PDF/HTML Page 21 of 25
single page version

કાંઈ વસ્તુથી જુદો પડીને નયનો વિષય થતો નથી, માટે કોઈ પણ નયથી એક ધર્મને મુખ્ય કરીને જોનારની દ્રષ્ટિ
પણ એકલા ધર્મ ઉપર હોતી નથી. ધર્મ તો ધર્મી એવી અખંડ વસ્તુના આધારે રહેલો છે; માટે તેના ઉપર જ દ્રષ્ટિ
રાખીને એકેક ધર્મનું સાચું જ્ઞાન થાય છે. બધાય નયોના વર્ણનમાં આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
અનંત ધર્માત્મક આખું આત્મદ્રવ્ય છે તે પ્રમાણનો વિષય છે અને નયથી જોતાં તે જ આત્મદ્રવ્ય એક
વસ્ત્રમાં કેટલા તાણાવાણા છે એમ તાણાવાણાનો ભેદ પાડ્યા વગર એક વસ્ત્ર તરીકે જ તેને જાણવું કે આ વસ્ત્ર
છે, તેમ આત્મદ્રવ્યમાં અનંત ગુણ–પર્યાયના ભેદોને ગૌણ કરીને આત્મા ચિન્માત્ર દ્રવ્ય છે એમ સામાન્યપણે
લક્ષમાં લેવું તેનું નામ દ્રવ્યનય છે. આત્મામાં તો એક સાથે અનંત ધર્મો છે પણ તેમાંથી ‘આત્મા ચૈતન્યમાત્ર
દ્રવ્ય છે’ એવા ધર્મની મુખ્યતાથી આત્માને લક્ષમાં લેવો તેનું નામ દ્રવ્યનય છે. તે દ્રવ્યનયથી જોતાં આત્મા
ચૈતન્યમાત્ર છે.
જોતાં ‘આ વસ્ત્ર છે’ એમ જણાય છે, તેમ અનંત ધર્મોવાળા આત્માને દ્રવ્યનયથી જોતાં સિદ્ધ કે સંસારી, સાધક
કે બાધક એવા કોઈ પર્યાયભેદો કે દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ગુણભેદો ગૌણ કરીને એકરૂપ સામાન્ય ચૈતન્યરૂપે
આત્મા જણાય છે. આત્મામાં ગુણ–પર્યાયના ભેદ પાડ્યા વગર સામાન્યપણે જોતાં તે ચૈતન્યમાત્ર દ્રવ્ય છે;
દ્રવ્યનયથી આવો આત્મા પ્રમેય થાય છે. આ પ્રમાણે આત્માના ધર્મને જાણીને શ્રુતજ્ઞાનને પ્રમાણ કરી સ્વાનુભવ
કરે તો જ અનંતધર્માત્મક આત્મા જેવો છે તેવો પ્રમેય થાય છે.
અનંત ધર્મો છે તેવા ધર્મોથી તેને ઓળખે તો જ આત્માને જાણ્યો કહેવાય. ‘આત્મા છે’ એમ કહે પણ તેના
અનંત ધર્મો જે રીતે છે તે રીતે ન જાણે તો તેણે આત્માને જાણ્યો ન કહેવાય. ઘણા લોકો આત્મા છે એમ કહે છે
પણ તેનામાં અનંત ધર્મો છે એમ માનતા નથી, કાં તો સર્વથા એકાંત નિત્ય, કે એકાંત અનિત્ય, એકાંત શુદ્ધ કે
એકાંત અશુદ્ધ માને છે; તેથી અહીં આચાર્યદેવે અનેક નયોથી આત્માના ધર્મોનું વર્ણન કરીને વસ્તુસ્વરૂપ ઘણું
સ્પષ્ટ કર્યું છે.
કરવો તે જ્ઞાનની નિર્મળતાનું કારણ છે.
