Atmadharma magazine - Ank 071
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 17

background image
: ૧૯૮ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૭૫ :
ક્ષણિક દશામાં પાપની હયાતી ન કબૂલે તો ‘આ વિકાર ક્ષણિક છે, મારો સ્વભાવ ત્રિકાળી ધુ્રવ છે, તેમાં આ
ક્ષણિક વિકાર નથી’ એવી કબૂલાત ન આવે, અને તે કબૂલાત વિના ‘ત્રિકાળી સ્વભાવ તરફ મારે ઢળવું’ એમ
તેને રહેતું નથી. માટે જીવની ક્ષણિક દશામાં પાપભાવ થાય છે, એ સિદ્ધ થાય છે.
જીવ અને અજીવ એ બે મૂળ પદાર્થો છે. પુણ્ય–પાપ વગેરે પદાર્થો અજીવનાં સદ્ભાવરૂપ નિમિત્તે કે
અભાવરૂપ નિમિત્તે થતી જીવની અવસ્થાઓ છે. તેમાં પાપરૂપ અવસ્થાને સિદ્ધ કરી.
() ણ્ત્ત્
જીવમાં દયા, દાન, પૂજા, ભક્તિ કે બીજા કોઈ નિમિત્તે કષાયની મંદતાના ભાવ થાય છે. તે ભાવ પુણ્ય
છે, આત્માની અવસ્થામાં થતો ક્ષણિક શુભ વિકાર છે. તે પર પદાર્થના લક્ષે થતો હોવાથી આત્માનું સ્વરૂપ નથી.
તે આત્માનું સ્વરૂપ નથી માટે જીવ પાપની જેમ પુણ્યનો પણ અભાવ કરીને એકલા આત્મસ્વભાવમાં રહેવા
માગે છે. જો આત્માની વર્તમાન દશામાં પુણ્યરૂપ વિકારી ભાવોને કબૂલ ન કરે તો તે પુણ્યથી રહિત આત્માના
શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરી શકે નહિ.
વળી, જીવને પુણ્ય થાય છે, તે પૈસાથી, કે બીજા જીવના બચવાથી થતું નથી; કારણ કે પૈસો જડ પદાર્થ
છે. તેનું આવવું જવું આને આધિન નથી, તેથી ખરેખર તે જડ એવા પૈસાને દઈ શકતો નથી. અને બીજો જીવ
તેના આયુષ્યના કારણે બચે છે. આ જીવ તેને બચાવી શકતો નથી. માટે પૈસાથી અને બીજા જીવના બચવાથી
આને પુણ્ય થતું નથી. પરંતુ પૈસા પ્રત્યેનો રાગ ઘટાડવાથી અને પોતાના અનુકંપાના ભાવથી તેને પુણ્ય થાય છે.
કેટલાક લોકો દયા દાનના ભાવને પાપ કહે છે. તે વાત સાચી નથી. જીવનો જે લોભ ઘટાડવાનો ભાવ અને
પ્રાણી પ્રત્યે અનુકંપાનો ભાવ થાય છે તે પુણ્ય ભાવ છે. તે ભાવ પાપ નથી તેમ ધર્મ પણ નથી; ધર્મ તો પુણ્ય
અને પાપથી રહિત તદ્ન જુદી જ ચીજ છે. તે તો આત્માનો અજ્ઞાન, રાગ–દ્વેષ રહિત સ્વભાવ છે. જેઓ પુણ્યને
પાપ માને છે તેઓને ધર્મ કે ધર્મનું ભાન હોઈ શકે નહિ. જેમ હિંસા, જૂઠ વગેરે જીવની અવસ્થામાં થતા ભાવો
પાપ છે તેમ તેની અવસ્થામાં થતા દયા–દાન–તૃષ્ણા ઘટાડવાના ભાવ તે પુણ્ય છે. દયા–દાનમાં પાપ માનનારા
દલીલ કરે છે કે “આપણે બીજા જીવને બચાવીએ પછી તે જીવ જેટલાં પાપ કરશે તેનું પાપ આપણને લાગશે;
ગરીબને પૈસા આપશું અને જો તે ખોટે રસ્તે વાપરશે તો તેનું પાપ આપણને લાગશે.” તેની તે વાત તદ્ન ખોટી
છે. પાપ–પુણ્ય પરથી લાગે છે કે પોતાના પરિણામથી થાય છે? પુણ્ય તો પોતાની તૃષ્ણા ઘટાડવાથી થાય છે;
બીજો જીવ શું કરશે પછીથી વધારે પાપ કરશે કે કેમ? તેની સાથે આને કાંઈ સંબંધ નથી.
