મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણિક દિવસ ચૈત્ર સુદ તેરસનો થયો હતો. તેમને
૭૨ વર્ષ પૂરા થયા અને નિર્વાણ પામ્યા. તે નિર્વાણ કલ્યાણિકનો આજે દિવસ છે.
શાસ્ત્રની આજે કારતક વદ અમાસ છે. અને અત્યારે અહીંની ચાલુ આસો વદ
અમાસ છે. મારવાડમાં અત્યારે શાસ્ત્ર પ્રમાણે કારતક વદ અમાસ ચાલે છે.
પીપરને પીસતાં પીસતાં તીખી તીખી થતી જાય છે તેમ આત્મામાં પરમાનંદ ભર્યો છે તે પ્રયાસવડે બહાર આવે
છે. તેમ મહાવીર ભગવાનના આત્મામાં પરમાનંદ ભર્યો હતો તે પોતે અનુક્રમે પ્રગટ કરે છે; મન, વાણી, દેહથી
છૂટું તત્ત્વ આનંદમૂર્તિ છું તેમ ભાન કરે છે.
ન પ્રગટે એટલે કે મોક્ષદશા ન પ્રગટે.
ચૈતન્યમૂર્તિ જ્ઞાન જ્યોત નિરાળો હીરો પઽયો છે, એવા ચૈતન્યસ્વરૂપને જેને પ્રાપ્ત કરવું છે તે સત્સમાગમે
ચૈતન્યમૂર્તિ આત્માની બરાબર ઓળખાણ કરીને શ્રદ્ધા કરી તે સ્વરૂપમાં સ્થિર થઈ મોક્ષદશા પ્રગટ કરે છે. એ
રીતે ચૈતન્યમૂર્તિ હીરાને શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર દ્વારા જુદો કરી લે છે.
રમતા હતા; ત્યાં તે ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. એક પુણ્યનો રજકણ કે એક શુભભાવનો અંશ
ઊઠે તે મારું સ્વરૂપ નથી, તે મારું કર્તવ્ય નથી, એવા ભાનમાં સ્વરૂપની રમણતામાં રમતા હતા. એવી દશાની
ભૂમિકામાં શુભ વિકલ્પ આવે છે કે અરેરે! જીવોને આવા સ્વરૂપનું ભાન નથી. સ્વરૂપ–રમણતામાંથી બહાર
આવતાં એવો વિકલ્પ ઊઠ્યો કે અહા, આવો ચૈતન્યસ્વભાવ! તે બધા જીવો કેમ પામે! ‘સર્વ જીવ કરું
શાસનરસી, એસી ભાવ દયા મન ઉલસી.’ બધા જીવો આવો સ્વભાવ પામી જાય–તેવો વિકલ્પ આવ્યો, પરંતુ
વાસ્તવિક રીતે તેનો અર્થ એમ છે કે અહા! આવો મારો ચૈતન્યસ્વભાવ પૂરો ક્યારે થાય! હું પૂરો ક્યારે થાઉં!
તેવી ભાવનાનું જોર છે અને બહારથી એમ વિકલ્પ આવે છે કે અહા! આવો સ્વભાવ બધા જીવો કેમ પામે!
તેવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાયું.
બંધાય છે. આ રાગ મારું કર્તવ્ય નથી –એમ ભાન હતું અને સ્વરૂપમાં રમતા હતા, એવી ભૂમિકામાં તીર્થંકર
પ્રકૃતિ બંધાઈ છે. રાગને લાભરૂપ માને તે ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય નહિ; પરંતુ રાગ મને લાભરૂપ નથી,
રાગનો હું કર્તા નથી, એવા ભાનની ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે.