તેમને વિકલ્પ ઊઠતાં મૂળ ગાથામાં પ્રભાકરભટ્ટનું નામ લખાઈ ગયું છે; શિષ્યની સમજવાની ખાસ પાત્રતા
વગર આચાર્યદેવના શ્રીમુખથી તેનું નામ આવે નહિ.
સાંભળીને પછી સર્વ પ્રકારે ધ્યાવવા યોગ્ય એવા શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછતા હતા; અને તેના ઉત્તરમાં શ્રીભગવાને
કહ્યું હતું કે આત્મસ્વભાવના જ્ઞાન સિવાય આ જગતમાં બીજું કાંઈ ઉત્તમ નથી. પોતાનો જે શુદ્ધાત્મસ્વભાવ છે
તેનું જ્ઞાન તે જ સર્વનો સાર છે. શુદ્ધાત્મસ્વભાવનું જ્ઞાન કહેતાં તેમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે આવી જાય છે.
પૂર્વે ભરતચક્રવર્તી વગેરે મહાન શ્રોતાઓ થયા તેમાંથી ભરતચક્રવર્તીએ શ્રીઋષભદેવભગવાને આ પ્રશ્ન પૂછયો
હતો. સગરચક્રવર્તીએ શ્રીઅજિતનાથને, રામચંદ્રજીએ દેશભૂષણ, કુલભૂષણ તથા સકલભૂષણ કેવળીને,
પાંડવોએ શ્રીનેમિનાથભગવાનને અને શ્રેણીક રાજાએ શ્રીમહાવીર સ્વામીને એ જ પ્રશ્ન પૂછયો હતો.
એ શ્રોતાઓ કેવા હતા? તેઓને ભેદાભેદરત્નત્રયની ભાવના પ્રિય હતી, અને સંસારના દુઃખથી તેઓ ભયભીત
હતા. તે ભવ્યજીવોએ ભગવાનને પૂછયું તે વખતે ભગવાને જે પ્રકારે આત્મસ્વરૂપ કહ્યું હતું તેવું જ હું પણ
જિનવાણી અનુસાર તને કહું છું. જેમ પૂર્વે મહાપુરુષોએ આ શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછયું હતું તેમ હે પ્રભાકર
ભટ્ટ! તેં પણ તે જ સ્વરૂપ પૂછયું છે. ને જેમ તે પુરુષો શુદ્ધાત્મસ્વરૂપ પામી ગયા હતા તેમ તું પણ શુદ્ધાત્માને
પામી જઈશ. –એમ અહીં માંગળિક કર્યું છે. દરેક મુમુક્ષુ શ્રોતાજનોએ પોતે જ પ્રભાકરભટ્ટ સમાન છે–એમ
સમજીને, પ્રભાકરભટ્ટની જેમ પોતે પણ શુદ્ધાત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસા કરીને શ્રવણ કરવું જોઈએ.
બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ સમજવાનું પ્રયોજન એ છે કે પૂર્ણ
પરમાત્મસ્વભાવની ઓળખાણ વડે અંતરાત્મદશા પ્રગટ કરવી, ને બહિરાત્મદશા છોડવી. બહિરાત્મપણું સર્વથા
હેય છે; પરમાત્મપણું ઉપાદેયરૂપ છે અને અંતરાત્મપણું તેનું સાધન છે.
પરમાત્મપ્રકાશમાં ચિદાનંદ પરમાત્મા કેવો છે તેનું સ્વરૂપ કહે છે. શિષ્યે કોઈ વ્રત–પચખ્ખાણની માગણી નથી
કરી. પણ સીધી ચિદાનંદપરમાત્મસ્વરૂપની જ માગણી કરી છે. શિષ્યની પાત્રતા છે તેથી ગાથામાં પણ તેનું નામ
આવી ગયું છે. ગાથામાં ખાસ તેનું નામ લઈને આચાર્યદેવે કહ્યું છે કે–હે પ્રભાકરભટ્ટ, તું નિશ્ચયપૂર્વક સાંભળ!
કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી બંને પ્રકાર સાથે હોય છે, નિત્યમુક્ત અબંધસ્વરૂપ હું છું–એવી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન
છે, સ્વસંવેદન જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે, અને તેમાં વીતરાગ–નિર્વિકલ્પ સ્થિરતા તે સમ્યક્ચારિત્ર છે, એ ત્રણે
આત્માના જ આશ્રયે છે, તેથી તે નિશ્ચય અભેદરત્નત્રય છે; તેમાં કોઈ પણ પરની અપેક્ષા નથી; અને એ
રત્નત્રયની એકતા જ મોક્ષનું કારણ છે.
વિકલ્પ, આગમનું જ્ઞાન અને સંયમભાવનો વિકલ્પ એ વ્યવહારરત્નત્રય છે અર્થાત્ ભેદ રત્નત્રય છે. ભેદરહિત
અભેદસ્વભાવને ગણ્યો હોય ત્યારે જ આ ભેદરૂપ વ્યવહાર હોય છે. નિશ્ચયરત્નત્રય જ ખરેખર મોક્ષનું કારણ છે,
વ્યવહારરત્નત્રયને મોક્ષનું કારણ ઉપચારથી કહેવાય છે. સાધકજીવને તે વ્યવહારરત્નત્રયરૂપ રાગનો નિષેધ વર્તે
છે, તેથી સ્વભાવના આશ્રયે તે રાગનો અલ્પકાળે અભાવ કરીને રત્નત્રયની પૂર્ણતા કરીને પરમાત્મદશા પ્રગટ
કરશે. એ રીતે ખરેખર તો વ્યવહારરત્નત્રયરૂપ રાગનો અભાવ થઈને પરમાત્મદશા થાય છે; પણ સાધકદશામાં
નિશ્ચયરત્નત્રયની સાથે વ્યવહારરત્નત્રય પણ હોય છે, તેથી ઉપચારથી તેને પણ મોક્ષમાર્ગ