એકલું સાપેક્ષ સિદ્ધ થાય નહિ. અત્યારે પર્યાયની પણ પ્રભુતા બતાવવી છે; જો પર્યાયને દ્રવ્ય–ગુણનો આશ્રય
માનો તો પર્યાયની પ્રભુતા નથી રહેતી: અહો દ્રવ્યનો દરેક અંશ સ્વતંત્ર પ્રતાપે શોભે છે, આવી પ્રતીત કરનારને
સ્વભાવનો જ આશ્રય થાય છે. રાગનો આશ્રય માને તોય આત્માનો પ્રતાપ અખંડ નથી રહેતો.
પ્રભુતા છે. આવી પોતાની પ્રભુતાની જેને પ્રતીત થઈ તેને જયવંત એવું કેવળજ્ઞાન પ્રગટ્યા વગર રહે નહિ.
નથી તેને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટે છે, તે જ ચૈતન્યચમત્કાર છે. તે કેવળજ્ઞાન જયવંત વર્તો એમ અહીં
માંગળિક કર્યું છે.
તેનું ચૈતન્ય તેજ જયવંત વર્તે છે. એમ કહેવામાં પોતાના અપ્રહિત કેવળજ્ઞાનની ભાવના છે.
કારણ સહજ છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણ સહજ પોતાના સ્વભાવથી છે ને તેનો પર્યાય પણ સહજ છે. અહીં તો એમ
કહ્યું કે પર્યાયનો–સ્વભાવ સહજ છે; તેને પૂર્વ પર્યાયની, નિમિત્તની કે રાગાદિની અપેક્ષા નથી. પૂર્વે મોક્ષમાર્ગની
દશા હતી તેનાથી કેવળજ્ઞાનદશા પ્રગટી નથી પણ તે સમયનો પર્યાયનો જ તે સહજ પ્રતાપ છે. તે પર્યાય તે
સમયના પોતાના અખંડ પ્રતાપથી જ પરની અપેક્ષા વગર કેવળજ્ઞાનરૂપે પરિણમ્યો છે, તે સમયનો તે પર્યાયનો
તેવો જ સ્વકાળ છે. તે પર્યાય પણ સત્ છે. પહેલાંં કેવળજ્ઞાનદશા ન હતી તે અપેક્ષાએ તેને નવી પ્રગટી કહેવાય;
પણ ખરેખર તો દ્રવ્યના ત્રિકાળી પર્યાયમાં તે અવસ્થા સત્ હતી તે જ પ્રગટી છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે
તે નવું જ પ્રગટે છે, મતિ–શ્રુત વગેરે ચાર જ્ઞાન ભલે કેવળજ્ઞાનની જાતના છે, પણ તે ચારે જ્ઞાન અપૂર્ણ છે–
વિભાવરૂપ છે, અને કેવળજ્ઞાન તો સ્વભાવરૂપ છે. ચાર જ્ઞાનમાં નિમિત્ત તરીકે કર્મના આવરણનો સદ્ભાવ છે,
પણ કેવળજ્ઞાનમાં તો કર્મના આવરણનો તદ્ન અભાવ છે. એવું કેવળજ્ઞાન પ્રગટ થયું તે તે પર્યાયનું સ્વાભાવિક
સામર્થ્ય છે. પર્યાયનો પણ સ્વતંત્ર સ્વભાવ છે. દ્રવ્ય–ગુણના કારણે પર્યાય થયો નથી. જો દ્રવ્ય–ગુણના કારણે
કેવળજ્ઞાનપર્યાય થયો હોય તો બીજા બધા જીવોને પણ તે વખતે દ્રવ્ય–ગુણ તેવા જ છે, છતાં તેમને તે વખતે
કેવળજ્ઞાનપર્યાય કેમ ન થયો? બે જીવને મનઃપર્યયજ્ઞાન હોય, ને બેમાંથી એકને કેવળજ્ઞાન થયું ને બીજાને તે
વખતે કેવળજ્ઞાન ન થયું તેનું કારણ કોણ? બસ, પર્યાયનો તે તે સમયનો સ્વભાવ જ છે, એ સિવાય ભિન્ન કોઈ
કારણ નથી. અત્યારે ‘પર્યાય પણ નિરપેક્ષ છે’ એમ બતાવવું છે, તેથી એમ કહ્યું કે પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ છે,
તેનું કારણ દ્રવ્ય–ગુણ નથી પણ જ્યારે દ્રવ્ય–ગુણ–પર્યાયની સાપેક્ષતા વર્ણવવી હોય ત્યારે દ્રવ્ય–ગુણને જ
પર્યાયનું કારણ કહેવાય છે. પર્યાય તે દ્રવ્ય–ગુણમાંથી આવે છે, દ્રવ્ય–ગુણનું જ પરિણમન તે પર્યાય છે. જ્યારે જે
અપેક્ષા ચાલતી હોય ત્યારે તે અપેક્ષાએ વસ્તુસ્વરૂપ સમજવું જોઈએ.
સ્વતંત્રતાથી આત્મા શોભી નીકળે છે–એવો આત્માની પ્રભુતાનો પ્રતાપ છે.