
સ્વદ્રવ્યના આલંબને વીતરાગતા થયા એવી જ આ વાત છે.
ભાવનાનું પોષણ કરું છું તેટલો જ મને લાભ છે, નિમિત્તથી કે નિમિત્ત તરફના રાગથી મને લાભ નથી.
આવેલો નથી, મારા સ્વરૂપમાં એવી કોઈ શક્તિ નથી કે જે વિકલ્પને પરિણમાવે. મારી સર્વદર્શિશક્તિ બધાને
દેખનારી છે પણ કોઈને ઠીક–અઠીક માનનારી નથી. આત્માની અનંત શક્તિઓને પણ સર્વદર્શિશક્તિ દેખે છે.
જેણે આત્માને દેખ્યો તેણે બધું દેખી લીધું. સર્વદર્શિશક્તિ આત્મદર્શનમય છે એટલે લોકાલોકને દેખવા માટે
આત્માને બહાર ડોકિયું કરવું પડતું નથી પણ આત્મસ્વરૂપને દેખતાં લોકાલોક દેખાઈ જાય છે. એક ગુણની
પ્રતીત કરવા જતાં પણ આખો આત્મા જ પ્રતીતમાં આવી જાય છે. આખા આત્માને જાણે તો જ એક ગુણને
યથાર્થ જાણે, એક પણ ગુણને યથાર્થ સમજતાં અનંતગુણનો પિંડ સમજાય છે. એક ગુણને પણ ખરેખર ક્યારે
સમજ્યો કહેવાય? એક ગુણનો ભેદ પાડીને જો તેનો આશ્રય કરવા જાય તો તેણે ગુણને જ આખી વસ્તુ માની
લીધી છે, તેણે એક ગુણને પણ જાણ્યો નથી; એક ગુણને જાણતાં, તેની સાથે અભેદરૂપ આખા દ્રવ્યને પકડી લ્યે
તો જ ગુણને જાણ્યો કહેવાય, કેમકે ગુણીથી જુદો ગુણ રહેતો નથી. ઘણી શક્તિઓ છે તેથી કાંઈ આત્મામાં ભેદ
પડી જતો નથી, આત્મામાં તો અનંતશક્તિથી અભેદતા છે. તે અભેદતાના આશ્રયપૂર્વક જ જુદી જુદી
શક્તિઓનું યથાર્થ જ્ઞાન થાય છે.
બધાને ભેદ રહિત દેખે છે. જડ કે ચેતન, સિદ્ધ કે સંસારી, ભવ્ય કે અભવ્ય–એવા વિશેષ ભેદો તે જ્ઞાનનો વિષય
છે. દર્શન તેવા ભેદ વગર સામાન્યસત્તાનો પ્રતિભાસ કરે છે, અનંત ગુણના પિંડ અખંડ આત્માને પણ
દર્શનશક્તિ દેખે છે, તેથી સર્વદર્શિશક્તિની પ્રતીતમાં અખંડ આત્માની પ્રતીત પણ ભેગી જ છે.
ગુણોનું પરિણમન એક સાથે જ છે. કેવળી ભગવાનને પહેલાંં જ્ઞાન પરિણમે અને પછી દર્શન પરિણમે એમ જે
જ્ઞાન–દર્શનનો ક્રમ માને તેણે એક સાથે અનંત શક્તિવાળા આત્માને જાણ્યો નથી, તેને ખરેખર કેવળી પ્રભુની
પ્રતીત નથી ને આત્માની પણ પ્રતીત નથી. જ્ઞાન જ્યાં સ્વભાવનો આશ્રય કરીને પરિણમ્યું ત્યાં અનંતગુણોનું
પરિણમન તેની સાથે ઊછળી રહ્યું છે. આવા અનંતધર્મોથી પરિણમતા એક આત્માને જાણવો તેનું નામ
અનેકાન્તધર્મ છે અને તે જ મોક્ષમાર્ગ છે.
તું સિદ્ધસમાન પ્રભુ છે–એવો વિશ્વાસ તને તારાથી ન આવે ત્યાંસુધી સર્વજ્ઞપરમાત્માએ કહેલી વાતો