ધર્મ ન હોય તો તે પલટી જ ન શકે; જો ‘અનિત્ય’ ધર્મ જ હોય અને ‘નિત્ય’ ધર્મ ન હોય તો તે કાયમ ટકી ન
શકે, પલટતાં તેનો નાશ જ થઈ જાય; વળી આત્મામાં અસ્તિ ધર્મ જ હોય ને નાસ્તિ–ધર્મ ન હોય તો તે પરરૂપે
પણ થઈ જાય. એ રીતે નિત્ય–અનિત્ય, અસ્તિ–નાસ્તિ વગેરે અનંતધર્મો આત્મામાં એક સાથે ન હોય તો
આત્મવસ્તુ જ સિદ્ધ ન થાય. અસ્તિ–નાસ્તિ, દ્રવ્ય–પર્યાય વગેરે અનંત ધર્મો વગર આત્મા રહી જ ન શકે. અને
તેને જાણનારું જ્ઞાન પણ જો અનંત નયોવાળું ન હોય તો તે અનંત ધર્મોને જાણી ન શકે. અનંતધર્માત્મક એક
આત્માને અનંત નયાત્મક એક જ્ઞાનથી જાણે તો જ આત્મા જણાય. આખા અનંતધર્માત્મક પદાર્થનું જ્ઞાન તે
પ્રમાણ છે,
PDF/HTML Page 22 of 25
single page version

જોડવો તેનું જ નામ યોગ છે. શ્રુતજ્ઞાનથી જેવો આત્મા છે તેવો જાણ્યા વિના તેની સાથે ઉપયોગનું જોડાણ થાય
નહિ એટલે જ્ઞાન તેમાં એકાગ્ર થઈ શકે નહિ, તેમાં એકાગ્રતા વગર તેનું ધ્યાન થાય નહિ. જાણ્યા વિના ધ્યાન
કોનું? પહેલાંં પ્રમાણ વડે આવા આત્માને પ્રેમય કરે તો જ તેમાં એકાગ્રતારૂપ ધ્યાન થઈ શકે. માટે પ્રથમ બધા
પડખાંથી આત્માનો નિર્ણય કરવો જોઈએ.
થાય?–એ જાણવાની જેને જિજ્ઞાસા જાગી છે એવા શિષ્યના પ્રશ્નનો આ ઉત્તર ચાલે છે. આત્મા કેવો છે તેનું આ
વર્ણન ચાલે છે, તેની પ્રાપ્તિનો ઉપાય પછી કહેશે. પહેલાંં જેવો છે તેવો આત્મા જાણ્યા વિના તેની પ્રાપ્તિ થાય
નહિ.
અનંતધર્માત્મક એક આત્મદ્રવ્ય તે પ્રમાણનો વિષય છે તેની વાત પહેલાંં કરી, હવે અહીં નયના વિષયનું વર્ણન
છે. પ્રમાણના વિષયરૂપ જે આખું આત્મદ્રવ્ય છે તેના એક ધર્મને નય જાણે છે, નયનો વિષય વસ્તુનો એક ધર્મ
છે. ગુણ–પર્યાયના ભેદને ગૌણ કરીને, સામાન્ય ચિન્માત્ર પડખાથી આત્માને લક્ષમાં લેવો તેનું નામ દ્રવ્યનય છે.
માનનારે આત્માના બધા ધર્મોને માન્યા નથી. જેમ ચૈતન્યમાત્રપણું તે આત્માનો એક ધર્મ છે તેમ અવસ્થામાં
વિકાર થાય તે પણ આત્માની પર્યાયનો ધર્મ છે; તેને ન માને તો પ્રમાણજ્ઞાન થાય નહિ.
બહારથી આવતું નથી. કોઈ શાસ્ત્રમાંથી કે વાણીના શ્રવણમાંથી આત્માનું જ્ઞાન આવતું નથી, જ્ઞાન તો આત્માના
ચૈતન્યમાત્ર ધર્મમાંથી જ આવે છે, તે ધર્મ આત્માના પોતાના જ આશ્રયે છે. આત્માનો જે સામાન્ય
ચૈતન્યસ્વભાવ છે તે પોતે જ ત્રણે કાળે વિશેષપણે પરિણમ્યે જાય છે, અજ્ઞાનીને પણ તેનો જે સામાન્ય
ચૈતન્યસ્વભાવ છે તે જ વિશેષજ્ઞાનપણે પરિણમ્યા કરે છે, પણ તેને તે સામાન્યની પ્રતીત નથી એટલે સામાન્ય
સાથે વિશેષની એકતા તે નથી કરતો પણ પર સાથે એકતા માને છે એટલે તેનું વિશેષ અયથાર્થ થાય છે.
પર્યાયો પણ અરૂપી છે એટલે તે ત્રણે સૂક્ષ્મ અને તેને જાણનારું શ્રુતજ્ઞાનપ્રમાણ તે પણ સૂક્ષ્મ છે, આત્મા તરફના
વલણવાળું તે જ્ઞાન જ સૂક્ષ્મ આત્માને જોનારું સૂક્ષ્મદર્શક યંત્ર છે, એ સિવાય ઈન્દ્રિય વગેરે કોઈ બાહ્ય પદાર્થોથી
કે વિકલ્પથી આત્મા જણાય તેવો નથી. એકવાર યથાર્થ સાંભળીને આવી વસ્તુને સમજે તો ક્યાંય સંદેહ રહે
નહિ. દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે તારો આત્મા જ તારો ચૈતન્યદેવ છે તું જ તારા અનંતધર્મને
ધરનારો છો, તેને ઓળખીને તેની આરાધના કર તો તારી પરમાત્મદશા પ્રગટી જાય.
PDF/HTML Page 23 of 25
single page version

આત્મામાં જ્ઞાનાદિ અનંત ધર્મો છે, તેમાંથી કોઈ એક ધર્મ મુખ્ય કરીને કહ્યો ત્યાં વસ્તુમાં બીજા અનંત ધર્મો પણ
ભેગા જ છે; તેને જાણે તે જ્ઞાન પ્રમાણ છે.
આત્મા પૂર્ણ પ્રત્યક્ષ જણાય છે, તેમને માટે આ વર્ણન નથી; અહીં તો સાધકજીવને માટે વર્ણન છે, તેથી શ્રુતજ્ઞાન
અને નયથી વર્ણન કર્યું છે. સાધકજીવ શ્રુતજ્ઞાનપ્રમાણથી આત્માને જાણે છે, તે શ્રુતજ્ઞાન અનંતનયોવાળું છે,
તેમાંથી દરેક નય આત્માના એકેક ધર્મને જાણે છે.
છે. તે ધર્મને દ્રવ્યનય જાણે છે. વસ્તુમાં જે ધર્મ હોય તેનું જ જ્ઞાન થાય. વસ્તુમાં ધર્મ ન હોય તો તેનું જ્ઞાન પણ
ક્યાંથી થાય? આત્મામાં કેવા કેવા ધર્મો છે તે અહીં વર્ણવે છે. ચિન્માત્રપણે કાયમ સદ્રશરૂપ ટકવું એવો
આત્માનો પોતાનો સ્વભાવ છે, એટલે આત્મા કોઈ પરના આધારે ટકેલો નથી, કોઈ ઈશ્વર તેનો ટકાવનાર
નથી, પણ પોતે પોતાના ચિન્માત્રસ્વભાવથી ટકેલો છે, એવો તેનો એક ધર્મ છે. એકેક ધર્મમાં જ આખો આત્મા
સમાઈ જતો નથી પણ અનંત ધર્મોનો એકરૂપ પિંડ આત્મા છે; તેમ જ એકેક નયમાં આખી વસ્તુનું જ્ઞાન આવી
જ થતું નથી પણ બધા નયો ભેગા થઈને આખી વસ્તુનું પ્રમાણજ્ઞાન થાય છે. આત્માના અનંતધર્મોમાં
ચૈતન્યમાત્રપણું તે એક ધર્મ છે, તે ધર્મથી ચૈતન્યમાત્ર આત્માને જાણે તે દ્રવ્યનય છે.
કબૂલતા ન હોય તે કોઈ દેવ–ગુરુ કે શાસ્ત્ર સાચાં નથી; એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને જે માને તેને તો હજી
વ્યયહારશ્રદ્ધાનું પણ ઠેકાણું નથી, તે તો ધર્મથી ઘણો દૂર છે. વસ્તુનું સ્વરૂપ જે રીતે છે તે રીતે જ્ઞાનમાં આવ્યા
વિના જ્ઞાન ઠરે નહિ ને જ્ઞાન ઠર્યા વિના વિકલ્પ તૂટે નહિ એટલે કે ચિત્તનો નિરોધ થાય નહિ. વસ્તુસ્વરૂપને
જેમ છે તેમ જાણીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી એનું નામ જ
ચિત્તનો નિરોધ છે. આ સિવાય ‘હું ચિત્તને રોકું, હું વિકલ્પને રોકું’ એમ નાસ્તિના લક્ષે કાંઈ વિકલ્પ તૂટતો નથી
પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે. ‘હું ચૈતન્યમાત્ર સ્વભાવ છું’ એમ અસ્તિસ્વભાવ તરફ જ્ઞાનનું જોર આપતાં
ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે, સ્વભાવની એકાગ્રતાના જોરે રાગનો અભાવ થઈ જાય છે. માટે પહેલાંં
વસ્તુના સ્વભાવને બધા પડખેથી જેમ છે તેમ જાણવો જોઈએ. તેનું આ વર્ણન ચાલે છે.
વસ્તુમાં ભેદ પાડીને તેના એક ધર્મને લક્ષમાં લ્યે છે ને દ્રવ્યાર્થિકનય તો ભેદ પાડ્યા વગર, વર્તમાન પર્યાયને
ગૌણ કરીને અભેદ દ્રવ્યને લક્ષમાં લ્યે છે.––
PDF/HTML Page 24 of 25
single page version

વિષય નથી; તે નિશ્ચયનયનો વિષય તો વર્તમાન અંશને તથા ભેદને ગૌણ કરીને આખો અનંત ગુણનો પિંડ છે,
ને આ દ્રવ્યનય તો અનંત ધર્મોમાંથી એક ધર્મનો ભેદ પાડીને વિષય કરે છે.
શ્રુતપ્રમાણના અનંત નયો કહ્યા છે. અહીં કહેલા નયોનો વિષય એકેક ધર્મ છે ને સમયસારાદિમાં કહેલ દ્રવ્યા
ર્થિકનયનો વિષય તો ધર્મનો ભેદ પાડ્યા વગરની અભેદ વસ્તુ છે. અહીં જેને દ્રવ્યનય કહ્યો છે તે અધ્યાત્મ–
દ્રષ્ટિના કથનમાં તો પર્યાયાર્થિક નયમાં અથવા વ્યવહારનયમાં જાય છે.
જુદી જુદી અપેક્ષાથી જેમ કહ્યું છે તેમ બરાબર સમજવું જોઈએ.
વગેરે ગુણ–પર્યાયના ભેદવાળો પણ જણાય છે, એવો આત્માનો સ્વભાવ છે. પર્યાયનયથી જ્ઞાનાદિ અનંત ગુણ–
પર્યાયના ભેદરૂપે આત્મા ભાસે છે, ને દ્રવ્યનયે એક અભેદરૂપ ચૈતન્યસ્વભાવમાત્ર આત્મા જણાય છે. વસ્તુ એક
છે પણ તેમાં પડખાં અનેક છે. ચીજને જેમ છે તેમ બધા પડખાથી જાણીને નક્કી કરે ત્યાર પછી જ જ્ઞાન તેમાં ઠરે
ને? વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના શેમાં એકાગ્ર થઈને ધ્યાન કરે? જેમ કોઈએ હાથમાં બાણ તો લીધું પણ તે
બાણ મારવું છે કોને? જેને બાણ મારવું છે તે લક્ષ્યને નક્કી ન કર્યું હોય તો બાણ લીધું શા કામનું? પહેલાંં જેના
ઉપર બાણ છોડવું હોય તે લક્ષ્યને બરાબર નક્કી કર્યા પછી જ બાણ છોડે છે; તેમ આત્માનું ધ્યાન કરવા માટે
પહેલાંં તેનું બરાબર જ્ઞાન કરવું જોઈએ. આત્મા જેવો છે તેવો લક્ષમાં લીધા વિના ધ્યાન કોનું કરશે? ઘણા લોકો
કહે છે કે અમારે ધ્યાન કરવું છે. પણ કોનું? ધ્યાનમાં લેવા યોગ્ય આત્માનો સ્વભાવ શું છે તે જાણ્યા વિના તેનું
ધ્યાન કઈ રીતે કરીશ? વસ્તુને યથાર્થજ્ઞાનથી જાણ્યા પછી તે વસ્તુમાં જ્ઞાનની એકાગ્રતા થાય તેનું નામ ધ્યાન
છે. જેને વસ્તુનું સાચું જ્ઞાન જ નથી તેને તો જ્ઞાનની એકાગ્રતારૂપ ધ્યાન પણ હોતું નથી.
અનંત ધર્મો ભર્યા છે એટલે પર્યાયનયે તે દર્શન–જ્ઞાનાદિ ભેદરૂપ છે. દ્રવ્યનયે જોતાં ભેદો ગૌણ થઈને એકરૂપ
ચિન્માત્ર ભાસે છે અને પર્યાયનયે જોતાં દર્શન–જ્ઞાન–ચારિત્રાદિ ગુણપર્યાયોના ભેદરૂપ પણ ભાસે છે–એવો
આત્માનો સ્વભાવ છે. આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે ભેદો છે તે કાંઈ કલ્પનારૂપ નથી પણ સત્ છે, વસ્તુમાં
કથંચિત્ ગુણભેદ પણ છે; વસ્તુ સર્વથા અભેદ નથી પણ ભેદાભેદરૂપ છે.–એવી વસ્તુ તે જ પ્રમાણનો વિષય છે.
તેનામાં ત્રણકાળે નવી નવી અવસ્થા થયા કરે છે એવો તેનો સ્વભાવ છે. આત્માની કોઈ પર્યાય પરને લીધે થતી
નથી પણ પોતાના પર્યાયસ્વભાવથી જ તેની પર્યાય ત્રણેકાળે
PDF/HTML Page 25 of 25
single page version

પોતાની પર્યાય થવાનું માને નહિ, પણ દ્રવ્યના આશ્રયે જ પર્યાય થવાનું માને, એટલે તેને પરથી લાભ–નુકસાન
પર્યાયધર્મને ખરેખર જાણ્યો નથી.
છે, કોઈ બીજી ચીજને લીધે તેનો પર્યાયધર્મ થતો નથી. જો બીજો પદાર્થ આત્માની પર્યાય કરે તો આત્માના
પર્યાયધર્મે શું કર્યું? જો નિમિત્તથી પર્યાય થઈ એમ હોય તો આત્માનો પર્યાયધર્મ જ ન રહ્યો! પોતાની અનાદિ
અનંત પર્યાયો પોતાથી જ થાય છે–એમ જો પોતાના પર્યાયધર્મને ન જાણે તો જ્ઞાન પ્રમાણ થાય નહિ. સ્વભાવ
તરફ ઢળતું જ્ઞાન પ્રમાણપૂર્વક જ ઢળે છે; વસ્તુસ્થિતિ જાણીને જ્ઞાન પ્રમાણ થયા વગર તે વસ્તુસ્વભાવમાં ઢળે જ
નહિ એટલે તેને આત્માનો સ્વાનુભવ થાય જ નહિ.
જોઈએ. દ્રવ્યનયથી જો આત્મદ્રવ્યમાં સંસાર હોય તો તે ટળે ક્યાંથી? અને પર્યાયમાં સંસાર છે, તે પર્યાયના
અવલંબને ટળે ક્યાંથી? દ્રવ્યનયે તો આત્માને સંસાર–મોક્ષ નથી, સંસારપર્યાયમાં કે મોક્ષપર્યાયમાં સદાય
આત્મા ચિન્માત્ર જ છે; પરંતુ પર્યાયમાં સંસાર–મોક્ષ છે તેને પર્યાયનય જાણે છે. પણ તે પર્યાયના આશ્રયે સંસાર
ટળતો નથી, દ્રવ્યનો આશ્રય કરતાં સંસારપર્યાય ટળીને મોક્ષપર્યાય થઈ જાય છે; એટલે પર્યાયનયવાળો પણ
પર્યાયબુદ્ધિ રાખીને પર્યાયને નથી જાણતો પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને પર્યાયનું જ્ઞાન કરે છે. દ્રવ્યની દ્રષ્ટિ
વગર એકલી પર્યાયને જાણવા જાય તો તેને પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ થઈ જાય છે. આખા દ્રવ્યના જ્ઞાનપૂર્વક તેના
પર્યાયધર્મને પર્યાયનય જાણે છે, તે પર્યાયનયથી આત્મદ્રવ્ય ગુણ–પર્યાયના ભેદવાળું જણાય છે.
શકે, અથવા વિશેષ બદલતાં સામાન્ય જુદું રહી જાય એટલે સામાન્ય અને વિશેષ સર્વથા જુદા થઈ જાય. પણ
એમ બને જ નહિ, કેમકે સામાન્ય કદી વિશેષ વગર ન હોય અને વિશેષ કદી સામાન્ય વગર ન હોય. વસ્તુ
અનેક ધર્માત્મક છે, સામાન્ય વિશેષ બંનેને એક સાથે ન માનો તો વસ્તુ જ સિદ્ધ ન થાય.
કરીને અભેદ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. જ્યાં અભેદસ્વભાવના
અનુભવમાં વળ્યો ત્યાં આવા ધર્મના ભેદના વિચાર રહેતા નથી.
એક ધર્મને મુખ્ય કરીને વસ્તુને લક્ષમાં લ્યે છે, તે ધર્મ વસ્તુનો છે ને વસ્તુ અનંતધર્મવાળી છે, એટલે નયની
સાથે જ તે અનંતધર્મવાળી વસ્તુનું પ્રમાણજ્ઞાન પણ સાથે જ છે. નય તો અંશને જાણે છે, અંશ કોનો?–કે
અંશીનો. અંશીના જ્ઞાન વગર અંશનું જ્ઞાન યથાર્થ ન થાય. આખી વસ્તુના પ્રમાણજ્ઞાનપૂર્વક તેના એક અંશનું
જ્ઞાન હોય તો જ તેને નય કહેવાય. એ રીતે નય ભેગું પ્રમાણ પણ સાથે જ છે.