લક્ષ્મી ઉપરથી રાગ ઘટાડવાની વૃત્તિ થાય તે આત્માની અવસ્થામાં થતો પુણ્ય ભાવ છે. પુણ્યને ન
સ્વીકારે તો નવ તત્ત્વ સિદ્ધ થતા નથી–અરે! કોઈ પણ એક તત્ત્વ ન સ્વીકારે તો કાંઈ પણ સિદ્ધ થતું નથી.
જેમ પાપ તત્ત્વને ન માને તો હું આ પાપભાવ ટાળીને ધર્મ કરું, મારું હિત કરું એમ રહેતું નથી, તેમ
આત્મામાં થતી શુભ લાગણી, દયાદિના શુભભાવ કે જે પુણ્યતત્ત્વ છે તેને જેમ છે તેમ સ્વીકારે નહિ અને તેને જ
પાપ કહે તો તેણે નવતત્ત્વને જાણ્યા નથી. વળી પુણ્ય–પાપ બેય ભાવો મલિન છે, તે આત્માનો સ્વભાવ નથી, તે
ધર્મ કે ધર્મનું સાધન નથી એમ સ્વીકાર ન કરે તો હું આ પુણ્ય–પાપરૂપ મલિનભાવોને ટાળી સ્વભાવનાં શ્રદ્ધા–
જ્ઞાન કરી શુદ્ધતા પ્રગટ કરું તેમ પણ રહેતું નથી.
પાંજરાપોળમાં જીવોને બચાવવાના ભાવને કેટલાક પાપ કહે છે, તેઓ પાપતત્ત્વ અને પુણ્યતત્ત્વનાં જુદા
સ્વરૂપને સમજતા નથી. પુણ્યને પાપ માને કે પાપને પુણ્ય માને અથવા બેય મલિન છે તેને મલિન ન માને,
પુણ્યને ધર્મ અથવા ધર્મનું કારણ માને તો તે વાત પણ સાચી નથી; તેણે પુણ્ય, પાપ અને ધર્મના સ્વરૂપને જુદાં
જાણ્યાં નથી.
જેમ આત્મા ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ શુભાશુભ વિકારરહિત શુદ્ધ છે તેમ પર્યાયથી પણ આત્મા
વર્તમાન સંસારાવસ્થામાં શુદ્ધ છે–એમ માને તો તેને મલિનતા ટાળીને શુદ્ધ થવાનો અવસર રહેતો નથી. આત્મા
વર્તમાન પર્યાયમાં મલિન છે; તેની પર્યાયમાં પુણ્ય–પાપરૂપ મલિનતા થાય છે. તેને ન માને તો ‘તે મલિનતા
રહિત જ્ઞાતા–દ્રષ્ટા મારો સ્વભાવ છે, તેનો આશ્રય લઈને હું ધર્મ કરું,’ એમ તેને રહેતું નથી. પુણ્ય અને પાપ
બેયને મલિન કહ્યા છે. બેયને મલિનતારૂપે ન સ્વીકારે તો ‘તે બંને ક્ષણિક ભાવોનો અભાવ કરીને ત્રિકાળી શુદ્ધ
સ્વભાવ તરફ વળવાનું રહેતું નથી. પુણ્ય અને પાપને–બંનેને જુદાં ન જાણે તો નવ તત્ત્વો રહેતાં નથી,