રાગથી ધર્મ થાય કે શરીરની ક્રિયા આત્મા કરે–એ વાત કોઈ જ્ઞાનીને સંમત નથી.
તેની તેને અનંતકાળથી ખબર નથી. હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે?–તે વિષે જ ભ્રાંતિ રહી ગઈ છે. મારું સુખ
જાણે કે બહારમાં હોય! એમ માને છે, એટલે પોતાને જ વિષે ભ્રાંતિ છે. દેવ–ગુરુ–શાસ્ત્રને વિષે ભ્રાંતિ રહી ગઈ
છે–એમ ન કહ્યું, કેમ કે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને તો માન્યા, પણ પોતાના આત્મા વિષે ભ્રાંતિ કદી ટાળી નથી.
પરને વિષે ભ્રાંતિ રહી ગઈ છે. એમ ન કહ્યું, પણ સ્વકોણ તે વિષે ભ્રાંતિ રહી ગઈ છે. આત્માને ભૂલીને પરથી
લાભ માની રહ્યો છે, એટલે ઉપાદાનસ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે, પણ નિમિત્તમાં ભૂલ રહી ગઈ છે–એમ નથી.
બીજી રીતે કહીએ તો વ્યવહાર સંબંધમાં ભૂલ તો ટાળી, પણ આત્માનો સ્વભાવ શું તે જાણ્યો નહિ એટલે નિશ્ચય
છે તે પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ છે. પુણ્યને આત્માનું સ્વરૂપ માને તો તે પણ આત્મા વિષે ભ્રાંતિ છે. જીવે
અનંતકાળમાં બીજું બધું કર્યું છે પણ આત્માનો સ્વભાવ શું–તે વિષે ભ્રાંતિ કદી ટાળી નથી. પોતા વિષે ભ્રાંતિ
રહી ગઈ છે. પોતે એટલે કોણ? વિકારવાળો પોતાને માન્યો તે પણ ભ્રાંતિ છે. આત્મા ક્ષણિક વિકાર જેટલો
નથી, વિકારરહિત તેનો સ્વભાવ છે, તે સ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે. જીવે શુભભાવ અનંતવાર કર્યા છે, પણ
ભ્રાંતિરહિત થઈને શુદ્ધાત્માને કદી જાણ્યો નથી.
ગયો છતાં ભ્રાંતિ ટળી નહિ. અનંતકાળમાં ત્યાગ, વ્રત વગેરે કર્યું, પણ આત્મસ્વભવાની વિચારણાનું સ્થળ બાકી
રહી ગયું છે. પોતાને વિષે શું ભ્રાંતિ રહી ગઈ? તે એક અદ્ભુત વિચારણાનું સ્થળ છે. બીજા બધા વિચારોમાં
ડહાપણ કર્યું છે, પણ આત્માની યથાર્થ વિચારણા કદી નથી કરી. પહેલાંં આત્મસ્વભાવની વાત કરીને પછી તેનું
નિમિત્ત પણ બતાવશે. અનંતકાળની ભ્રાંતિ કેમ ટળે. તેનો ઉપાય બતાવશે.
હૃદયથી અવલોકન કરવું, તેની મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી
ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
અને એ જ સર્વ શસ્ત્રનો, સર્વ સંતના હૃદયના, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ
છે અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા
એ છે. અધિક શું લખવું? આજે ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂજ્યે, એ જ
પ્રાપ્ત થયે છુટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત.