ફાગણ : ૨૪૭૭ : ૧૦૯ :
હજારો સૂર્યનું તેજ પણ ઢંકાઈ જાય એવા તીર્થંકરભગવાનના ગાણાં ઈન્દ્રો અને ગણધરો ગાય તોય પૂરા નથી
પડતાં! અત્યારે મહાવિદેહમાં દૈવી સમવસરણને વિષે ગંધકૂટી ઉપર સિંહાસનથીયે ચાર આગળ ઊંચે શ્રી સીમંધર
ભગવાન બિરાજી રહ્યા છે. ત્યાં કલ્પવૃક્ષનાં ફળથી ને મણીરત્નોના દીપકથી ભગવાનની પૂજા કરતાં સમકીતિ
ચક્રવર્તી કહે છે કે હે જિનેન્દ્ર! આપની વીતરાગતાની ભક્તિ કરવા માટે મારી પાસે કાંઈ નથી... હે નાથ! પૂર્ણ
વીતરાગતાનું ભાન છે ને વીતરાગતાનો અંશ પ્રગટ્યો છે; જ્યારે અંદરથી પૂરી વીતરાગતા પ્રગટ કરશું ત્યારે
આપની ભક્તિ પૂરી થશે. જ્યાં રાગ વગરના આત્માની શ્રદ્ધા થાય ત્યાં સ્થૂળ રાગભાવો તો ટળી જ જાય એટલે
કુદેવાદિનો રાગ ટળીને વીતરાગભગવાન પ્રત્યે ભક્તિ જાગ્યા વિના ન રહે.
(૨૯) જિનેન્દ્ર ભક્તિનો ઉલ્લાસ કોને ન આવે.!
કોઈ જીવ સંસારખાતર તો ચોવીસે કલાક પાપનાં પરિણામ સેવે ને ભગવાનની ભક્તિનો પ્રસંગ આવતાં
શિથિલ થાય તો તે પાપી છે, પાખંડી છે, અજ્ઞાની છે, આચાર્યદેવ તેને જૈન સંપ્રદાયમાં ગણતા નથી. જૈન કહેવડાવે અને
જિનેન્દ્ર ભગવાનની ભક્તિ ન ઊછળે, તો તે જૈન શેનો? અને સાથે સાથે એ પણ સમજવું કે ધર્મી જીવ તે ભક્તિના
રાગને ધર્મ નથી માનતા. ભગવાનની ભક્તિ વખતેય ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર પડી છે, શુદ્ધદ્રષ્ટિપૂર્વક જેટલો
રાગ ટળ્યો તેટલો લાભ છે, જે રાગ રહ્યો તે ધર્મ નથી. અજ્ઞાની તો ભડકે છે કે ‘હાય! –હાય! ભગવાનની ભક્તિથી
મુક્તિ ન થાય? –ભગવાનની ભક્તિથી ધર્મ ન થાય?’ હા. ભાઈ! સત્ય તો ત્રણે કાળે એમ જ છે. ભક્તિના રાગથી
તો પુણ્યબંધન જ થાય છે. અને ‘હું શુદ્ધ જ્ઞાન છું’ –એવો જે શુદ્ધસ્વભાવ ઉપરનો અભિપ્રાય રહે તે ધર્મ, અને મુક્તિનું
કારણ છે, તે જ ભગવાનની નિશ્ચયભક્તિ છે. જ્યારે જ્યારે ભગવાનની ભક્તિના ટાણાં આવે ત્યારે આ વાત દ્રષ્ટિમાં
રાખવી. હમણાં તો ભગવાન પધારે છે એટલે આઠેય દિવસ ભગવાનને ભાવવાના છે. કોઈ પૂછે કે ભગવાનને
ભાવવાથી શું થવાનું? તો કહે છે કે ભગવાનને ભાવવાથી ભગવાન થવાના! જેને જેનો રંગ લાગે તેનું ત્યાં વલણ વળે.
સૂતાં ને જાગતાં જેને સર્વજ્ઞ ભગવાનનો રંગ લાગ્યો અને મારો આત્મા ભગવાન જેવો–એવું ભાન થયું તેનું વલણ
આત્મા તરફ વળીને તે ભગવાન થયા વિના રહે નહિ. અહો, અંદર વિચારો કે ‘હું ક્યાં ઊભો છું!’ જૈન વાડામાં
જન્મીને પણ કદી ભગવાનની ભક્તિના પાનાં ચડયા નહિ... રંગ લાગ્યા નહિ, તો તે અંદરના ભગવાન તરફ તો વળે
ક્યાંથી?
