Atmadharma magazine - Ank 095
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 23

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૩૧ :
પૈસા વગેરેનો સંયોગ આવે કે જાય તેમાં એકત્વબુદ્ધિથી હર્ષ કે શોક ન થાય. મારી એકેક સમયની પર્યાયરૂપ
સ્વકાળથી મારું અસ્તિત્વ છે, દ્રવ્ય ત્રિકાળ છે તે કારણ છે અને પર્યાય એકેક સમયની છે તે કાર્ય છે, મારા
ત્રિકાળી દ્રવ્યનું એકેક સમયનું વર્તમાન કાર્ય તે જ મારો સ્વકાળ છે. આમ સમજીને દ્રવ્યસન્મુખ થતાં જે
નિર્મળપર્યાય પ્રગટી તે આત્માનો શુદ્ધ સ્વકાળ–સુકાળ છે.
(૪) લક્ષ્યની સામે રહેવારૂપ જે ભાવ છે તે તીરનો સ્વભાવ છે, તેમ આત્માનો જે શક્તિરૂપ ભાવ છે તે
પરિણમીને પર્યાયની સન્મુખ થાય છે એટલે સમય સમયની પર્યાય થવાની તાકાતવાળો જે કાયમનો ભાવ (–
શક્તિ) છે તે આત્માનો સ્વભાવ છે.
એ રીતે, અસ્તિત્વનય એમ જાણે છે કે મારું આત્મદ્રવ્ય મારા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી
અસ્તિત્વવાળું છે. આવું અસ્તિત્વ સમજનારને આત્માની સ્વતંત્રતાની પ્રતીત થાય છે ને પરાધીનતાની દ્રષ્ટિ
છૂટી જાય છે, એનું નામ અપૂર્વ ધર્મ છે.
પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ એ ચારે થઈને પોતાનું અસ્તિત્વ છે, એક અસ્તિત્વધર્મમાં તે ચારે
પ્રકાર સમાઈ જાય છે. સ્વકાળ એટલે પોતાના જ્ઞાન–શ્રદ્ધા વગેરેની સમય–સમયની વર્તમાન પર્યાય, તેનાથી
આત્મા સત્ છે. અશુભ, શુભ કે શુદ્ધભાવરૂપ તે તે સમયની પર્યાયમાં તે દ્રવ્ય જ રહેલું છે, તે પોતાનો જ સ્વકાળ
છે, પોતાના સ્વકાળ વગરની વસ્તુ હોતી નથી અને વસ્તુનો સ્વકાળ બીજાથી હોતો નથી.
રાગપર્યાય તે એક સમયનો સ્વકાળ છે, અને સ્વદ્રવ્યમાં તો સિદ્ધદશાના અનંતા સ્વકાળ પ્રગટવાનું
સામર્થ્ય છે; તેથી જો રાગના કાળે માત્ર રાગ જેટલું જ આત્માનું અસ્તિત્વ માની લ્યે તો બીજા સમયે નિર્મળ
સ્વકાળ આવશે ક્યાંથી? તેમ જ તે રાગ ટળીને બીજા સમયે દ્રવ્યનું અસ્તિત્વ રહેશે શેમાં? વર્તમાન સ્વકાળ
પલટીને બીજા સમયનો સ્વકાળ થાય તે દ્રવ્યમાંથી જ આવે છે અને તે સ્વકાળમાં પણ દ્રવ્યનું જ અસ્તિત્વ છે.
માટે જે જીવ વર્તમાન વિકારી સ્વકાળ જેટલો જ પોતાને માને, અને તે સ્વકાળ પલટીને બીજી સવળી પર્યાયોનો
સ્વકાળ પ્રગટે એવું સ્વભાવસામર્થ્ય છે તેની પ્રતિત ન કરે તો તેણે પોતાના પૂરા અસ્તિત્વને ઓળખ્યું નથી. એક
સમયના સ્વકાળ જેટલું જ મારું આખું અસ્તિત્વ નથી પણ હું તો ત્રણે કાળના સ્વકાળના સામર્થ્યનો પિંડ છું–
એમ સમજે તો ક્ષણિક રાગ જેટલો જ આત્માને ન માને એટલે રાગ સાથેની એકત્વબુદ્ધિ છૂટીને ત્રિકાળી
ચૈતન્યસ્વભાવ તરફ વળ્‌યા વગર રહે નહિ. પ્રથમ આવી દ્રષ્ટિ થયા વિના આત્મા તરફ વળીને એકાગ્ર થવાનું
રહેતું નથી, એટલે તેને મોક્ષ થવાનું બનતું નથી. માટે પ્રથમ વસ્તુનું સ્વરૂપ સમજવું તે જ મોક્ષ માર્ગનો ઉપાય
છે. તે સિવાય કોઈપણ રીતે મોક્ષમાર્ગની શરૂઆતનો અંશ પણ થતો નથી.
શ્રી જિનેન્દ્ર ભગવંતની પૂજા–ભક્તિ કરવાનો જે શુભભાવ થયો તે પણ આત્માનો સ્વકાળ છે, ધર્મીને
પણ વીતરાગી સ્વકાળ પ્રગટ્યા પહેલાંં તેવો ભાવ થઈ જાય છે. ત્યાં ધર્મી જીવને અંતરમાં ભાન છે કે મારી
નબળાઈનો કાળ છે તેથી આ રાગ થાય છે. સ્વભાવની પ્રભુતાનું ભાન છે ને પર્યાયના રાગનું પણ ભાન છે.
આ રાગ મને કોઈ પરના કારણે થતો નથી પણ મારા સ્વકાળને લીધે થાય છે; અને તે વખતે બહારમાં જે ફૂલ–
પાણી વગેરેની ક્રિયા થાય છે તે મારા સ્વકાળથી ભિન્ન છે, મારા શુભરાગને લીધે તે ક્રિયા થતી નથી, આત્મા તે
સમયના પોતાના સ્વકાળના જ્ઞાનભાવને તથા પૂજા–ભક્તિના ભાવને કરે છે પણ ફૂલ–પાણી વગેરે પર દ્રવ્યને
લેવા–મૂકવાની ક્રિયા આત્મા કરતો નથી. પાણી વગેરેની જે ક્રિયા થાય તેમાં પર વસ્તુના દ્રવ્યક્ષેત્ર–કાળ–ભાવ છે,
તેમાં પરનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ તેમાં પરનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવમાં છે અને પરનું અસ્તિત્વ પરનાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ભાવમાં છે, કોઈના અસ્તિત્વને લીધે કોઈ બીજામાં
કાંઈ થતું નથી. આમ હોવાથી ફૂલ–પાણી વગેરે પર વસ્તુની ક્રિયા થાય તેમાં આત્માનો આરંભ–સમારંભ નથી
ને તેને લીધે આત્માને પુણ્ય કે પાપ થતું નથી. આત્માનો આરંભ સમારંભ તો પોતાના અસ્તિત્વમાં–પોતાના
ભાવમાં છે, પોતાના ભાવમાં જો શુભપરિણામ હોય તો તે પુણ્યનું કારણ છે ને પોતાના ભાવમાં જો
અશુભપરિણામ હોય તો તે પાપનું કારણ છે, તથા શુભ–અશુભથી રહિત શુદ્ધપરિણામ તે ધર્મ છે. આ રીતે
આત્માને પોતાના ભાવનું જ ફળ છે. બહારની ક્રિયા થાય તેથી આત્માને