Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૫:
અંતરની ઊંડી દ્રષ્ટિને લીધે ક્ષણે ક્ષણે ધર્મ થાય છે, તેને તે જોતો નથી.
બાહ્ય ક્રિયાકાંડમાં અટકેલા જીવોને અંર્તસ્વભાવની દ્રષ્ટિ તરફ વાળવાના હેતુથી અહીં શ્રીમદ્ કહે છે કે–
ભાઈ! સર્વજ્ઞભગવાને જે અનેકાંતમાર્ગ કહ્યો છે તે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ માટે જ ઉપકારી છે.
અનેકાંત એટલે શું? વસ્તુમાં નિત્ય–અનિત્ય વગેરે બબ્બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે, તેનું નામ અનેકાંત છે.
આત્મા સ્વભાવે શુદ્ધ છે, અવસ્થાએ વર્તમાન અશુદ્ધ છે–ઈત્યાદિ પ્રકારે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ
વળવું તે જ પ્રયોજન છે, અને તેનું નામ સમ્યક્ એકાંત છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ–એમ
બબ્બે પડખાં જાણીને તેના વિકલ્પમાં અટકી રહે અને શુદ્ધસ્વભાવ તરફ વળે નહીં, તો તેને નિજપદની પ્રાપ્તિ
થાય નહીં, અને તેણે ખરેખર અનેકાંતને જાણ્યો ન કહેવાય.
આત્મા ધ્રુવ નિત્ય સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા આનંદસ્વરૂપ છે, અને ક્ષણિક અનિત્ય પર્યાયમાં પુણ્ય–પાપ વિકાર
છે; એ રીતે એક શુદ્ધ ચૈતન્ય પડખું અને બીજું અશુદ્ધ પડખું–એમ બંને પડખાંને જાણવા તે અનેકાંત છે,
અનેકાંત તે સર્વજ્ઞભગવાનનો માર્ગ છે, સર્વજ્ઞનો માર્ગ એટલે નિજપદનો માર્ગ. ત્રિકાળી સ્વભાવે શુદ્ધ અને
વર્તમાન પર્યાયે અશુદ્ધ–એવું અનેકાંતનું જ્ઞાન અંર્તસ્વભાવસન્મુખ થઈને નિજપદની પ્રાપ્તિ કરવા સિવાય બીજા
કોઈ હેતુએ ઉપકારી નથી. જુઓ, આમાં વિચારવા જેવું ઊંડુ રહસ્ય છે.
આત્મા ત્રિકાળી સ્વભાવે શુદ્ધ છે ને વર્તમાન અવસ્થામા અશુદ્ધ છે. ક્ષણિક અવસ્થાની અશુદ્ધતા વખત
જો આખો આત્મા જ તદ્ન અશુદ્ધ થઈ ગયો હોય,–સ્વભાવે પણ શુદ્ધ ન રહ્યો હોય, તો અશુદ્ધતા ટળીને શુદ્ધતા
આવશે ક્યાંથી? પ્રાપ્તની પ્રાપ્તિ હોય એટલે કે જો શક્તિરૂપે શુદ્ધતા હોય તો પર્યાયમાં વ્યક્ત થાય; જો શુદ્ધતા ન
જ હોય તો પ્રગટે નહીં. માટે શક્તિરૂપે આત્માનો સ્વભાવ શુદ્ધ છે, અને પ્રગટ અવસ્થામાં અશુદ્ધતા છે. જો
અવસ્થામાં અશુદ્ધતા ન હોય તો વર્તમાનમાં શુદ્ધતા હોય એટલે પ્રગટ પરમાનંદનો અનુભવ હોવો જોઈએ. માટે
આત્મા એકાંત શુદ્ધ કે અશુદ્ધ નથી પણ દ્રવ્યસ્વભાવે શુદ્ધ અને પર્યાયમાં અશુદ્ધ–એવો અનેકાંત છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ.
આત્મા જો સર્વથા પુણ્ય–પાપ વિનાનો તથા કર્મના નિમિત્ત વગરનો અસંગ હોત તો તને તેના આનંદનો
વ્યક્ત અનુભવ થયા વિના ન રહેત. પર નિમિત્તના સંગે આત્માની અવસ્થામાં જો બિલકુલ વિકાર ન હોત તો
તો અસંગ ચૈતન્યના પરમ આનંદનો અનુભવ વર્તતો હોત. માટે અવસ્થામાં વિકાર અને નિમિત્તનો સંગ છે.
છતાં ‘અસંગ છે પરમાર્થથી.’ અંર્તસ્વભાવની દ્રષ્ટિથી જોતાં સમ્યક્ ચિદાનંદ પ્રભુ અસંગ છે. જો પરમાર્થે અસંગ
ન હોય તો કદી અસંગ થાય નહીં. અને જો વ્યવહારે પણ અસંગ હોત તો પૂર્ણાનંદનો અનુભવ વ્યક્ત હોત. જે
પુણ્ય–પાપ, ક્રોધ વગેરેની લાગણીઓ થાય છે તે કાંઈ જડને થતી નથી, પણ ચેતનની અવસ્થામાં પોતે જ કરે છે.
જો ચેતન શુદ્ધ જ હોય તો ભૂલ કોની? અને સંસાર કોનો? જો ચેતનની અવસ્થામાં ભૂલ ન હોય તો આ
સમજવાનો ઉપદેશ કોને? આત્મા શક્તિરૂપે ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ હોવા છતાં વર્તમાન અવસ્થામાં મલિન થઈ
રહેલો છે. જો તે મલિનતા ન હોત તો અત્યારે પરમાત્મા હોત. વળી જો અશુદ્ધતા જ તેનું સ્વરૂપ હોત તો તે કદી
ટળી શકત નહીં. પરમાર્થે આત્મા અસંગ–શુદ્ધ છે, અને નિજભાને તે પ્રગટે છે.
–આ રીતે, વર્તમાન દ્રષ્ટિએ આત્મા સંગવાળો–મલિન છે અને વસ્તુસ્વભાવે શુદ્ધ છે–એવો અનેકાંત છે;
પણ તે બે પડખાં જાણીને એકપણું પ્રગટ કર્યા વગર અનેકાંતનું યથાર્થ પ્રયોજન સિદ્ધ થતું નથી, એટલે કે
‘સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ’ એમ બે પડખાં જાણીને તેની સામે જ જોયા કરે અને શુદ્ધસ્વભાવ તરફ
ન વળે તો તેને નિજપદની પ્રાપ્તિ થતી નથી ને અશુદ્ધતા ટળતી નથી. પણ ‘ત્રિકાળ સ્વભાવે હું શુદ્ધ છું, ને
ક્ષણિક પર્યાયમાં અશુદ્ધતા છે’ એમ બને પડખાંને જાણીને, જો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તરફ વળે તો નિજપદની
પ્રાપ્તિ થાય છે, ને અશુદ્ધતા ટળે છે.
અહીં જેમ શુદ્ધ અને અશુદ્ધ એ બે બોલમાં અનેકાંત સમજાવ્યો તે પ્રમાણે ઉપાદાન–નિમિત્ત, નિશ્ચય
વ્યવહાર વગેરે બધા બોલમાં પણ સમજવું. ઉપાદાન છે