સ્વકાળથી મારું અસ્તિત્વ છે, દ્રવ્ય ત્રિકાળ છે તે કારણ છે અને પર્યાય એકેક સમયની છે તે કાર્ય છે, મારા
ત્રિકાળી દ્રવ્યનું એકેક સમયનું વર્તમાન કાર્ય તે જ મારો સ્વકાળ છે. આમ સમજીને દ્રવ્યસન્મુખ થતાં જે
નિર્મળપર્યાય પ્રગટી તે આત્માનો શુદ્ધ સ્વકાળ–સુકાળ છે.
શક્તિ) છે તે આત્માનો સ્વભાવ છે.
છૂટી જાય છે, એનું નામ અપૂર્વ ધર્મ છે.
આત્મા સત્ છે. અશુભ, શુભ કે શુદ્ધભાવરૂપ તે તે સમયની પર્યાયમાં તે દ્રવ્ય જ રહેલું છે, તે પોતાનો જ સ્વકાળ
છે, પોતાના સ્વકાળ વગરની વસ્તુ હોતી નથી અને વસ્તુનો સ્વકાળ બીજાથી હોતો નથી.
સ્વકાળ આવશે ક્યાંથી? તેમ જ તે રાગ ટળીને બીજા સમયે દ્રવ્યનું અસ્તિત્વ રહેશે શેમાં? વર્તમાન સ્વકાળ
પલટીને બીજા સમયનો સ્વકાળ થાય તે દ્રવ્યમાંથી જ આવે છે અને તે સ્વકાળમાં પણ દ્રવ્યનું જ અસ્તિત્વ છે.
માટે જે જીવ વર્તમાન વિકારી સ્વકાળ જેટલો જ પોતાને માને, અને તે સ્વકાળ પલટીને બીજી સવળી પર્યાયોનો
સ્વકાળ પ્રગટે એવું સ્વભાવસામર્થ્ય છે તેની પ્રતિત ન કરે તો તેણે પોતાના પૂરા અસ્તિત્વને ઓળખ્યું નથી. એક
સમયના સ્વકાળ જેટલું જ મારું આખું અસ્તિત્વ નથી પણ હું તો ત્રણે કાળના સ્વકાળના સામર્થ્યનો પિંડ છું–
એમ સમજે તો ક્ષણિક રાગ જેટલો જ આત્માને ન માને એટલે રાગ સાથેની એકત્વબુદ્ધિ છૂટીને ત્રિકાળી
ચૈતન્યસ્વભાવ તરફ વળ્યા વગર રહે નહિ. પ્રથમ આવી દ્રષ્ટિ થયા વિના આત્મા તરફ વળીને એકાગ્ર થવાનું
રહેતું નથી, એટલે તેને મોક્ષ થવાનું બનતું નથી. માટે પ્રથમ વસ્તુનું સ્વરૂપ સમજવું તે જ મોક્ષ માર્ગનો ઉપાય
છે. તે સિવાય કોઈપણ રીતે મોક્ષમાર્ગની શરૂઆતનો અંશ પણ થતો નથી.
નબળાઈનો કાળ છે તેથી આ રાગ થાય છે. સ્વભાવની પ્રભુતાનું ભાન છે ને પર્યાયના રાગનું પણ ભાન છે.
આ રાગ મને કોઈ પરના કારણે થતો નથી પણ મારા સ્વકાળને લીધે થાય છે; અને તે વખતે બહારમાં જે ફૂલ–
પાણી વગેરેની ક્રિયા થાય છે તે મારા સ્વકાળથી ભિન્ન છે, મારા શુભરાગને લીધે તે ક્રિયા થતી નથી, આત્મા તે
સમયના પોતાના સ્વકાળના જ્ઞાનભાવને તથા પૂજા–ભક્તિના ભાવને કરે છે પણ ફૂલ–પાણી વગેરે પર દ્રવ્યને
લેવા–મૂકવાની ક્રિયા આત્મા કરતો નથી. પાણી વગેરેની જે ક્રિયા થાય તેમાં પર વસ્તુના દ્રવ્યક્ષેત્ર–કાળ–ભાવ છે,
તેમાં પરનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ તેમાં પરનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવમાં છે અને પરનું અસ્તિત્વ પરનાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ભાવમાં છે, કોઈના અસ્તિત્વને લીધે કોઈ બીજામાં
કાંઈ થતું નથી. આમ હોવાથી ફૂલ–પાણી વગેરે પર વસ્તુની ક્રિયા થાય તેમાં આત્માનો આરંભ–સમારંભ નથી
ને તેને લીધે આત્માને પુણ્ય કે પાપ થતું નથી. આત્માનો આરંભ સમારંભ તો પોતાના અસ્તિત્વમાં–પોતાના
ભાવમાં છે, પોતાના ભાવમાં જો શુભપરિણામ હોય તો તે પુણ્યનું કારણ છે ને પોતાના ભાવમાં જો
અશુભપરિણામ હોય તો તે પાપનું કારણ છે, તથા શુભ–અશુભથી રહિત શુદ્ધપરિણામ તે ધર્મ છે. આ રીતે
આત્માને પોતાના ભાવનું જ ફળ છે. બહારની ક્રિયા થાય તેથી આત્માને