
છે તેમાં એ જ કરવા જેવું છે.
રાજાને વ્રત ન હતું, ત્યાગ ન હતો છતાં તીર્થંકરનામકર્મ બાંધ્યું. એ કોનો પ્રતાપ? એમને સમ્યગ્દર્શન હતું, તેના
પ્રતાપે આવતી ચોવીસીમાં જગતપૂજ્ય પહેલા તીર્થંકર થશે.
સમ્યગ્જ્ઞાન છે. એવું સમ્યગ્જ્ઞાન થયા પછી પૂજા–ભક્તિનો શુભાભવ આવે ને રમવાનો કે ભોગનો અશુભભાવ
પણ આવે, પણ જ્ઞાની જાણે છે કે એ શુભ ને અશુભ બંને મારો ધર્મ નથી. શુભરાગ થાય તે પાપ નથી તેમજ
ધર્મ પણ નથી, પણ તે પુણ્ય છે. ધર્મ ચીજ તેનાથી જુદી છે. પુણ્ય કરીને અનંતવાર દેવ થયો પણ ધર્મ ચીજ શું
છે? તે ન સમજ્યો, તેથી અનંત સંસારમાં રખડયો. એક સેકંડ માત્ર જો આત્માને સમજે તો સંસારથી બેડો પાર
થઈ જાય.
આત્મભાન હતું.
એક સેકંડ પણ સમજે તો સમ્યગ્દર્શન થયા વગર રહે નહિ.
સંસારમાં રહ્યા છતાં નિર્લેપ રહે છે. જેમ ધાવમાતા બાળકને ખેલાવે પણ અંતરમાં સમજે છે કે આ બાળક
કમાઈને મને નહિ ખવરાવે. તેમ ધર્મી જીવ ગૃહસ્થદશામાં હોવા છતાં અંતરમાં આત્માનું ભાન છે કે આ શરીર–
પુત્ર વગેરે મારાં નથી, ને વિકાર થાય તે પણ મારો સ્વભાવ નથી, એ કોઈ મને ધર્મમાં મદદ કરનાર નથી.
આત્મભાન લઈને જ આવ્યા હતા, છતાં પછી રાજમાં રહ્યા, છ ખંડ જીત્યા, તેવો રાગ હતો, તેને પોતાની
નબળાઈ જાણતા, પણ તે રાગને પોતાનું સ્વરૂપ માનતા નહિ, ને એક ક્ષણ પણ આત્માનું ભાન ચૂકતા નહિ,
આવા આત્માની ઓળખાણ વગર ધર્મ ને મુક્તિ થાય નહિ. પહાડ ઉપર વીજળી પડે ને તેના બે કટકા થાય,
પછી તે રેણથી સંધાય નહિ, તેમ એકવાર પણ આત્માનું ભાન કરે તે જીવ અનંત સંસારમાં રખડે નહિ, તે હળવે
બિરાજે છે, તે તીર્થંકર છે, તેમના સમોસરણમાં અત્યારે આઠ આઠ વર્ષના બાળકો આત્માને ઓળખે છે. બાપુ!
અનંત કાળમાં આત્માને જાણ્યા વગર તેં બધી ધમાલ કરી. તારું સ્વરૂપ તો શેરડીના રસ જેવું મીઠું છે, ને પુણ્ય–
પાપ તો મેલ છે, છોતાં છે. અહો! ભગવાન આત્માનું સ્વરૂપ શું કહે છે? શરીર નહિ, મન નહિ, વાણી નહિ.
રાગ નહિ દ્વેષ નહિ, જ્ઞાનમૂર્તિ આત્મા છે–એમ સાંભળીને અંતર આત્માના મહિમા તરફ વળતાં આઠ વર્ષની
રાજકુમારી પણ આત્માનું ભાન પામે છે.
જણાય છે. જેમ ઝેર પીવાથી અમૃતના ઓડકાર ન આવે તેમ મનના સંબંધે જે પુણ્ય–પાપના ભાવ થાય તે
વિકાર છે, તે વિકારવડે અવિકારી આત્મા પ્રગટે નહિ. મનથી કામ લ્યે તો કલ્યાણ ન થાય, પણ મનનું
અવલંબન મૂકીને અંદર જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખે તો કલ્યાણ થાય. આત્માનું સમ્યગ્દર્શન તો મનથી પાર
છે. જેમ બાળક પેંડાના સ્વાદ પાસે સોનાનો હાર આપી દે છે, તેમ અજ્ઞાની જીવ પુણ્યની