: ૨૦૦ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
‘વાણી’ અને ‘મરજી’ વચ્ચે અત્યંતઅભાવ છે; કેમકે વાણી તે પુદ્ગલદ્રવ્યની પર્યાય છે અને મરજી તે જીવની પર્યાય છે.
(૨) ‘હથોડી’ અને ‘કુંડળ’ વચ્ચે અન્યોન્યઅભાવ છે; કારણ કે તે બંને પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયો છે.
(૩) ‘આહારકશરીર’ નો ‘આહારવર્ગણા’માં પ્રાક્અભાવ છે; કારણ કે તે બંને એક જ પુદ્ગલદ્રવ્યની
અવસ્થાઓ છે, અને તેમાં આહારક શરીર તે વર્તમાન અવસ્થા છે અને આહારવર્ગણા તે ભૂતકાળની અવસ્થા છે.
(૪) ‘ર્ક્મ’ અને ‘આત્મા’ વચ્ચે અત્યંતઅભાવ છે; કેમકે કર્મ પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. જીવ અને
પુદ્ગલ એ બંને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે.
(૫) ‘સીમંધર પરમાત્મા’ અને તેમની ભાવિ ‘સિદ્ધદશા’ વચ્ચે પ્રધ્વંસઅભાવ છે; કારણ કે સીમંધર
પરમાત્મા તે વર્તમાન અરિહંત અવસ્થા છે અને સિદ્ધપણું તે તેમની ભવિષ્યની પર્યાય છે.
(૬) ‘દ્રવ્યસંગ્રહ’ પુસ્તક અને ‘જ્ઞાન’ વચ્ચે અત્યંતઅભાવ છે; કારણ કે દ્રવ્યસંગ્રહ તે પુદ્ગલ દ્રવ્યની
પર્યાય છે, ને જ્ઞાન તે જીવદ્રવ્યની પર્યાય છે.
(૭) ‘ધન’ અને ‘ધર્મ’ વચ્ચે અત્યંતઅભાવ છે; કારણ કે ધન તો પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે ને ધર્મ
જીવદ્રવ્યની અવસ્થા છે.
પ્રશ્ન : ૬ (अ) નીચેના પદાર્થોમાંથી દ્રવ્ય, ગુણ, પર્યાય ઓળખી કાઢો–
(૧) કેવળદર્શન (૨) પરમાર્થકાળ (૩) સ્થિતિહેતુત્વ (૪) આપણી નજર સામે દેખાય છે તે આકાશ
(૫) ઉષ્ણતા (૬) નય (૭) અંતર્મુહૂર્ત.
ઉપરના પદાર્થોમાંથી જે ‘દ્રવ્ય’ હોય તેનો વિશેષ ગુણ લખો; જે ‘ગુણ’ હોય તે ક્યા દ્રવ્યનો અને કેવી
જાતનો (સામાન્ય કે વિશેષ) ગુણ છે તે લખો; અને જે પર્યાય હોય તે ક્યા દ્રવ્યના, ક્યા ગુણનો, કેવો (વિકારી
કે અવિકારી) પર્યાય છે તે બતાવો.
(ब) નીચેના ગુણે અનુજીવી છે કે પ્રતિજીવી? અને તે ક્યા દ્રવ્યના છે તે લખો.
(૧) અરૂપીપણું (૨) અવગાહનહેતુત્વ (૩) સૂક્ષ્મત્વ (૪) અભવ્યત્વ (૫) અચેતનત્વ (૬) પ્રદેશત્વ.
ઉત્તર : ૬ [अ] (૧) કેવળદર્શન તે જીવદ્રવ્યના, દર્શનગુણની, અવિકારી પૂર્ણ પર્યાય છે.
(૨) પરમાર્થકાળ તે દ્રવ્ય છે અને પરિણમનહેતુત્વ તે તેનો વિશેષગુણ છે.
(૩) સ્થિતિહેતુત્વ તે અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે.
(૪) નજર સામે દેખાતું આકાશ તે પુદ્ગલદ્રવ્યના વર્ણગુણની વિકારી પર્યાય છે.
(૫) ઉષ્ણતા તે પુદ્ગલદ્રવ્યના, સ્પર્શગુણની, વિકારી પર્યાય છે.
(૬) નય તે જીવદ્રવ્યના જ્ઞાનગુણની (શ્રુતજ્ઞાનના અંશ રૂપ) અવિકારી પર્યાય છે.
(૭) અંતર્મુહૂર્ત તે કાળદ્રવ્યની અવિકારી પર્યાય છે.
[ब] (૧) અરૂપીપણું તે પુદ્ગલ સિવાયના પાંચેય દ્રવ્યોનો (જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળનો)
પ્રતિજીવી ગુણ છે.
(૨) અવગાહનહેતુત્વ તે આકાશદ્રવ્યનો અનુજીવી ગુણ છે.
(૩) સૂક્ષ્મત્વ તે જીવદ્રવ્યનો પ્રતિજીવી ગુણ છે.
(૪) અભવ્યત્વ તે જીવદ્રવ્યનો અનુજીવી ગુણ છે.
(આ ગુણ અભવ્ય જીવોમાં જ હોય છે; ભવ્ય જીવોમાં ‘ભવ્યત્વ’ નામનો ગુણ હોય છે.)
(૫) અચેતનત્વ તે જીવ સિવાયનાં પાંચેય દ્રવ્યોનો (–પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળનો)
પ્રતિજીવી ગુણ છે.
(૬) પ્રદેશત્વ તે છએ દ્રવ્યોનો અનુજીવી ગુણ છે.
ઉત્તમ શ્રેણી અને મધ્યમ શ્રેણીમાં વિશેષ માકર્સ મેળવનાર વિદ્યાર્થીઓનાં નામ–
ઉત્તમ શ્રેણી (૧) નરેશચંદ્ર મગનલાલ મહેતા, સુરત : માર્ક ૯૫
(૨) રમેશચંદ્ર મગનલાલ મહેતા, સુરત : માર્ક ૯૧