દ્રશ્ય; પ્રવચન પછી શ્રીમાન વછરાજજી શેઠ ઊભા થઇને પૂ. ગુરુદેવશ્રીનો ઉપકાર માની રહ્યા છે.
જ્ઞાનીને જ હોય છે, પણ જ્ઞાની તે ભાવને આદરણીય માનતા નથી; જ્ઞાની તો જાણે છે કે શુદ્ધરત્નત્રયવડે નિજ
કારણ–પરમાત્માને આરાધવો તે જ સિદ્ધિનો ઉપાય છે.
પણ તેનામાં જ ચોસઠપોરી તીખાસ શક્તિપણે હતી તે જ પ્રગટી છે; બહારથી નથી આવી તેમજ એક થી માંડીને
ત્રેસઠ પોરી સુધીની તીખાસમાંથી પણ ચોસઠપોરી તીખાસ આવી નથી, તે અધૂરી તીખાસનો તો અભાવ થઈને
પીપરના સામર્થ્યમાંથી જ પૂરી તીખાસ આવી છે. ઉંદરની લીંડી પણ લીંડીપીપર જેવી લાગે, પણ તેને ઘસતાં
તેમાંથી તીખાસ નહિ પ્રગટે, કેમ કે તેનામાં તેવો સ્વભાવ નથી. લીંડીપીપરમાં સ્વભાવ છે તેમાંથી જ તીખાસ
પ્રગટે છે, તે કોઈ સંયોગને લીધે નથી. તેમ આત્મા પરિપૂર્ણ પરમાત્મશક્તિથી ભર્યો છે, તેનાં શ્રદ્ધા–જ્ઞાન–
એકાગ્રતા વડે તેમાંથી પરમાત્મદશા પ્રગટે છે. પણ કાંઈ શરીરાદિને ઘસી નાંખવાથી પરમાત્મદશા પ્રગટતી નથી
કેમ કે તેનામાં તેવો સ્વભાવ નથી; તેમ જ અધૂરી દશામાંથી પણ પૂર્ણદશા આવતી નથી. ધુ્રવસ્વભાવ ત્રિકાળ
ભર્યો છે તેના જ અવલંબને અધૂરીદશાનો વ્યય થઈને પૂર્ણ પરમાત્મદશા પ્રગટી જાય છે. આ રીતે શુદ્ધઆત્માની
આરાધના તે જ સિદ્ધિનો ઉપાય છે. આ ઉપાયથી જ ભૂતકાળમાં અનંત સિદ્ધો થયા, વર્તમાનમાં આ ઉપાયથી જ
સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં આ ઉપાયથી જ