તો ખરેખર જ્ઞાનથી ભિન્ન છે માટે તે રાગાદિ ભાવોને જ્ઞાનનું લક્ષ્ય ન બનાવ. આત્મા તરફ વળતું જ્ઞાન તે જ
તારું સ્વલક્ષણ છે, ને એવા સ્વલક્ષણથી જ આત્માનો અનુભવ થાય છે.
તો આત્માથી છૂટા પડી જાય છે. આત્મા ત્રિકાળ છે તેની સાથે એકમેકપણે રહીને આત્માને ઓળખાવે તે જ
આત્માનું લક્ષણ છે. માટે અહીં જ્ઞાનમાત્ર લક્ષણવડે આત્માને ઓળખાવ્યો છે. આત્મામાં એક જ્ઞાનગુણ જ
નથી પણ અનંત ધર્મો છે; આત્માના સ્વભાવમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ–સ્વચ્છત્વ–પ્રભુત્વ આદિ
અનંત ધર્મો છે; એવા આત્માને જ્ઞાનદ્વારા ઓળખાવે છે. આત્મામાં એક સાથે અનંત ધર્મો છે, કાળ
અપેક્ષાએ તો અનંત છે ને સંખ્યા અપેક્ષાએ પણ અનંત શક્તિઓ એક સાથે રહેલી છે. એક સાથે રહેલી
અનંતી શક્તિઓ અને તેના ક્રમે ક્રમે થતા અનંત નિર્મળ અંશો–એવા અનંતધર્મની મૂર્તિ આત્મા છે તેને
જ્ઞાન ઓળખાવે છે.
જણાય તે બધો ય આત્મા છે, રાગાદિ ભાવો તે આત્માની હદથી બહાર છે, કેમ કે તેમાં જ્ઞાન વ્યાપતું નથી.
જ્ઞાન અનંતધર્મવાળા આત્માને પ્રસિદ્ધ કરે છે; માટે તે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ
અને અક્રમરૂપ પ્રવર્તતો, જ્ઞાન સાથે અવિનાભાવી એવો જે અનંતધર્મસમૂહ લક્ષિત થાય છે તે સઘળો ય
ખરેખર એક આત્મા છે.–આવો આત્મા બતાવવા માટે જ આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે.
જુદો બતાવે છે તેથી તે આત્માનું લક્ષણ છે. રાગાદિભાવો તે આત્માનું લક્ષણ નથી પણ બંધનું લક્ષણ છે.
રાગની સામે જોતાં આત્મા નથી ઓળખાતો માટે રાગ તે આત્માથી ભિન્ન છે. જ્ઞાનલક્ષણ અને આત્મા
પરમાર્થે અભેદ છે; તેથી જ્ઞાનલક્ષણને ઓળખતાં આત્મા પણ ઓળખાય છે. આત્મામાં અનંત ધર્મો હોવા
છતાં તેને જ્ઞાનમાત્ર કહીને ઓળખાવ્યો છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરને જાણવાનો હોવાથી તે બધા જીવોને
પ્રસિદ્ધ છે, જ્ઞાન સિવાય જે શ્રદ્ધા–સુખ વગેરે અનંતધર્મો છે તેઓ પોતે પોતાને કે પરને જાણતા નથી; માટે
જ્ઞાનને જ લક્ષણ કહ્યું છે. તે જ્ઞાનલક્ષણવડે અનંતગુણની મૂર્તિ એવો આત્મા જ પ્રસિદ્ધ કરવા યોગ્ય–જાણવા
યોગ્ય–ધ્યાન કરવા યોગ્ય–લક્ષ્ય કરવા યોગ્ય છે; જ્ઞાન અંતર્મુખ થઈને તેવા આત્માને જ જાણે છે–પ્રસિદ્ધ
કરે છે–ધ્યાવે છે–લક્ષમાં લ્યે છે. અજ્ઞાનીઓ તો રાગને અને પરને જાણવામાં અટકે તેને જ જ્ઞાન માને છે
એટલે તેઓ રાગ સાથે જ્ઞાનને એકમેક કરીને, જ્ઞાનલક્ષણ જાણે કે રાગનું જ હોય એમ માને છે તેથી તેમને
રાગની જ પ્રસિદ્ધિ થાય છે, પણ રાગથી ભિન્ન એવા જ્ઞાનની કે આત્માની પ્રસિદ્ધિ થતી નથી.–એનું નામ
અધર્મ છે. જો જ્ઞાનને રાગથી જુદું ઓળખે એટલે રાગ સાથે જ્ઞાનની એકતા છોડીને સ્વભાવ સાથે એકતા
પ્રગટ કરે, તો રાગરહિત જ્ઞાનલક્ષણની અને આત્માની પ્રસિદ્ધિ થાય.–તેનું નામ ધર્મ છે. જે જ્ઞાન આત્માને
રાગથી જુદો પ્રસિદ્ધ કરે તે જ ખરું જ્ઞાન છે; જે જ્ઞાન આત્માને તો પ્રસિદ્ધ ન કરે ને એકલા રાગને જ
પ્રસિદ્ધ કરે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમ કે તે તો રાગમાં તન્મય થઈ ગયું છે તેથી તેને જ્ઞાન જ નથી
કહેતા. જ્ઞાન આત્માનું લક્ષણ છે.–પણ કયારે? કે આત્માને લક્ષ્ય બનાવે ત્યારે. એટલે આચાર્યદેવ કહે છે કે
જ્ઞાનવડે લક્ષમાં લેવાયોગ્ય આત્મા જ છે.
કે પરને જાણવાનું સામર્થ્ય નથી. જ્ઞાન સ્વ–પરને