પરિણમન માને નહિ પરંતુ તે પોતે પણ સમયે સમયે પરિણમ્યા વગર તો રહેતો જ નથી. વસ્તુના પરિણમનને જે
નથી માનતો તેને અધર્મ દશા પલટાવીને ધર્મરૂપે પરિણમવાની રુચિ નથી. ત્રિકાળી વસ્તુનું પરિણમન સ્વીકારીને
જો વસ્તુઆશ્રિત પરિણમે તો એક જ સમયમાં અધર્મ ટાળીને વસ્તુ પોતે ધર્મરૂપે પરિણમી જાય છ. ધર્મ તે
પરિણામ છે–અવસ્થા છે, એક સમયની દશા છે. આત્મામાં ધર્મ અનાદિથી નથી પણ નવો થાય છે.
નાના કાળમાં) અધર્મ–અકલ્યાણદશામાંથી ગૂલાંટ મારીને ધર્મ–કલ્યાણ રૂપે પરિણમી જાય એવો તેનો સ્વભાવ
છે. જે જીવ નાનામાં નાના કાળમાં વસ્તુનું પરિણમન માને–એટલે કે–આત્મા પોતાના સ્વભાવના આશ્રયે એક
સમયમાં વિકાર ટાળીને પૂર્ણ અવસ્થારૂપે પરિણમી જાય–એવો સ્વભાવ છે, તેને જે સ્વીકારે તે જીવ સ્વભાવ–
આશ્રિત પરિણમીને કેવળજ્ઞાનમય થઈ જાય. જો આત્મા દરેક સમયે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે ન
પરિણમી જતો હોય તો આત્મામાં ધર્મ જ ન થઈ શકે. આથી એમ સમજવું કે આત્મામાં જે પરિણમન ન માને
તેને ધર્મ થાય નહિ.
પરની મદદ વગર સ્વયં પરિણમે છે. આમ સમજીને, પરનો આશ્રય છોડીને સ્વસન્મુખ થઈને વસ્તુસ્વભાવને
સ્વીકારે તો પોતાના સ્વભાવના આશ્રયે પરિણમીને શુદ્ધોપયોગથી સ્વરૂપમાં રમણતા કરે અને વીતરાગચારિત્ર
પ્રગટ કરી કેવળજ્ઞાન પામે.
પરિણમન છે તે પલટીને એવું પરિણમન થશે કે પૂર્ણતારૂપે જ વસ્તુ પરિણમશે, અને એવું પૂરું પરિણમન સદાય
થયા કરશે. આત્મા કેવળજ્ઞાનરૂપે પરિણમી ગયા પછી તેને તે જ કેવળજ્ઞાનપરિણામ સદા રહેતો નથી, પણ
સમયે સમયે નવા નવા કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા ઊપજે છે. પહેલા સમયનો જે કેવળજ્ઞાનપરિણામ છે તે
પોતે જ બીજા સમયે હોતો નથી; પહેલા સમયનો કેવળજ્ઞાનપરિણામ બીજા સમયે નાશ પામે છે અને નવા
કેવળજ્ઞાનપરિણામરૂપે આત્મા પરિણમે છે. એ રીતે શુદ્ધોપયોગના ફળરૂપે સાદિ અનંતકાળ આત્મા કેવળજ્ઞાનરૂપે
જ પરિણમ્યા કરે છે.
થાય છે, ને વળી પાછો શુભોપયોગ થતાં છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રતાદિ વિકલ્પ ઊઠે છે, તેનો આચાર્યદેવ નિષેધ
કરે છે કે આ ન જોઈએ, આ સરાગચારિત્ર અનિષ્ટફળવાળું છે. વીતરાગચારિત્રનું ફળ મોક્ષ છે તે જ ઈષ્ટ છે.
વર્તમાન સરાગચારિત્ર છે તેનો અને રાગના ફળમાં સ્વર્ગમાં જવાના છે તેનો આચાર્યદેવ વર્તમાનમાં નિષેધ કરે છે;
છતાં પંચમકાળ હોવાથી અને સરાગચારિત્ર હોવાથી સ્વર્ગમાં જશે, પણ તેનો આદર નથી, સરાગચારિત્રનો પણ
આદર નથી; વીતરાગચારિત્રની જ ભાવના છે. એક જ સ્વભાવનું આરાધન છે, મહાવ્રતનું આરાધન પણ નથી;
મહાવ્રતને અંગીકાર કરવાની પ્રતિજ્ઞા નથી કરી પણ તેને ઓળંગી જઈને વીતરાગચારિત્રરૂપ સામ્યભાવને અંગીકાર
કરવાની પ્રતિજ્ઞા કરી છે. એ રીતે એકલા શુદ્ધસ્વભાવનું જ આરાધન કરીને અલ્પકાળે ચારિત્ર પૂરું કરીને મુક્ત થશે
એવા આચાર્યભગવંતોની વાણી આ પ્રવચનસાર–શાસ્ત્રમાં છે.