારિત્ર–દશાનો નિષેધ કરીને–તેને દૂરથી જ ઓળંગી જવાની પ્રતિજ્ઞા કરીને,
જ્ઞાયક ભાવમાં ડૂબકી મારીને સદાય તેમાં જ સમાઈ રહીને આત્મા સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય એવી
અંતર ભાવનાને ઘૂંટી છે.
આ ટીકા કરવામાં આવે છે. પરમાનંદના પિપાસુ જીવો આ કાળે છે ને તેઓ પરમાનંદને પ્રાપ્ત કરવાના છે.
વર્તમાનમાં વર્તે છે, પરંતુ હજી સરાગચારિત્રદશા પણ વર્તે છે, સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમન થતું નથી તેથી
સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવને પ્રાપ્ત કરવાની ઝંખના છે; તે માટે શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરતાં કહે છે કે હે
નાથ! પંચ પરમેષ્ઠી ભગવંતો! આપને નિર્મળદશા પ્રગટ થઈ છે તે માટે હું આપને નમસ્કાર કરું છું. બધાય
ભગવંતોને પ્રત્યક્ષરૂપ કરીને સર્વેને એક સાથે નમસ્કાર કરું છું તેમજ દરેકને પ્રત્યેક પ્રત્યેકને નમસ્કાર કરું છું.
અને એ રીતે નમસ્કાર કરીને હું વીતરાગી ચારિત્રને અંગીકાર કરું છું–આત્માના શુદ્ધોપયોગમાં લીન થાઉં છું.
બંધનું કારણ છે ને વીતરાગચારિત્ર મોક્ષનું કારણ છે. વીતરાગચારિત્ર તે શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગ વખતે
શુભ–અશુભ ઉપયોગ હોતા નથી. આત્મા તે તે સમયના પોતાના ઉપયોગ–પરિણમનથી ટકે છે. જે વખતે જે
પરિણામ થાય છે તે વખતે તે પરિણામ રૂપે આત્મા થાય છે. પરિણામ રૂપે ત્રિકાળી વસ્તુ પરિણમે છે. પરિણામ
સાથે જ પરિણામી અભેદ છે, પરિણામની એકતા પરિણામી દ્રવ્ય સાથે છે, કોઈ બીજા સાથે તેને સંબંધ નથી.
આમ જાણીને પોતાના ત્રિકાળી પરિણામીસ્વભાવનો આશ્રય કરીને જીવ પરિણમે તો સ્વભાવના આશ્રયે
પરિણમતાં પરિણમતાં તે પરમાત્મા થાય છે.