Atmadharma magazine - Ank 070
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
: શ્રાવણ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૮૧ :
માટે અખંડ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરીને તે સ્વભાવમાં તારા જ્ઞાન ઉપયોગને એકાગ્ર કર, તો તે સ્વભાવના
આધારે જ્ઞાનની નિર્મળતા થતાં થતાં એક સમયમાં બધુંય પ્રત્યક્ષ જાણે એવું જ્ઞાન પ્રગટે. અંતરમાં પોતાના
સ્વભાવને જુએ નહિ ને બહારમાં પર સામે જોયા કરે તે જીવ બહિરદ્રષ્ટિ છે, તેને જ્ઞાનની નિર્મળતા થતી નથી.
(૨૨) જો જ્ઞાન પૂરું નિર્મળ ન થાય તો તે પોતાને કે પરને પૂરું જાણે નહિ અને તેમાં રાગ થયા વગર
રહે નહિ. જ્ઞાનાદિ બધા ગુણોની અવસ્થાનું અસ્તિત્વ તો એક જ સમયનું છે, પણ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે
તેનું કાર્ય લંબાય છે. જ્ઞાનની અવસ્થા તો એકેક સમયની જ છે પણ તેના ઉપયોગનું કાર્ય અસંખ્ય સમય સુધી
લંબાય એવી તેની લાયકાત છે. જે જ્ઞાનનો ઉપયોગ રાગ સહિત તેને એક સમયમાં આખી વસ્તુ લક્ષમાં આવતી
નથી; રાગ સહિત ઉપયોગ એકેક સમયમાં જાણવાનું કાર્ય કરી શકતો નથી. જ્ઞાનની અવસ્થાનું અસ્તિત્વ એક
સમયનું છે–જ્ઞાન એકેક સમયે પરિણમે છે છતાં તે જ્ઞાનનો ઉપયોગ એકેક સમયમાં જાણવાનું કાર્ય ન કરે તો તે
જ્ઞાન ભેદાવળું છે, સ્વભાવમાં પૂરું અભેદ થઈને તે જ્ઞાન કાર્ય કરતું નથી. પર્યાયરૂપે જ્ઞાનની હયાતિ એક
સમયની છે પણ જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. તે જ્ઞાન જો સ્વભાવ તરફ વળે તો સાધક થઈને
મલિનતા અને નિર્મળતાનો વિવેક કરી શકે, પણ એકેક સમયની મલિનતાને કે નિર્મળતાને જાણી શકે નહિ; તેમ
જ જ્ઞાનાદિ ગુણોમાં એકેક સમયનું પરિણમન છે–એમ સામાન્યપણે જ્ઞાનના ખ્યાલમાં આવે પણ એકેક સમયને
તે જ્ઞાન પકડી શકે નહિ. તો પછી જ્ઞાન આહારાદિ પરવસ્તુને કે રાગને તો ત્રણ કાળમાં છોડે મૂકે નહિ.
(૨૩) આહાર વગેરે અમુક વિધિથી લેવા અને અમુક વસ્તુનો ત્યાગ કરવો એમ શાસ્ત્રમાં પરને લેવા–
મૂકવાના કથનો આવે, તે બધાં કથનો વ્યવહારનાં છે એટલે કે માત્ર બોલવા પૂરતાં છે. તે શાસ્ત્રોના શબ્દો તો
જડ છે, તેમાં કાંઈ આત્મા રહેલો નથી. તે ભાષાની પાછળ જ્ઞાનનો શું આશય હતો તે આશયને સમજે તો તે
કેવળી ભગવાનને, જ્ઞાનીઓને અને શાસ્ત્રને સમજ્યો કહેવાય; માત્ર ભાષાના શબ્દોને જ પકડે તો તેને જ્ઞાનીના
કથનનો આશય સમજાય નહિ. અનંત ગુણના પિંડ આત્માને પકડે નહિ ને માત્ર ભાષાને પકડે તો તેણે
સ્વભાવને છોડીને પરની જ પક્કડ કરી છે, સ્વભાવના જ્ઞાન વગર પરનું યથાર્થ જ્ઞાન થશે નહિ. ચરણાનુયોગમાં
નિમિત્તની અપેક્ષાએ પરવસ્તુને લેવા–મૂકવાનાં કથનો આવે, પણ ‘આત્મા પરવસ્તુમાં જરા પણ ગ્રહણ–ત્યાગ
કરી શકતો નથી’ એવો વસ્તુસ્વભાવ છે તે લક્ષમાં રાખીને તેનો આશય સમજવો જોઈએ.