ભગવાનની ભક્તિની વાત આવે ત્યાં કોઈ એમ કહે કે ‘ભક્તિ તો રાગ છે ને તેનાથી પુણ્યબંધન થઈ જાય, માટે
અમને ભક્તિનો ઉલ્લાસ નથી આવતો!’ તો તેને કહે છે કે હે ભાઈ! જો તું વીતરાગપણે રહી શકતો હો તો તારી વાત
સાચી, પણ હજી સ્ત્રી, લક્ષ્મી, શરીરાદિના અશુભ પાપ રાગમાં તો તને ઉલ્લાસ આવે છે ને ભગવાનની ભક્તિના ટાણે
ઉલ્લાસ નથી આવતો ને ત્યાં પુણ્યબંધન કહીને તે વાત ઊડાડે છે, તો તું શૂષ્ક સ્વછંદી છે. શ્રીમદે એક ગાથામાં કહ્યું છે કે
ઉપાદનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,
પામે નહિ સિદ્ધત્ત્વનો રહે ભ્રાંતિમાં સ્થિત ૧૩૬.
ઉપાદાનનો જે શુદ્ધભાવ છે તે તો પ્રગટ્યો નથી ને નિમિત્તરૂપ વીતરાગ ભગવાનની ભક્તિને પણ છોડી
દે છે, તો તે તો એકલા પાપમાં પડીને સંસારમાં જ રખડશે. નિમિત્તનો રાગ આદરણીય નથી એ વાત સાચી.
પરંતુ, તે કથન પકડીને જે વીતરાગી નિમિત્તોની ભક્તિ છોડીને સંસારના નિમિત્તોના રાગને પોષે છે તેને તો
પુણ્ય–પાપનોય વિવેક નથી, નિમિત્તનોય વિવેક નથી, તો તેને ઉપાદાનમાં ધર્મ હોય નહિ.
(૩૦) ભક્તોની ભક્તિ
પરને માટે તો કોઈ કાંઈ કરતું જ નથી, માત્ર પોતાના ભાવને પોષે છે. બાયડીના શરીર ઉપર દાગીના વગેરે
દેખીને પોતાનો પાપરાગ પોષાય છે તેથી તે રાગને ખાતર દાગીના–વસ્ત્ર વગેરે લાવીને સ્ત્રીને આપે છે. તેમ વીતરાગ
ભગવાનને દેખતાં ધર્મીને પોતાની વીતરાગ ભાવના પોષાય છે એટલે ત્યા તેને ભક્તિ આવ્યા વિના રહે નહિ. તે કાંઈ
ભગવાનને ખાતર ભક્તિ કરતો નથી પણ પોતાને તે જાતનો શુભરાગ આવે છે તેથી ભક્તિ કરે છે. જેમ સ્ત્રીના
રાગીને સ્ત્રીને મળતાં હોંશ આવે છે તેમ વીતરાગતાના પ્રેમીને વીતરાગ ભગવાનને ભેટતાં હોંશ આવે છે. ભગવાનના
ભક્ત ભગવાન પાસે જઈને કહે છે કે હે નાથ! હે પ્રભુ! આપની વીતરાગતાના પ્રેમથી આપને મળવા આવ્યો છું...
પ્રભુ! મારા અંતરમાં તારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે તે બીજા શું જાણશે? નાથ! આપ જાણો ને હું જાણું! હે નાથ! તારી
વીતરાગી મૂદ્રા નીહાળતાં નીહાળતાં અંદરથી એવો આહ્લાદ આવી જાય છે કે જાણે હમણાં અંદરથી પ્રભુતા પ્રગટી... કે...
પ્રટગશે? હે નાથ! તને ભાળતાં હું મારી પ્રભુતાને જ ભાળું છું... મારા જ્ઞાનને જ ભાળું છું જુઓ! આ ભક્તિના ટાણાં
આવ્યા છે... આવા મોંઘા દિવસો બહું ઓછા આવે છે. સંસારની પ્રીતિ ઘટાડીને
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)