છોડી દે, બહુ ઓછું બોલે, ધીમે ધીમે ચાલે એ ઉપરથી કાંઈ વૈરાગ્યનું માપ નથી. લડાઈ અને વિષયભોગમાં
હોવા છતાં તે વખતે પણ જ્ઞાનીને તે પ્રત્યે ઉદાસીનતા છે, એ વખતે પણ તેઓ વૈરાગી છે. સ્વભાવના ભાન
વગર અજ્ઞાનીજીવ ત્યાગી થાય છતાં તે અધર્મી છે, તેને સાચો વૈરાગ્ય નથી. રાગ સાથેની એકત્વબુદ્ધિ ટળ્યા
અથવા પરમા સુખબુદ્ધિ અને વૈરાગ્ય એ બે વાત પરસ્પર વિરોધી છે, તે બંને સાથે હોઈ જ શકે નહિ. જેને
રાગમાં એકત્વપણું ટળ્યું તથા પરમાં સુખબુદ્ધિ ટળી તેને પોતાના શુદ્ધ સ્વભાવમાં એકત્વપણું હોય. અને જેને
સ્વભાવમાં એકત્વપણું હોય તેની પરિણતિ રાગમાં રુચિપૂર્વક કદી જોડાય નહિ. ‘હું રાગ કરું છું અથવા તો રાગ
થાય તેથી વાંધો નથી’ એવી જેની દ્રષ્ટિ છે તેનું જોર રાગ તરફ જાય છે, તેને રાગરહિત સ્વભાવની શ્રદ્ધા નથી.
જ્ઞાનીનું જોર રાગ તરફ નથી જતું પણ સ્વભાવ તરફ ઢળે છે. મારો સ્વભાવ રાગરહિત જ છે–એવી સ્વભાવની
પ્રતીતના જોરે જ્ઞાનીને ક્ષણે ક્ષણે રાગ ટળતો જ જાય છે; જ્ઞાતાસ્વભાવની પ્રતીતના જોરે રાગના જ્ઞાતા રહીને
તેઓ રાગને ટાળે છે.
રાગની રુચિ હોવા છતાં કહે છે કે મને સાચી શ્રદ્ધા છે, એટલે તે મિથ્યાત્વનું પાપ પણ દ્રઢ કરે છે. કોઈ જીવ
ત્યાગ ન કરી શકે અને ચારિત્ર અંગીકાર ન કરી શકે પણ જો સાચી શ્રદ્ધા રાખે તો તેને જૈનમાર્ગમાં દંડ નથી;
જીવ વિરાધક થઈને અનંત સંસારમાં રખડે છે; તેથી શ્રીકુંદકુંદભગવાને આ દર્શન–પાહુંડમાં ૨૨મી ગાથામાં ખાસ
કહ્યું છે કે હે જીવ! જો જિનમાર્ગમાં કહ્યા પ્રમાણે બધું કરવા તું સમર્થ હોય તો તેમ કરજે, પણ જો બધું કરવા
સમર્થ ન હો તો સાચી શ્રદ્ધા તો અવશ્ય કરજે.
છે. અન્ય કે જેઓ સમ્યગ્દર્શનાદિથી ભ્રષ્ટ છે અને ગુણવાન પ્રત્યે દ્વેષભાવ રાખીને વિનયરૂપ નથી પ્રવર્તતા તેઓ
વંદવા યોગ્ય નથી.
મિથ્યાદ્રષ્ટિ છે. જો કોઈ જીવ યથાજાતરૂપ મુદ્રાને જોઈને પણ દ્વેષભાવને લીધે તેનો (નિર્ગ્રંથ સંતનો) વિનય ન
કરે તો એમ જાણવું કે તે જીવને તે રૂપની (નિર્ગ્રંથમાર્ગની) જ શ્રદ્ધા–રુચિ નથી; એ રીતે જિનમાર્ગની શ્રદ્ધા–
રુચિ વિના તો મિથ્યાદ્રષ્ટિ જ હોય.
આત્મદશામાં ઝૂલી રહેલા ભગવાન સમાન મુનિઓનો અનાદર કર્યો તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.... એવા જીવોને
વંદન કરવું યોગ્ય નથી.
ઋદ્ધિના ધારક દેવો પણ જે રૂપને પગે પડે છે તેને દેખીને દ્વેષ–ભાવને લીધે જે વંદન કરતો નથી તેને સમ્યક્ત્વ
કેવું?