Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૩:
દર્શન પ્રાભૃત ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોનો ટૂંકસાર આત્મધર્મ અંક ૫૪ થી ચાલુ
અષ્ટપ્રાભૃત – પ્રવચનો
સં. ૨૪૭૩: જેઠ સુદ ૩ લેખાંક: ૧૦
(૨૧૬) સાચી સમજણ અને વ્રતાદિનો ક્રમ
જેણે રાગ–દ્વેષરહિત પોતાના શુદ્ધસ્વભાવની પ્રતીતિ કરી તેને સમ્યગ્દર્શન થયું. તે જીવ બધા રાગ–દ્વેષનો
ત્યાગ ન કરી શકે અને સ્ત્રી આદિનો ત્યાગ તેને ન હોય તોપણ તેનું સમ્યગ્દ્રષ્ટિપણું ચાલ્યું જતું નથી.
કોઈ જીવ એમ માને કે– ‘અત્યારે આપણે આત્મા સમજવાનું શું કામ છે? પહેલાંં રાગ ઘટાડીને ત્યાગ
કરવા માંડો. આત્મા ન ઓળખાય ત્યાં સુધી વ્રત વગેરે કરવાં, એમ કરવાથી ક્યારેક આત્મા ઓળખાશે, ’ –
એમ માનનાર મિથ્યદ્રષ્ટિ છે. તે મોક્ષમાર્ગના ક્રમનું ઉલ્લંઘન કરે છે. આત્માને ઓળખ્યા વગર કોનો ત્યાગ
કરશે? અને આત્માને ઓળખ્યા વગર શેના વ્રત? પ્રથમ રાગરહિત સ્વભાવને સમજ્યા વગર યથાર્થપણે રાગ
ટળી જ શકે નહિ. અને વ્રતાદિ હોય જ નહિ હજી જેનામાં આત્મભાન કરીને ચોથું ગુણસ્થાન પ્રગટ કરવાની તો
તાકાત નથી. તે જીવમાં વ્રતાદિ કે જે પાંચમાં ગુણસ્થાને હોય છે તે પ્રગટ કરવાની તાકાત ક્યાંથી આવશે?
આપણાથી વ્રત–તપ થાય, પણ સાચી સમજણ ન થઈ શકે–એમ જે માને છે તેને આત્મસ્વભાવની અરુચિ છે
અને શુભરાગની રુચિ છે–તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આત્મજ્ઞાન વિના શુભભાવ કરે તોપણ ધર્મ નથી અને શુભરાગ
કરવો તે આત્મજ્ઞાનનો ઉપાય નથી. જ્યાં સુધી વિકારરહિત સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી સમજણનો જ
પ્રયત્ન કર્યા કરવો, પરંતુ શુભરાગ તે ધર્મનો ઉપાય છે–એમ ન માનવું.
(૨૧૭) અત્મસ્વભવન સમજણ અત્યર થઈ શક છ
‘હમણાં આત્માની સમજણ ન થઈ શકે’ એમ જે માને છે તે આત્માની જ ના પાડે છે અને તેને વિકારની
જ રુચિ છે. અત્યારે તારો આત્મા છે કે નહિ? અને જો આત્મા છે તો તેના જ્ઞાનાદિ ગુણો છે કે નથી? તથા તે
જ્ઞાનાદિ ગુણોની પર્યાય ક્ષણે ક્ષણે કાર્ય કરે છે કે નહિ? ક્ષણે ક્ષણે પોતાની પર્યાયમાં કાર્ય તો થઈ જ રહ્યું છે પણ
અજ્ઞાની કહે છે કે– ‘મારું જ્ઞાન પરને જાણી શકે પણ મને ન જાણે, મારાથી અત્યારે વિકાર થઈ શકે પણ
અવિકારી સમજણ ન થઈ શકે. ’ આ રીતે તીવ્ર અજ્ઞાનીની દ્રષ્ટિ જ ઊંધી છે તેથી તે આત્માનો અનાદર કરીને
સાચી સમજણ કરવામાં આડ મારે છે. મારો પુરુષાર્થ કાર્ય ન કરી શકે એમ માનનાર જીવ સત્ સમજવાને લાયક
નથી. માટે એમ નિર્ણય કરવો જોઈએ કે–આત્મા વસ્તુ સમજી શકાય એવા સ્વભાવવાળી છે, મારા સત્ પ્રયત્નથી
હું આત્ભસ્વભાવ–સમજવાને લાયક છું. એમ પોતાની લાયકાત સ્વીકારીને જે સત્સ્વભા૧ક્ષ્વ સમજવાનો
પુરુષાર્થ કરે તેને જરૂર સમજાય. દરેક જીવોએ પહેલાંં એ જ પુરુષાર્થ કરવાનો છે.
(૨૧૮) સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિનું માપ કઈ રીતે છે?
સાચી સમજણનું માપ બાહ્ય ત્યાગ ઉપરથી નથી, અને રાગની મંદતા ઉપરથી પણ નથી. જે બાહ્ય ત્યાગ
ઉપરથી કે રાગની મંદતા ઉપરથી સાચી સમજણનું માપ માને છે તે જીવ બહિરદ્રષ્ટિ છે.
જેને સાચી સમજણ થાય તે જીવને તરત જ બધા રાગાદિ ટળી જવા જોઈએ અને તેને ત્યાગી થઈ જવું
જોઈએ–એમ કોઈ માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. શ્રીમદ્રાજચંદ્રજીને આત્મભાન હતું છતાં વેપાર–ધંધો હતો,
સ્ત્રી, પુત્ર–પુત્રી થતાં હતાં; તેથી કંઈ તેમનું આત્મભાન ખસી ગયું ન હતું. ગૃહસ્થપણામાં હોવા છતાં તેઓ
એકાવતારી થયા છે. તે વખતે વખતે બીજા બહિરદ્રષ્ટિ અજ્ઞાનીઓ કહેતા હતા કે– ‘અમે તો ત્યાગી થયા છીએ
અને તેણે તો કાંઈ ત્યાગ કર્યો નથી. શું અમે ત્યાગી થયા છતાં અજ્ઞાની, અને એ અમારા કરતાં આગળ વધી
ગયા? જો એ આત્મા સમજ્યા હોય તો કાંઈ ત્યાગ કેમ કર્યો નથી? ’ અરે ભાઈ! તેં શું કર્યું છે? ત્યાગના
અભિમાન કરી કરીને માત્ર મિથ્યાત્વ પોષ્યુ છે. હજી સમ્યગ્દર્શનનું ઠેકાણું નથી અને પોતાને મુનિ માની બેસે, તે
જીવ સત્ સમજવાની દરકાર શેનો કરે?