
દેખાવ થાય છે. બિડાયેલ પંખામાં જ તેવી તાકાત હતી. તેથી તેમાંથી કળા ખીલે છે, બીજા સામાન્ય કાગળમાંથી
તેમ થાય નહિ. તેમ–આત્મા ચૈતન્યની કેવળ જ્ઞાનકળાનો ભંડાર છે; તેની શ્રદ્ધા કરીને રાગ અને જ્ઞાનને જુદા
પાડતાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણકળા ખીલી જાય છે. પરંતુ હું પરનું કરું એમ માને અને પર્યાયમાં ક્રોધાદિ થાય તેને જ
જ્ઞાનનું સ્વરૂપ માને તો તે જીવ જ્ઞાન અને રાગને જુદા જાણતો નથી તેથી તેને જ્ઞાન કળા ખીલતી નથી પણ
હોય!’ એમ શંકા કરીને, જો ઇંડાને ખખડાવે તો મોર થતો નથી. તેવી રીતે આ આત્મા ચૈતન્યસ્વરૂપ, શરીર–
થઈ જાય છે. જે સિદ્ધભગવાન થયા તે પોતાના સ્વભાવ સામર્થ્યથી જ થયા છે, ને હું પણ એવા જ સ્વભાવ
સામર્થ્યથી ભરેલો છું–એમ જેણે નિઃશંક શ્રદ્ધા કરી, જરા ય શંકા ન કરી, તે જીવને વર્તમાન જ્ઞાનદશા ઓછી
હોવા છતાં તે અવસ્થા ત્રિકાળી સ્વભાવમાં વળે છે ને ત્રિકાળી સ્વભાવના સેવન વડે અલ્પકાળમાં તેને
કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પરંતુ– હું તો એક અલ્પજ્ઞ પ્રાણી પૈસા વગેરે વગર મારે ચાલે નહિ, ને મારામાં
ભગવાન થવાનું સામર્થ્ય અત્યારે કઈ રીતે હોય?’ એમ જે જીવ સ્વભાવ સામર્થ્યમાં શંકા કરે છે, તે મિથ્યાદ્રષ્ટિ
છે, તેને જ્ઞાનકળા ખીલતી નથી માટે શ્રી આચાર્યદેવ કહે છે કે–હે જીવો! આત્મા પરિપૂર્ણ ચૈતન્ય સામર્થ્યવાળો
છે, તે સામર્થ્યની શ્રદ્ધા કરો, તેમાં નિઃશંક થાઓ તેમાં જરા ય શંકા ન કરો.
સંયોગની શ્રદ્ધા થશે, વિકારમાં એકતા થશે, વીતરાગતા ને કેવળજ્ઞાન નહિ ખીલે, સમ્યગ્જ્ઞાન નહિ થાય, પણ
મિથ્યાત્વથી જ્ઞાનની અત્યંત હીનતા કરીને તે નિગોદ થશે. પર્યાય દ્રષ્ટિનું ફળ નિગોદ દશા છે ને દ્રવ્યદ્રષ્ટિનું ફળ
જ્ઞાનની એકતા ન કરી એટલે કે જ્ઞાનસ્વભાવની નિઃશંકતા ન કરી, તેથી તેના જ્ઞાનનું પરિણમન હણાઈ જશે ને
તે એકેન્દ્રિય–નિગોદ થશે. ઊંધી દ્રષ્ટિને લીધે સંયોગમાં અને વિકારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે તે જીવે પોતે
જીવસ્વરૂપે પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો
સમજાય. આત્માનો સ્વભાવ જ જાણવાનો છે તેથી જે ‘આત્મા’ હોય તેનામાં બધુંય
સમજવાની તાકાત છે જડમાં જ્ઞાન નથી તેથી જડને કાંઈ ન સમજાય આ વાત સાંભળવા કાંઈ
જડ નથી બેઠાં જડને સમજવા માટે કાંઈ આ વાત થતી નથી પણ જડથી ભિન્ન જ્ઞાનતત્ત્વ છે
તેને સમજવા માટેની આ વાત છે.