અલ્પકાળમાં સુપ્રભાત થશે ને ઝળહળતો કેવળજ્ઞાન સૂર્ય ઊગશે. આચાર્યદેવ કહે છે કે એવો ચૈતન્ય ચમત્કાર
જયવંત વર્તે છે.
લોકાલોક પણ અલ્પ થઈ ગયા. સ્વભાવના આશ્રયે જ્ઞાનની બેહદતા ખીલી નીકળી ત્યાં લોકાલોકની હદ આવી
ગઈ, જ્ઞાન લોકાલોકનો પાર પામી ગયું. આવા જ્ઞાનસ્વભાવના ભાનમાં માંગળિક જ છે, સ્વભાવ તરફ વળીને
એકાગ્ર થયો ત્યાં અમાંગળિક કાંઈ રહે જ નહિ.
બહારની વસ્તુઓ મેળવવાની ભાવના કરે છે. આજે બેસતા વરસના પ્રભાતે અજ્ઞાની લોકો લક્ષ્મી, બાયડી–
છોકરાં, શરીરની નીરોગતા, વસ્ત્ર વગેરે બહારની વસ્તુઓને મેળવવા માગે છે. પણ આચાર્યભગવાન કહે છે
કે ભાઈ, તું જ્ઞાન છો, તારી પ્રભુતા તારામાં છે. તારા જ્ઞાનમાં એવી પ્રભુતા છે કે બધાને જાણે. પણ તારા
અને પરવસ્તુ કદી જ્ઞાનમાં આવતી નથી. આ લોકમાં તો અનંતાનંત પર પદાર્થો છે, તેમાંથી તું લક્ષ્મી વગેરે
થોડા પદાર્થો મેળવવા માગીશ તો તારું જ્ઞાન તે થોડા પદાર્થોના લક્ષે વિકારમાં અટકી જશે; અને તે અટકેલું
જ્ઞાન એક પદાર્થને પણ યથાર્થ જાણી નહિ શકે. માટે તું થોડીક પરવસ્તુને મેળવવાની ભાવના છોડીને,
જ્ઞાનસ્વભાવના લક્ષે એકાગ્ર થઈને તારા જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞેય તરીકે મેળવ ને! કોઈ આત્મામાં
કાંઈ પર પદાર્થો પ્રવેશી જતા નથી, માત્ર જ્ઞાનમાં જણાય છે. પોતાના જ્ઞાનસ્વભાવના વિશ્વાસે જેને કેવળજ્ઞાન
ખીલ્યું તેને આખા લોકના પદાર્થો જ્ઞેય તરીકે મળ્યા. કેવળ–જ્ઞાન થતાં એક પણ પદાર્થ જ્ઞાનમાં જણાયા સિવાય
ન રહે. અજ્ઞાની એકેક વસ્તુ મેળવવાની ભાવનામાં અટકે છે તેને બદલે અહીં તો જ્ઞાનમાં જ્ઞેય તરીકે એક સાથે
ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો મળી જાય–એવી વાત કરી. આનું નામ સુપ્રભાત માંગલિક! જ્ઞાનીઓ આવા
જ્ઞાની કરતા નથી.
ખરેખર તો તેને જાણે જ છે, પણ પરને જાણતાં ‘આ મારું, આનું હું કરું, આને હું ભોગવું’ –એમ મોહભાવ
સહિત જાણે છે. પરંતુ તે કાંઈ પરને પકડતો કે ભોગવતો નથી. તો સંપૂર્ણ જ્ઞાની રાગ–દ્વેષ–મોહ વગર એક સાથે
ત્રણકાળ ત્રણલોકને જાણે જ છે. અહીં તો આત્માને કેવળજ્ઞાન થાય અને ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થો
તેને જ્ઞેય તરીકે એક સાથે મળે અને સદાય એમ ને એમ રહ્યા જ કરે–એવી વાત કરી. પરને મેળવવાની ભાવના
પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની ભાવના કરીને તેમાં એકાગ્ર થતાં એક સાથે સર્વ પદાર્થો જ્ઞાનમાં નિમગ્ન થઈ
જાય છે. –જ્ઞેય તરીકે મળે છે.
વિકારને પોતાનું સ્વરૂપ માને તો તે જીવ કદી પરને મેળવવાની ભાવના છોડે નહિ, ને તેના જ્ઞાનમાં ત્રણકાળ
ત્રણલોક કદી જ્ઞેય તરીકે મળે નહિ.
છે. તેને જાણવાનો જીવનો સ્વભાવ છે; તેને જાણતાં અજ્ઞાની જીવ ‘આ મારું છે, હું તેનો કર્તા છું’ એમ માનીને
પરને પકડી રાખવા માંગે છે, પરંતુ તે જીવ એક પણ પદાર્થને પકડી રાખી નહિ શકે. પણ તે પક્કડ