(૨૪) આત્માના જ્ઞાનસ્વભાવની રુચિથી સ્વભાવમાં અભેદતા થઈ, તેથી સમ્યગ્જ્ઞાન થયું–સાધકદશા
થઈ–ધર્મી થયો, પણ હજી સ્થિરતાથી જ્ઞાનની સ્વભાવમાં અભેદતા ન થાય ત્યાં સુધી રાગ થાય છે અને જ્ઞાન
એક સમયને જાણતું નથી. બહારમાં પ્રભુ પાસે ચોખા મૂકવા વગેરે ક્રિયા તો કોઈ આત્મા સ્વભાવથી કે વિકારથી
પણ કરવા સમર્થ નથી. હું પરનું કરું–એવી ઊંધી માન્યતાથી કે રાગ–દ્વેષથી પણ પરવસ્તુને તો જીવ કાંઈ જ કરી
શકતો નથી. અજ્ઞાની જીવ રાગાદિને જ પોતાનું સ્વરૂપ માને છે તેથી રાગથી જુદો પડીને શ્રદ્ધારૂપે આત્મામાં
અભેદ થતો નથી, અને જ્ઞાનીએ શ્રદ્ધાથી તો આત્મસ્વભાવમાં અભેદપણું પ્રગટ કર્યું છે પણ હજી સ્થિરતાથી
આત્મામાં અભેદપણું થયું નથી ત્યાં સુધી તેને રાગ થાય છે; પરંતુ અજ્ઞાની કે જ્ઞાની રાગના સામર્થ્યથી પણ
પરમાં કાંઈ ગ્રહણ–ત્યાગ કરવા અસમર્થ છે. આત્મા વડે પરનું ગ્રહણ–ત્યાગ થવું અશક્ય છે. આવા
આત્મસ્વભાવને જાણે તો પરમાંથી પાછું ખસીને જ્ઞાન પોતાના સ્વભાવમાં ઠરે, અને સમયે સમયે અનંતી
વિશુદ્ધતા વધતી જાય, રાગ ટળતો જાય અને નિમિત્તરૂપ કર્મો ખરતાં જાય. –આ જ સંવર–નિર્જરારૂપ ધર્મ છે, ને
આ જ મોક્ષનો માર્ગ છે.
× × × × × ×
(૨પ) જ્ઞાન પરદ્રવ્યને જરા પણ ગ્રહતું કે છોડતું નથી–એમ કહ્યું; હવે કહે છે કે જ્ઞાન આહારક નથી માટે
જ્ઞાનને દેહની શંકા ન કરવી:–
‘વળી પરદ્રવ્ય જ્ઞાનનો (અમૂર્તિક આત્મદ્રવ્યનો) આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે;
અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ. તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.’
(સમયસાર પૃ. ૪૭પ)
આત્માનો સ્વભાવ અમૂર્તિક છે, તેનું જ્ઞાનઅમૂર્તિક છે, તે સ્વભાવમાં ભેદ પડીને રાગ થાય તો તે પણ
અમૂર્ત છે; તે મૂર્ત આહારને ગ્રહતો નથી. કર્મ–નોકર્મરૂપ આહાર જ્ઞાનને નથી. વર્તમાન જ્ઞાન ઉપયોગને ત્રિકાળી
સ્વભાવમાં વાળીને