નથી, પણ તે વખતે ય શુદ્ધાત્મ સ્વભાવમાં જ એકત્વપણે વર્તે છે. તેને બહારમાં ધંધા–વેપાર હોય તોપણ તે
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. અને જેણે રાગરહિત સ્વભાવને જાણ્યો નથી તેથી રાગમાં જ એકત્વપણે જે વર્તે છે એવા
ગૃહસ્થાવાસમાં હોય તોપણ અલ્પ ભવે મુક્ત થશે.
રાગ હોવા છતાં તેમાં લીનતા હોતી નથી એટલે તેને રાગના વિષયોમાં પણ લીનતા હોતી નથી. જ્ઞાનીને આસક્તિરૂપ
રાગ હોય છે પરંતુ રુચિરૂપ રાગ હોતો નથી–પરમાં આનંદ માનતા નથી, રાગમાં આત્માની એકતા માનતા નથી,
રાગને દુઃખરૂપ માને છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિપૂર્વકનો રાગ થાય છે અને તે રાગને કર્તવ્ય માને છે.
સંઘરી મૂકવાનો ભાવ નથી. વળી બીજું દ્રષ્ટાંત એ છે કે–કોઈને ઝાડા થયા અને બહાર જતાં વાર લાગે છે, તેથી
અલ્પકાળ વિષ્ટા પેટમાં રહે છે, ત્યાં તેને તે વિષ્ટા પેટમાં રાખવાનો ભાવ નથી પણ જલ્દી છોડવાનો ભાવ છે.
આ બે દ્રષ્ટાંતો છે, તેના ઉપરથી સિદ્ધાંત એ સમજવાનો છે કે–અજ્ઞાનીઓએ બધા ય રાગને પોતાના ચૈતન્ય
જાય છે તેને ઝેરી સર્પ અને વિષ્ટાતુલ્ય જાણીને છોડવા માગે છે. અલ્પકાળ જે રાગાદિ થાય છે તેને રાખવાની
ભાવના નથી પણ ટાળવાની જ ભાવના છે. ભેદવિજ્ઞાન થતાં, પુણ્ય–પાપભાવ મારાં છે અને હું તેનો કર્તા છું
એવીય માન્યતારૂપ બંધકોષ તો છૂટી ગયા છે, હવે વિકારીભાવોરૂપ વિષ્ટા લાંબો વખત ટકી શકશે નહિ.
શ્રીમદ્રાજચંદ્રજીએ લખ્યું છે કે ‘જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ
સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ (ચૈતન્યસ્વભાવ) પ્રત્યે
સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.’
સ્વભાવભાવ છે તેનાથી બંધન થતું નથી અને જેનાથી બંધન થાય તે મારો સ્વભાવ નથી–એ પ્રમાણે જ્ઞાનીને
નિરંતર સ્વભાવ અને રાગાદિ વિભાવ વચ્ચે ભેદજ્ઞાન વર્તે છે, અને તેમના અભિપ્રાયનું જોર તો સ્વભાવ તરફ
છે. અજ્ઞાનીને રાગ અને સ્વભાવ વચ્ચે ભેદજ્ઞાન નથી તેથી તે રાગને જ આત્મા માનીને એકત્વપણે રાગનો
અનુભવ કરે છે, અને રાગમાં આત્મબુદ્ધિ હોવાથી તેના અભિપ્રાયનું જોર રાગમાં જ રહ્યા કરે છે તેથી તેનાં
ઊંધા અભિપ્રાયમાં અમર્યાદિત વિકાર છે.
અંશે જે સાક્ષાત્ અનુભવ થયો છે તે અંશ ઉપરથી આખો નિર્મળ ચારિત્રભાવ કેવો હોય તેનું પણ જ્ઞાનીને
અનુમાનવડે ભાન થયું છે, એટલે તે નિર્મળચારિત્રભાવથી વિરુદ્ધભાવોને પોતાનું સ્વરૂપ માનતા નથી. જ્યાં
સુધી જીવ પરનું અને વિકારનું લક્ષ છોડીને પોતાના નિરપેક્ષ પરિપૂર્ણ સ્વભાવમાં અભેદ દ્રષ્ટિ ન કરે અને
સ્વભાવમાં એકત્વબુદ્ધિ ન કરે ત્યાં સુધી તેને વિકારનું કે પરનું યથાર્થ જ્ઞાન થાય નહિ; કેમકે સ્વભાવમાં
એકત્વબુદ્ધિ પ્રગટી નહિ હોવાથી,