Atmadharma magazine - Ank 073
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક: ૨૦૦૬
મહાવીર ભગવાન કઈ રીતે મોક્ષ પામ્યા?
[શ્રી વીર નિર્વાણ કલ્યાણક દિવસે રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન: વીરનિર્વાણ સં. ૨૪૬૯ આસો વદ અમાસ]
આજે માંગળિકનો દિવસ છે. વીર ભગવાનના નિર્વાણ કલ્યાણિકનો આજે દિવસ છે. આજથી
ચોવીસોસિત્તેર વર્ષ ૫હેલાં આ ભરતક્ષેત્રમાં મહાવીર ભગવાન બિરાજતા હતા; તે
મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણિક દિવસ ચૈત્ર સુદ તેરસનો થયો હતો. તેમને
૭૨ વર્ષ પૂરા થયા અને નિર્વાણ પામ્યા. તે નિર્વાણ કલ્યાણિકનો આજે દિવસ છે.
શાસ્ત્રની આજે કારતક વદ અમાસ છે. અને અત્યારે અહીંની ચાલુ આસો વદ
અમાસ છે. મારવાડમાં અત્યારે શાસ્ત્ર પ્રમાણે કારતક વદ અમાસ ચાલે છે.
મહાવીર પરમાત્મા પણ જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા, તે
પણ પહેલાંં ચાર ગતિમાં ભ્રમણ કરતા હતા; તેમાંથી તે ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં
તીર્થંકર થયા. ભગવાન ચાર ગતિમાં હતા તેમાંથી સત્ સમાગમે અનુક્રમે આત્માનું ભાન થયું. જેમ ચોસઠ પોરી
પીપરને પીસતાં પીસતાં તીખી તીખી થતી જાય છે તેમ આત્મામાં પરમાનંદ ભર્યો છે તે પ્રયાસવડે બહાર આવે
છે. તેમ મહાવીર ભગવાનના આત્મામાં પરમાનંદ ભર્યો હતો તે પોતે અનુક્રમે પ્રગટ કરે છે; મન, વાણી, દેહથી
છૂટું તત્ત્વ આનંદમૂર્તિ છું તેમ ભાન કરે છે.
આત્માનો ચેતના સ્વભાવ છે. ચેતના એટલે જાણવું અને દેખવું; તેમાં સંયોગી ભાવ જેટલા થાય તે પર
અપેક્ષાના છે. ચૈતન્યના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અંતરથી ખીલવટ થઈને સ્વતંત્રતા
ન પ્રગટે એટલે કે મોક્ષદશા ન પ્રગટે.
હજાર કાચના કટકાની વચ્ચે હીરો પઽયો હોય તે હીરો સંયોગમાં પઽયો છે, તે હીરાની જેને કિંમત લાગે
તે સંયોગમાં પડેલા હીરાની પરીક્ષા કરી હીરાને કાચથી જુદો લઈ લે છે. એમ કર્મના સંયોગ વચ્ચે અનાદિનો
ચૈતન્યમૂર્તિ જ્ઞાન જ્યોત નિરાળો હીરો પઽયો છે, એવા ચૈતન્યસ્વરૂપને જેને પ્રાપ્ત કરવું છે તે સત્સમાગમે
ચૈતન્યમૂર્તિ આત્માની બરાબર ઓળખાણ કરીને શ્રદ્ધા કરી તે સ્વરૂપમાં સ્થિર થઈ મોક્ષદશા પ્રગટ કરે છે. એ
રીતે ચૈતન્યમૂર્તિ હીરાને શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર દ્વારા જુદો કરી લે છે.
મહાવીર ભગવાન આ ભવ પહેલાંં દસમા સ્વર્ગમાં હતા. અને ત્યાર પહેલાંં નંદ રાજાના ભવમાં
આત્માના ભાનસહિત ચારિત્ર પાળ્‌યું હતું, નગ્ન દિગંબર મુનિ થયા હતા, તે મુનિપણામાં સ્વરૂપની રમણતામાં
રમતા હતા; ત્યાં તે ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. એક પુણ્યનો રજકણ કે એક શુભભાવનો અંશ
ઊઠે તે મારું સ્વરૂપ નથી, તે મારું કર્તવ્ય નથી, એવા ભાનમાં સ્વરૂપની રમણતામાં રમતા હતા. એવી દશાની
ભૂમિકામાં શુભ વિકલ્પ આવે છે કે અરેરે! જીવોને આવા સ્વરૂપનું ભાન નથી. સ્વરૂપ–રમણતામાંથી બહાર
આવતાં એવો વિકલ્પ ઊઠ્યો કે અહા, આવો ચૈતન્યસ્વભાવ! તે બધા જીવો કેમ પામે! ‘સર્વ જીવ કરું
શાસનરસી, એસી ભાવ દયા મન ઉલસી.’ બધા જીવો આવો સ્વભાવ પામી જાય–તેવો વિકલ્પ આવ્યો, પરંતુ
વાસ્તવિક રીતે તેનો અર્થ એમ છે કે અહા! આવો મારો ચૈતન્યસ્વભાવ પૂરો ક્યારે થાય! હું પૂરો ક્યારે થાઉં!
તેવી ભાવનાનું જોર છે અને બહારથી એમ વિકલ્પ આવે છે કે અહા! આવો સ્વભાવ બધા જીવો કેમ પામે!
તેવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાયું.
જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે ભાવ પણ આત્માને લાભ કરતો નથી, એ શુભરાગ તૂટશે ત્યારે
ભવિષ્યમાં કેવળજ્ઞાન થશે. એ તીર્થંકર પદે જે વાણી છૂટશે તે વાણીના રજકણો સ્વરૂપના ભાનની ભૂમિકામાં
બંધાય છે. આ રાગ મારું કર્તવ્ય નથી –એમ ભાન હતું અને સ્વરૂપમાં રમતા હતા, એવી ભૂમિકામાં તીર્થંકર
પ્રકૃતિ બંધાઈ છે. રાગને લાભરૂપ માને તે ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય નહિ; પરંતુ રાગ મને લાભરૂપ નથી,
રાગનો હું કર્તા નથી, એવા ભાનની ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે.